Pakistan-Afghanistan: પાકિસ્તાને કહ્યું,”અફઘાનિસ્તાન સાથે જૂના સંબંધોનો યુગ સમાપ્ત!તાત્કાલિક દેશ છોડી ભારત જતા રહેવા કર્યું ફરમાન!!”

  • World
  • October 18, 2025
  • 0 Comments

Pakistan-Afghanistan: પાકિસ્તાન હવે દાદાગીરી ઉપર ઉતર્યું છે અને જેમ ફાવે તેવા નિવેદન કરી રહ્યું છે, પાક સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર અફઘાનિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાનમાં રહેતા તમામ અફઘાનોએ તેમના દેશમાં પાછા ફરવું જોઈએ.તેમણે ઉમેર્યું કે અફઘાનિસ્તાન સાથે જૂના સંબંધોનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે.

આસિફે ઉમેર્યુ કે “અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઘણા વર્ષોથી સંબંધ છે. પરંતુ અમારી સાથે તેમના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી. તેમ છતાં, લાખો લોકોએ અમારી જમીન પર આશરો લીધો છે. જો તેમના ભારત સાથે આટલા સારા સંબંધો છે, તો પછી પાકિસ્તાનમાં રહેતા અફઘાન લોકો ભારતમાં જતુ રહેવું જોઈએ તેઓ ભારતમાં સ્થળાંતર કેમ નથી કરી જતા?”

આસિફે આગળ કહ્યું, “પાકિસ્તાનમાં રહેતા અફઘાનિસ્તાનીઓ બોજ બની ગયા છે અને અહીં અમારી પાસે અમારા પોતાના પાકિસ્તાનના લોકો માટે પૂરતા સંસાધનો નથી ત્યાં તેમને ક્યાં અહીં સાચવવા? આપણે ક્યારેય મિત્ર નહોતા, છતાં આપણે પડોશી તરીકે આપણી ફરજ નિભાવી.હવે ભારતે તેમને આશ્રય આપવો જોઈએ.આફિસે કહ્યું, “અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પહેલા પણ અમારા સંબંધો સારા નહોતા.”

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાનો દિલ્હીથી નિર્ણયો લેતા હોવાનો આરોપ લગાવ્યો હતો, અને અફઘાનિસ્તાન પર ભારત માટે પ્રોક્સી યુદ્ધ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

જીઓ ન્યૂઝ સાથે વાત કરતા, આસિફે તાલિબાન સાથેના યુદ્ધવિરામ પર કહ્યું હતું કે, ‘અફઘાન તાલિબાનને દિલ્હી તરફથી સમર્થન મળી રહ્યું છે.’

તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાનને ઉશ્કેરવામાં આવશે તો લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે. આસિફે કહ્યું, “અમારી પાસે જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા છે. જો તેઓ યુદ્ધ વધારશે તો અમે હુમલો કરીશું.
જોકે,આ બધી વાતો વચ્ચે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર ફરી એર સ્ટ્રાઈક કરવામાં આવી છે,પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કરતા ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડી સહિત 17 લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ ઘટનાની પુષ્ટિ કરી હતી. આ હુમલામાં 16 લોકો ઘાયલ પણ થયા હતા.

આ ઘટનાના જવાબમાં, ACBએ નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી ટ્રાઇ-T20 શ્રેણીમાંથી ખસી જવાની જાહેરાત કરી. ACBએ જણાવ્યું કે માર્યા ગયેલા ક્રિકેટરોના સન્માનમાં આ પગલું લેવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાની હતી. આમ,હવે પાકિસ્તાન બેફામ વાણી વિલાસ અને હુમલા કરવા ઉપર ઉતરી આવતા ઇન્ટર નેશનલ લેવલ ઉપર બેજવાબદાર શાશન અંગેની વાતો ઉઠી રહી છે.

આ પણ વાંચો:

Dhanteras 2025:  આજે ધનતેરસ પર દેવી લક્ષ્મીમાં અને કુબેરજીના આશીર્વાદ મેળવવા જાણો, દિવા પ્રગટાવવાનું મહત્વ, સમય અને મુહુર્ત

Dhanteras 2025:  આજે ધનતેરસ પર દેવી લક્ષ્મીમાં અને કુબેરજીના આશીર્વાદ મેળવવા જાણો, દિવા પ્રગટાવવાનું મહત્વ, સમય અને મુહુર્ત

Former PM of Australia:  ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટે ટ્રમ્પને પાકિસ્તાન સાથે નહિ પણ ભારત સાથે દોસ્તી વધારવા આપી સલાહ

Pakistan Afghanistan Conflict: પાકિસ્તાને મંત્રણા પહેલાં જ અફઘાનિસ્તાન ઉપર ફરી એર સ્ટાઈક કરતા ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડીઓ સહિત 10 લોકોના મોત

Related Posts

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?
  • May 10, 2026

Indus Waters Treaty: પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષો જૂની સિંધુ જળ સંધિ (IWT) ને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ભારતને ચીમકી આપતા જણાવ્યું છે…

Continue reading
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર
  • May 10, 2026

Vijay Tamil Nadu CM: તમિલનાડુના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. લોકપ્રિય અભિનેતા અને ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 5 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 5 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 7 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 7 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 7 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 21 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા