Pakistan Afghanistan Conflict: પાકિસ્તાને મંત્રણા પહેલાં જ અફઘાનિસ્તાન ઉપર ફરી એર સ્ટાઈક કરતા ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડીઓ સહિત 10 લોકોના મોત

  • India
  • October 18, 2025
  • 0 Comments

Pakistan Afghanistan Conflict:  પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે.શુક્રવારે, બંને દેશોએ પરસ્પર 48 કલાકના યુદ્ધવિરામને લંબાવવા સંમતિ આપ્યા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરવાનો તાલિબાને આરોપ લગાવ્યો છે.

તાલિબાનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ડ્યુરન્ડ રેખા પર પક્તિકા પ્રાંતના અનેક જિલ્લાઓમાં હવાઈ હુમલા કર્યા હતા.આ કાર્યવાહી ત્યારે થઈ છે જ્યારે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે દોહામાં શાંતિ વાટાઘાટોની તૈયારીઓ ચાલી રહી છે પણ તે પહેલાં જ પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ટોલોન્યૂઝે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન સરહદ પર સ્થિત અફઘાનિસ્તાનના અર્ગુન અને બર્મલ જિલ્લામાં હવાઈ હુમલામાં અનેક ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલામાં ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડીઓ સહિત 10 લોકો માર્યા ગયા હતા, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ પુષ્ટિ આપી હતી,આ હુમલામાં સાત નાગરિકો ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ ACBએ નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી ટ્રાઇ-T20 સીરિઝમાંથી ખસી જવાની જાહેરાત કરી છે.ACB એ જણાવ્યું કે શહીદોના સન્માનમાં આ પગલું લેવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાના હતા.દરમિયાન, ત્રણ પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ અને અફઘાન તાલિબાનના એક સૂત્રએ નામ ન આપવાની શરતે રોઇટર્સને જણાવ્યું હતું કે દોહા શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ કતારની રાજધાની પહોંચી ચૂક્યુ હતું જ્યારે અફઘાન પ્રતિનિધિમંડળ આજે શનિવારે દોહા પહોંચે તે પહેલાજ પાકિસ્તાને એર સ્ટ્રાઈક કરી માહોલ બગાડી નાખ્યો છે.

મહત્વનું છે કે તા.૧૫ ઓક્ટોબરના રોજ પાકિસ્તાની અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે સરહદ પર થયેલા જંગમાં પહેલા દિવસે બંને પક્ષોના ડઝનબંધ સૈનિકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સૈન્યની વિનંતી પર ૪૮ કલાકનો યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હતો.

બંને પક્ષોએ એકબીજા પર ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો હતો.પાકિસ્તાને દાવો કર્યો હતો કે સરહદ પર ગોળીબારમાં કેટલાક તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા, જ્યારે તાલિબાને ૫૮ પાકિસ્તાની સૈનિકોના મોત અને અનેક પાકિસ્તાની ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો હતો.સિઝ ફાયર ગઈકાલે શુક્રવારે ઉત્તર વઝીરિસ્તાનમાં એક લશ્કરી છાવણી પર થયેલા આત્મઘાતી હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને 13 અન્ય ઘાયલ થયા હતા.આ હુમલો દોહામાં ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે શાંતિ મંત્રણાના કલાકો પહેલા થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક આતંકવાદીએ મીર અલીમાં ખદ્દી લશ્કરી છાવણીની સીમા દિવાલ સાથે વિસ્ફોટકો ભરેલું વાહન અથડાવ્યું હતું, અને બે અન્ય હુમલાખોરોએ છાવણી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને ભગાડવામાં આવ્યા હતા.તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેના આત્મઘાતી એકમ, ખાલિદ બિન વલીદ અને તહરીક તાલિબાન ગુલબહાદુરે આ હુમલાઓ કર્યા હતા.

એક દિવસ પહેલા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે તેઓ તાલિબાન સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે તેઓ કેટલીક શરતો પર સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છે છે અને તે અફઘાનિસ્તાનના હાથમાં છે. જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ, શાહબાઝ શરીફે ગુરુવારે ફેડરલ કેબિનેટની બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કાયમી યુદ્ધવિરામ ઇચ્છે છે કે નહીં તે તાલિબાને નક્કી કરવાનું છે. જોકે, બેઠક દરમિયાન, શરીફે તેમના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના નિવેદનને ફરી દોહરાવ્યુ હતું કે તાલિબાને ભારતના ઇશારે પાકિસ્તાન પર હુમલાઓ કર્યા છે.

જોકે,તેઓએ આ આરોપોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યા વિનાજ નિવેદન કરતા પાકિસ્તાની વડા પ્રધાને કહ્યું કે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલી તાલિબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે હતા.જ્યારે હકિકતતો એ છે કે પાકિસ્તાને કાબુલમાં બે હવાઈ હુમલા કર્યા પછીજ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને ત્યારબાદ તાલિબાન દ્વારા “બદલો” લેવા વળતો હુમલો કરવામાં આવ્યો હતો.પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાન TTP (તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન) આતંકવાદીઓને આશ્રય આપે છે,આ દાવાને તાલિબાન નકારે છે. 2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાન સાથેના સંબંધો વણસ્યા છે.

આ પણ વાંચો:

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!
  • November 16, 2025

Fastag New Rule : કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર ટોલ ટેક્સ ચુકવણી સંબંધિત નિયમો બદલી નાખતા નિયમોની જેને ખબર નથી તેવા વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર રોકડમાં બમણો ટોલ ચૂકવવો…

Continue reading
Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા
  • November 16, 2025

Bihar Election Result 2025:બિહારમાં NDAની જીત બાદ, મંત્રીમંડળની રચના અને ઘટક પક્ષોના હિસ્સેદારી માટે ફોર્મ્યુલાને અંતિમરૂપ આપી દેવાયું છે અને આવતી કાલે સોમવારે તા.17 નવેમ્બરના રોજ JDU વિધાનસભા પક્ષની બેઠક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

  • November 16, 2025
  • 5 views
Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

  • November 16, 2025
  • 15 views
Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના, ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

  • November 16, 2025
  • 8 views
Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના,  ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

  • November 16, 2025
  • 17 views
Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું

  • November 16, 2025
  • 12 views
IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું

RCB New Controversy: IPL 2026 ની હરાજી પહેલા RCB નવા વિવાદમાં ફસાયું, વિરાટ કોહલીને પણ જવાબ આપવો બનશે મુશ્કેલ!

  • November 16, 2025
  • 25 views
RCB New Controversy: IPL 2026 ની હરાજી પહેલા RCB નવા વિવાદમાં ફસાયું, વિરાટ કોહલીને પણ જવાબ આપવો બનશે મુશ્કેલ!