Pakistan Afghanistan Conflict: પાકિસ્તાને મંત્રણા પહેલાં જ અફઘાનિસ્તાન ઉપર ફરી એર સ્ટાઈક કરતા ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડીઓ સહિત 10 લોકોના મોત

  • India
  • October 18, 2025
  • 0 Comments

Pakistan Afghanistan Conflict:  પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે.શુક્રવારે, બંને દેશોએ પરસ્પર 48 કલાકના યુદ્ધવિરામને લંબાવવા સંમતિ આપ્યા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરવાનો તાલિબાને આરોપ લગાવ્યો છે.

તાલિબાનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ડ્યુરન્ડ રેખા પર પક્તિકા પ્રાંતના અનેક જિલ્લાઓમાં હવાઈ હુમલા કર્યા હતા.આ કાર્યવાહી ત્યારે થઈ છે જ્યારે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે દોહામાં શાંતિ વાટાઘાટોની તૈયારીઓ ચાલી રહી છે પણ તે પહેલાં જ પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ટોલોન્યૂઝે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન સરહદ પર સ્થિત અફઘાનિસ્તાનના અર્ગુન અને બર્મલ જિલ્લામાં હવાઈ હુમલામાં અનેક ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલામાં ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડીઓ સહિત 10 લોકો માર્યા ગયા હતા, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ પુષ્ટિ આપી હતી,આ હુમલામાં સાત નાગરિકો ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ ACBએ નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી ટ્રાઇ-T20 સીરિઝમાંથી ખસી જવાની જાહેરાત કરી છે.ACB એ જણાવ્યું કે શહીદોના સન્માનમાં આ પગલું લેવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાના હતા.દરમિયાન, ત્રણ પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ અને અફઘાન તાલિબાનના એક સૂત્રએ નામ ન આપવાની શરતે રોઇટર્સને જણાવ્યું હતું કે દોહા શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ કતારની રાજધાની પહોંચી ચૂક્યુ હતું જ્યારે અફઘાન પ્રતિનિધિમંડળ આજે શનિવારે દોહા પહોંચે તે પહેલાજ પાકિસ્તાને એર સ્ટ્રાઈક કરી માહોલ બગાડી નાખ્યો છે.

મહત્વનું છે કે તા.૧૫ ઓક્ટોબરના રોજ પાકિસ્તાની અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે સરહદ પર થયેલા જંગમાં પહેલા દિવસે બંને પક્ષોના ડઝનબંધ સૈનિકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સૈન્યની વિનંતી પર ૪૮ કલાકનો યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હતો.

બંને પક્ષોએ એકબીજા પર ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો હતો.પાકિસ્તાને દાવો કર્યો હતો કે સરહદ પર ગોળીબારમાં કેટલાક તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા, જ્યારે તાલિબાને ૫૮ પાકિસ્તાની સૈનિકોના મોત અને અનેક પાકિસ્તાની ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો હતો.સિઝ ફાયર ગઈકાલે શુક્રવારે ઉત્તર વઝીરિસ્તાનમાં એક લશ્કરી છાવણી પર થયેલા આત્મઘાતી હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને 13 અન્ય ઘાયલ થયા હતા.આ હુમલો દોહામાં ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચે શાંતિ મંત્રણાના કલાકો પહેલા થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક આતંકવાદીએ મીર અલીમાં ખદ્દી લશ્કરી છાવણીની સીમા દિવાલ સાથે વિસ્ફોટકો ભરેલું વાહન અથડાવ્યું હતું, અને બે અન્ય હુમલાખોરોએ છાવણી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને ભગાડવામાં આવ્યા હતા.તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેના આત્મઘાતી એકમ, ખાલિદ બિન વલીદ અને તહરીક તાલિબાન ગુલબહાદુરે આ હુમલાઓ કર્યા હતા.

એક દિવસ પહેલા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે તેઓ તાલિબાન સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે તેઓ કેટલીક શરતો પર સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છે છે અને તે અફઘાનિસ્તાનના હાથમાં છે. જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ, શાહબાઝ શરીફે ગુરુવારે ફેડરલ કેબિનેટની બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કાયમી યુદ્ધવિરામ ઇચ્છે છે કે નહીં તે તાલિબાને નક્કી કરવાનું છે. જોકે, બેઠક દરમિયાન, શરીફે તેમના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના નિવેદનને ફરી દોહરાવ્યુ હતું કે તાલિબાને ભારતના ઇશારે પાકિસ્તાન પર હુમલાઓ કર્યા છે.

જોકે,તેઓએ આ આરોપોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યા વિનાજ નિવેદન કરતા પાકિસ્તાની વડા પ્રધાને કહ્યું કે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલી તાલિબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે હતા.જ્યારે હકિકતતો એ છે કે પાકિસ્તાને કાબુલમાં બે હવાઈ હુમલા કર્યા પછીજ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને ત્યારબાદ તાલિબાન દ્વારા “બદલો” લેવા વળતો હુમલો કરવામાં આવ્યો હતો.પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાન TTP (તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન) આતંકવાદીઓને આશ્રય આપે છે,આ દાવાને તાલિબાન નકારે છે. 2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાન સાથેના સંબંધો વણસ્યા છે.

આ પણ વાંચો:

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો
  • February 4, 2026

Narendra Modi: અમેરિકાએ ભારતને ટેરિફ રાહત આપી છે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારત પર ૫૦% ટેરિફ માંથી ઘટાડીને ૧૮% કર્યો છે,ઉલ્લેખનીય છે કે યુએસ કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામ પણ ભારત સામે ૫૦૦%…

Continue reading
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kandla Salt Flats: ભાજપના રાજમાં કતલખાનાનો વિકાસ! પશુઓની નિર્મમ હત્યા માટે ભાજપના ઈરાદા સામે આવ્યા! જુઓ વિશેષ અહેવાલ

  • February 7, 2026
  • 2 views
Kandla Salt Flats: ભાજપના રાજમાં કતલખાનાનો વિકાસ! પશુઓની નિર્મમ હત્યા માટે ભાજપના ઈરાદા સામે આવ્યા! જુઓ વિશેષ અહેવાલ

Donald Trump: ટ્રમ્પ ભારતીયોને બંધક બનાવી દેશ નિકાલ કેમ કરી રહયા છે?

  • February 7, 2026
  • 4 views
Donald Trump: ટ્રમ્પ ભારતીયોને બંધક બનાવી દેશ નિકાલ કેમ કરી રહયા છે?

Rahul Gandhi: “જો ઉચિત સમજો વો કરે” શુક્રવારે આ સૂત્ર સમગ્ર સંસદ ભવન સંકુલમાં ગુંજ્યું રહ્યું. કોંગ્રેસના સાંસદો તેને વારંવાર કહેતા રહ્યા.

  • February 7, 2026
  • 3 views
Rahul Gandhi: “જો ઉચિત સમજો વો કરે” શુક્રવારે આ સૂત્ર સમગ્ર સંસદ ભવન સંકુલમાં ગુંજ્યું રહ્યું. કોંગ્રેસના સાંસદો તેને વારંવાર કહેતા રહ્યા.

Donald Trump: અમેરિકા-ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરશે! ઈરાન છોડી દેવા અમેરિકનોને ટ્રમ્પનું અલ્ટીમેટમ

  • February 7, 2026
  • 4 views
Donald Trump: અમેરિકા-ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરશે! ઈરાન છોડી દેવા અમેરિકનોને ટ્રમ્પનું અલ્ટીમેટમ

Kandla salt flats: કચ્છના 5 હજાર હેક્ટરમાં ભ્રષ્ટાચારનો ખેલ કરનારા કોણ?જુઓ વિડીયો

  • February 7, 2026
  • 3 views
Kandla salt flats: કચ્છના 5 હજાર હેક્ટરમાં ભ્રષ્ટાચારનો ખેલ કરનારા કોણ?જુઓ વિડીયો

Donald Trump: અમેરિકાનો પરમાણુ સંધિનો આવ્યો અંત, શું રશિયાનું વર્ચસ્વ ઘટશે?

  • February 6, 2026
  • 5 views
Donald Trump: અમેરિકાનો પરમાણુ સંધિનો આવ્યો અંત, શું રશિયાનું વર્ચસ્વ ઘટશે?