Dhanteras 2025:  આજે ધનતેરસના દિવસે આ ખાસ ઉપાય કરવાથી શનિની પનોતીમાંથી મળશે છુટકારો,ફટાફટ આટલું કરો

  • India
  • October 18, 2025
  • 0 Comments

Dhanteras 2025:  આજે ધન તેરસનું પર્વ પણ છે અને આજે યોગાનુયોગ ભગવાન શનિનો શનિવાર પણ છે,ભગવાન શનિ ન્યાયના દેવતા માનવામાં આવે છે,હાલમાં પાંચ રાશિઓ ઉપર શનિની પનોતીનો પ્રભાવ ચાલુ છે. જેઓ નાણાકીય, શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો જીવનમાં સામનો કરી રહયા છે તેમના કામમાં અવરોધો આવી રહયા છે, પૈસા મળતા નથી અને અકસ્માતો અને બીમારીની શક્યતાઓ રહે છે. જીવનમાં પડકારોનો સામનો કરવો પડે છે. એકંદરે સાડા સાતી પનોતી જીવનમાં ઉથલપાથલ લાવે છે.

આપને જણાવી દઈએ કે હાલમાં, શનિ મીન રાશિમાં વક્રી છે અને આજે ધનતેરસ 18 ઓક્ટોબર, શનિવારના રોજ છે.આવી સ્થિતિમાં, શનિના દુ:ખોથી મુક્તિ મેળવવાનો આ એક સુવર્ણ અવસર માનવામાં આવી રહ્યો છે.

હાલમાં કુંભ, મીન અને મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતી અને સિંહ અને ધન રાશિના જાતકો પણ શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ જાતકોએ શનિના પ્રકોપથી રાહત મેળવવા માટે આજે તા. 18 ઑક્ટોબરે ધનતેરસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના નકારાત્મક પ્રભાવો ઓછા થઈ શકે છે.

આજે ધનતેરસના દિવસે આવા જાતકોએ ભગવાન શનિ મંદિરમાં જઈ દર્શન કરી સરસવના તેલનો દીવો પ્રગટાવો.પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવી શકાય તેનાથી શનિના નકારાત્મક પ્રભાવો દૂર થાય છે. કામ થવા લાગે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

આ સિવાય અસહાય, ગરીબની શક્ય મદદ અને સેવા ઉપરાંત મૂંગા પશુ-પક્ષી-પ્રાણીઓને ભોજન-પાણી-દાણા આપો અને તેમની સેવા કરો. ગાય, કાગડા અને કૂતરાઓને રોટલી ખવડાવો. ગરીબને ભોજન કરાવો. અસહાય લોકોની મદદ કરવાથી પણ ભગવાન શનિની કૃપા થાય છે.

ધનતેરસના આજના દિવસે પ્રદોષ કાળમાં સૂર્યાસ્ત બાદ શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ તેનાથી શનિના નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
આજના દિવસે પનોતી ધરાવતા જાતકોએ સરસવનું તેલ, તલ, લોખંડ, અડદ દાળ વગેરેનું દાન કરવાથી પણ શનિ દેવની કૃપા બની રહે છે અને જીવનમાં આવતા કષ્ટ ઓછા થાય છે અને અવરોધ આવતા નથી.

આ પણ વાંચો:

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!