India-Pakistan: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ NSA અજિત ડોભાલ સાથે કરી વાત, જાણો શું ચર્ચા થઈ ?

  • India
  • May 11, 2025
  • 0 Comments

India-Pakistan Cea  ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. ગઈ કાલે યુદ્ધ વિરામની સત્તાવાર જાહેરાત થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન સરકારે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ માટે સંમતિ આપી અને રાત્રિ સુધીમાં પાકિસ્તાને ડ્રોન હુમલો શરૂ કર્યો હતો. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અજિત ડોભાલને ફોન કરીને વાત કરી. ડોભાલે ચીનને પહેલગામ આતંકવાદી હુમલા વિશે માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારત યુદ્ધ ઇચ્છતું નથી.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ NSA અજિત ડોભાલ સાથે કરી વાત

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ફોન પર વાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “ડોભાલે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. ભારતે આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવાની જરૂર છે. યુદ્ધ ભારતની પસંદગી નથી. તે કોઈપણ પક્ષના હિતમાં નથી. ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ રહેશે અને શક્ય તેટલી વહેલી તકે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની આશા રાખશે.”

ભારત અને પાકિસ્તાન બંને ચીનના પડોશી

વાતચીત દરમિયાન વાંગ યીએ કહ્યું કે ચીન પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરે છે. આતંકવાદના તમામ સ્વરૂપોનો વિરોધ કરે છે. એશિયન ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવી જોઈએ. ભારત અને પાકિસ્તાન એવા પડોશી દેશો છે જેમને અલગ કરી શકાતા નથી અને બંને ચીનના પડોશી છે. તેમણે કહ્યું કે ભારત યુદ્ધના પક્ષમાં નથી. આ સારી વાત છે. ચીનને આશા છે કે ભારત અને પાકિસ્તાન શાંતિ અને સંયમ જાળવી રાખશે. ચીન વાટાઘાટો દ્વારા વ્યાપક અને સ્થાયી યુદ્ધવિરામ પ્રાપ્ત કરવામાં ભારત અને પાકિસ્તાનને સમર્થન આપે છે.

ચીને પાકિસ્તાનને શું કહ્યું?

ચીનના વિદેશ કાર્યાલયના એક નિવેદન અનુસાર, ચીનના વિદેશ મંત્રીએ નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે ટેલિફોન પર વાતચીત કરી. વાટાઘાટો દરમિયાન, ડારે વાંગ યીને ઉભરતી પ્રાદેશિક પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી ત્યારે વાંગ યીએ પડકારજનક પરિસ્થિતિઓમાં પાકિસ્તાનના સંયમ અને જવાબદાર વલણની પ્રશંસા કરી હતી અને તેઓએ પુષ્ટિ આપી કે ચીન, પાકિસ્તાનના સર્વકાલીન વ્યૂહાત્મક સહકારી ભાગીદાર અને અડગ મિત્ર તરીકે તેની પાકિસ્તાન સાથે મજબૂત રીતે ઊભું રહેશે, આ ઉપરાંત, ડારે યુએઈના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ સાથે પણ વાત કરી, જેમણે પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધવિરામને આવકાર્યો હતો.

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
  • May 5, 2026

Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

Continue reading
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”
  • May 5, 2026

Gaurav Gogoi Congress: અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અસમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની સંપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત