
India Pakistan Ceasefire on Modi Speech: ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે હાથ ધરેલી કાર્યવાહી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોકાવી દીધી હતી. ટ્રમ્પે છાતી કાઢી કહ્યું યુધ્ધ મેં રોકાવ્યું છે. જો ના રોકાયું હોત તો ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર બંધ કરી દેત. તેના પર મોદી એક પણ શબ્દ બોલ્યા નથી. બીજી બાજુ પાકિસ્તાન વિજયોત્સવ મનાવી રહ્યું છે. વિદેશી મિડિયાઓમાં ચર્ચા થઈ રહી છે કે પાકિસ્તાને ભારત પર દબાણ લાવી સીઝ ફાયર કરાવ્યું. ત્યારે ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે પહેલગામ હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રધ્ધાજંલી પણ ન આપી.
મોદીએ સીઝ ફાયર ભારત તરફથી કેમ કરવામાં આવ્યું તે અંગે કોઈ જવાબ ન આપ્યો. થર્ડ પાર્ટી ટ્રમ્પ વિશે પણ કંઈ જ બોલ્યા નહીં. માત્ર ભારત માતા કી જય કહીને સંબોધન પૂર્ણ કરી દીધુ.
ત્યારે મોદીનું આ ભાષણ ઊંચી દુકાન ફીકા પકવાન જેવું સાબિત થયું છે. મોદી માત્ર મોટી મોટી વાત જ કરી. જ્યારે દેશની સેનામાં જુસ્સામાં આવી ત્યારે મોદી પાણીમાં બેસી ગયા. ભારતે કરેલા સીઝ ફાયર જવાબ ન આપી મોદીએ દેશનું નાક કપાવ્યું છે.
દેશની સેનાનો જુસ્સો ઓછો કરનાર મોદી થર્ડ પાર્ટીએ કરેલા યુધ્ધવિરામ સંઘર્ષ અંગે એકપણ શબ્દ ઉચ્ચાર્યો નથી. તેમણે કહ્યું હતુ કે હવે પાકિસ્તાન સાથે વાતીચીત નહીં થાય તેમ છતાં પાકિસ્તાનના દબાણમાં આવી વાત કરવા તૈયાર થવું પડ્યું હતુ.
સંબંધનથી એવું લાગે છે કે મોદીએ તેમના ભક્તો અને દેશના નાગરિકો સાથે દગો કર્યો છે. ભાઈ-પતિ ગુમાવનાર બહેનોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. સિંદૂરની કિંમત તેમને સમજાઈ નથી.
ત્યારે લોકો પૂછી રહ્યા છે કે શું ભારતે પાકિસ્તાન સાથે બદલો લઈ લીધો? ભારતે કઈ શરતો પર સંઘર્ષવિરામ કર્યો?, શું 26 લોકોના મોતનો બદલો લેવાઈ ગયો છે ખરો? કારણ કે આજદિન સુધી એકપણ પહેલગામ હુમલાનો આતંકી ઝડપાયો નથી. સરકારે આતંકીઓને શોધવા લાખોનું ઈનામ જાહેર કરવું પછે. ત્યારે સવાલ એ થાય છે કે સરકાર કેમ આતંકીઓ શોધી શકતી નથી? શું મૃતકોને મોદી પાસેથી ન્યાય મળી ગયો?, જુઓ આ જ મુદ્દે વધુ ચર્ચા વિડિયોમાં.
આ પણ વાંચોઃ
BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?
Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી
Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?
ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor
Amreli Madrasa Demolition: પાકિસ્તાન કનેક્શનના આરોપમાં ઝડપાયેલા મૌલાનાની મદરેસા તોડી પડાઈ
ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor
ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? | Monsoon
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
