Trump Nobel Peace Prize: ‘હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે’ ટ્રમ્પને જોઈએ છે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’

  • World
  • June 21, 2025
  • 0 Comments

Trump Nobel Peace Prize: પાકિસ્તાન દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ પાકિસ્તાન દ્વારા ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવે તે પાકિસ્તાનની યુક્તિ ગણાવાઈ રહી છે, કારણ કે ટ્રમ્પ ઇચ્છે છે કે આ પુરસ્કાર કોઈપણ કિંમતે તેમને મળે. ટ્ર્મ્પ આ પુરસ્કાર મેળવવા માટે એટલા ઉતાવળા બન્યા છે કે, તેમને ખુલીને આ પુરસ્કાર માટેની માંગ કરી દીધી છે. ટ્રમ્પ પોતાને મહાન તો ગણાવે જ છે તેમને 15 વખત દાવો કર્યોછે કે, તેઓએ ભારત- પાકિસ્તાન સંઘર્ષને અટકાવ્યો છે. પરંતુ ભારત સરકાર તરફથી તેમને જડબાતોડ જવાબ આપવામા આવ્યો નથી તેવામાં હવે તો ટ્રમ્પે નોબેલ પુરસ્કારની માંગણી પર કરી દીધી છે.

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર જોઈએ છે!

પાકિસ્તાને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ પ્રસ્તાવિત કર્યું છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે તાજેતરના ભારત-પાકિસ્તાન કટોકટી દરમિયાન તેમના નિર્ણાયક રાજદ્વારી હસ્તક્ષેપ અને મહત્વપૂર્ણ નેતૃત્વને ધ્યાનમાં રાખીને, નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ પ્રસ્તાવિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ટ્રમ્પ માને છે કે તેઓ ગમે તે કરે, તેમને આ પુરસ્કાર મળશે નહીં. ફક્ત પાકિસ્તાન જ નહીં, ટ્રમ્પ પોતે પણ આ પુરસ્કાર મેળવવા માંગે છે. ટ્રમ્પ કહે છે કે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. ટ્રુથ સોશિયલ પર નોબેલ પુરસ્કારની ઇચ્છા વ્યક્ત કરતા તેમણે લખ્યું કે તેમણે વિશ્વમાં શાંતિ લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેમ છતાં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે.

Trump Nobel Peace Prize:

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં શું લખ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર એક પોસ્ટ લખી. આમાં તેમણે લખ્યું કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રિપબ્લિક ઓફ રવાન્ડા વચ્ચે સંધિ કરવા બદલ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા બદલ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધને રોકવા બદલ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચે શાંતિ સ્થાપિત કરવા બદલ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. મધ્ય પૂર્વમાં અબ્રાહમ કરાર કરવા બદલ મને નોબેલ પુરસ્કાર નહીં મળે. ના, હું ગમે તે કરું તો પણ મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, હું રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં યુદ્ધવિરામ લાવી શકું છું અને લોકો પણ જાણે છે કે તે કોના કારણે થશે અને આ મારા માટે મહત્વનું છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે પોતાની પોસ્ટમાં 6 વખત નોબેલ પુરસ્કાર શબ્દનો ઉપયોગ કર્યો છે.  જેથી સ્પષ્ટ થાય છે કે, ટ્રમ્પને નોબેલ પુરસ્કારની કેટલી ઝંખના છે ટ્રમ્પ વારંવાર દુનિયાની સામે ભારત-પાકિસ્ચાન વચ્ચે સિઝફાયરનો દાવો કરે છે.  પરંતુ ભાજપ સરકાર તરફથી આ દાવાઓનો યોગ્ય જવાબ આપવામા આવતો નથી ત્યારે હવે શું મોદી ટ્રમ્પની આ ઈચ્છા પુરી કરશે ?

આ પણ વાંચો:

chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી

શું Sonam Raghuvanshi છે? રાજા રઘુવંશીની માતાએ કહ્યું- જ્યોતિષીએ અત્યાર સુધી જે કહ્યું તે બધું સાચું પડ્યું

Maharashtra Old Couple Viral Video: 1100 રુપિયા લઈને આવેલ વૃદ્ધ દંપતિને સોનીએ 20 રુપિયામાં જ આપી દીધું મંગળસૂત્ર

બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી

વિદેશ જતા મુસાફરોને ઝટકો, Air India એ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ રદ કરી

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ, જાણો મેચ કેટલા વાગે શરુ થશે?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Israel Iran War: ઈરાને ફરી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, માઇક્રોસોફ્ટ બિલ્ડિંગ પાસે વિસ્ફોટ

  • Related Posts

    Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો
    • June 29, 2026

    Adani US Case Withdrawal: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકી ન્યાય વિભાગ (DOJ) દ્વારા દાખલ કરવામાં આવેલો ફોજદારી કેસ પાછો ખેંચવાની હિલચાલ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. આ મામલો…

    Continue reading
    Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ
    • June 29, 2026

    Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશના ગેબન્ધા જિલ્લામાં ભગવાન રામની એક 81 ફૂટ ઊંચી પ્રતિમા નિર્માણના મુદ્દાએ પડોશી દેશના સામાજિક તાણાવાણાને હચમચાવી દીધા છે. પલાશબાડીના મધ્યરામપુર ગામમાં મંદિર કોમ્પ્લેક્સની અંદર આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

    • June 30, 2026
    • 2 views
    SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

    IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

    • June 30, 2026
    • 5 views
    IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

    Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

    • June 30, 2026
    • 6 views
    Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

    Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

    • June 30, 2026
    • 8 views
    Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

    Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

    • June 30, 2026
    • 4 views
    Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

    Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

    • June 30, 2026
    • 10 views
    Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!