India Pakistan War:પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો કર્યો પ્રયાસ , ભારતે પાકના નાપાક ઈદારાને નિષ્ફળ બનાવ્યો

  • India
  • May 8, 2025
  • 0 Comments

India Pakistan War: ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ  પાકિસ્તાન (Pakistan) સતત ભારતને (India) નુકસાન પહોંચાડવાના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે પાકિસ્તાને પોતાની હોશિયારી બતાવતા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અવંતિપોરાથી ભુજ સુધીના ભારતીય સેનાના લશ્કરી ઠેકાણાઓ પર અનેક ડ્રોન અને મિસાઇલો છોડ્યા હતા. જોકે, ભારતીય સશસ્ત્ર દળોએ તેમની એન્ટિ-યુએવી (ડ્રોન) સિસ્ટમની મદદથી આ બધા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા છે.

પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલો છોડ્યા

7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ બ્રીફિંગમાં, ભારતે તેની કાર્યવાહીને કેન્દ્રિત, સંતુલિત અને બિન-ઉશ્કેરણીજનક ગણાવી હતી. એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે. આ છતાં, પાકિસ્તાન હાર માન્યું નહીં અને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાને આ સ્થળો પર હુમલો કર્યો

7-8 મેની રાત્રે, પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લશ્કરી થાણાઓ પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો. ભારતીય સેનાએ ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. હુમલાનો કાટમાળ ઘણી જગ્યાએથી મળી આવ્યો હતો, જે પાકિસ્તાની હુમલાનો પુરાવો છે.

સંરક્ષણ મંત્રાલયે માહિતી જાહેર કરી

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં જણાવાયું છે કે 7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી. આ પછી, આપણી સરહદો પર S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની તૈનાતીએ આ બધા હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા અને પાકિસ્તાનના આ નાપાક કૃત્યને નિષ્ફળ બનાવ્યું.

પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ થયો

ગુરુવારે, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતે આ જ વિસ્તારોમાં પાકિસ્તાનને તીવ્રતાથી જવાબ આપ્યો છે. પાકિસ્તાનના લાહોરમાં ભારતની કાર્યવાહીમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Operation Sindoor: ઓપરેશન સિંદૂર મુદ્દે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના નેતૃત્વમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ, રાજનાથ સિંહે કહ્યું- ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું

Firing at LOC: ઓપરેશન સિંદૂરથી બોખલાયેલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારોમાં કર્યો ગોળીબાર, 1 જવાન શહીદ

GSEB 10th SSC Results 2025: ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરી શકશે પોતાનું રિઝલ્ટ

Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ


  • Related Posts

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
    • September 16, 2026

    Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

    Continue reading
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
    • September 16, 2026

    Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 9 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત