Election Commission: રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપોના ચૂંટણી પંચે કેવા જવાબ આપ્યા?

  • India
  • August 17, 2025
  • 0 Comments

Election Commission Response: આજે રવિવારે ચૂંટણી પંચે વિપક્ષના ‘મત ચોરી’ના આરોપો પર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા અને ‘મત ચોરી’ના આરોપો પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે અમારા માટે કોઈ શાસક પક્ષ નથી, કોઈ વિપક્ષ નથી, પરંતુ બધા સમાન છે. જો કે ચૂંટણી પંચે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેવી વાતો કરી છે. સીધી રીતે જવાબ આપ્યા નથી.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, “અમે થોડા દિવસો પહેલા જોયું હતું કે ઘણા મતદારોની પરવાનગી વિના તેમના ફોટા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમની સામે આરોપો લગાવવામાં આવ્યા હતા, તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શું ચૂંટણી પંચે કોઈપણ મતદારના CCTV વીડિયો શેર કરવા જોઈએ, પછી ભલે તે તેમની માતા હોય, પુત્રવધૂ હોય કે પુત્રી હોય? જે લોકોના નામ મતદાર યાદીમાં છે તેમણે જ પોતાના ઉમેદવારને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.”

“આ ભારતના બંધારણનું અપમાન નથી, તો શું છે?”

જ્ઞાનેશ કુમારે વધુમાં કહ્યું, “જો મતદાર યાદીમાં રહેલી ભૂલો કાયદા મુજબ સમયસર શેર કરવામાં ન આવે, મતદાર પોતાના ઉમેદવારને પસંદ કર્યાના 45 દિવસની અંદર હાઇકોર્ટમાં અરજી દાખલ ન કરે, અને પછી મત ચોરી જેવા ખોટા શબ્દોનો ઉપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે, તો આ ભારતના બંધારણનું અપમાન નથી તો બીજું શું છે?” તેમણે વધુમાં કહ્યું કે મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવામાં આવી છે, જે તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન છે. જોકે સવાલ એ પણ છે કે ચૂંટણી પંચ ગોપનીયતાનું ઉલ્લન કહે છે તો ચૂંટણી ટાણે તો ટેબલ લઈ લઈને મતદારોને શોધવામાં આવે છે. ત્યારે ગોપનીયતા ક્યા જાય છે?

22 લાખ મતદારો અચાનક કેવી રીતે મૃત્યુ પામ્યા?

ચૂંટણી કમિશનરે કહ્યું કે દર વર્ષે મતદાર યાદી અપડેટ કરવામાં આવે છે, પરંતુ પછી ફોર્મ દરેક ઘરે મોકલવામાં આવતા નથી. આવી સ્થિતિમાં BLO ને કોઈપણ વ્યક્તિના મૃત્યુની માહિતી મળતી નથી અને તે વ્યક્તિનું નામ તેના મૃત્યુ પછી પણ મતદાર યાદીમાં રહે છે. SIR માં, દરેકના ઘરે ફોર્મ મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં સાચા આંકડા બહાર આવે છે. આને કારણે 22 લાખ મૃતકોની માહિતી મળી હતી. તેઓ પહેલા મૃત્યુ પામ્યા હતા, પરંતુ હવે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે રાહુલ ગાંધીને શું કહ્યું?

ચૂંટણી પંચે રાહુલ ગાંધીને કડક સંદેશ આપ્યો છે કે જો તેઓ 7 દિવસમાં સોગંદનામું નહીં આપે તો આ આરોપો ખોટા માનવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે રાહુલ ગાંધી કાં તો સોગંદનામું આપે અથવા માફી માંગે, ત્રીજો કોઈ વિકલ્પ નથી.

મતદાન મથકના CCTV અંગે રાહુલનો આરોપ

હકીકતમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે મતદાન મથકોના CCTV અને વીડિયો પુરાવા ભૂંસી નાખવામાં આવી રહ્યા છે. તેમણે પૂછ્યું હતું કે, “વિપક્ષને ડિજિટલ મતદાર યાદી કેમ નથી મળી રહી?, આ શા માટે થઈ રહ્યું છે અને કોના આદેશ પર? મતદાર યાદીમાં નકલી મતદાન અને હેરાફેરી કેમ કરવામાં આવી? વિપક્ષી નેતાઓને શા માટે ડરાવવામાં આવી રહ્યા છે અને ધમકાવવામાં આવી રહ્યા છે? મને સ્પષ્ટપણે કહો, શું ચૂંટણી પંચ હવે ભાજપનું એજન્ટ બની ગયું છે?”

અગાઉ, રાહુલ ગાંધીના આ આરોપો પર ચૂંટણી પંચે કહ્યું હતું કે, “એક લાખ મતદાન મથકોના CCTV ફૂટેજની સમીક્ષા કરવામાં એક લાખ દિવસ એટલે કે 273 વર્ષ લાગશે, જેના કોઈ કાનૂની પરિણામો નથી. જો કે ચૂંટણી પંચની આ પ્રેસ કોન્ફર્ન્સથી એવું લાગે છે કે તે ગોળ ગોળ જવાબ આપી રહ્યું છે. સીધો જવાબ આપી રહ્યું નથી. તેનો તે સતત બચાવ કરી રહ્યું છે.

આ પણ વાંચો:

Delhi: ‘નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી લોકોને મોદીની રેલીમાં લઈ જવાયા’, વીડિયો વાયરલ

Bihar: જીવિત માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો, જાણો પછી શું થયું?

Voter Adhikar Yatra:રાહુલ-મોદીના કાર્યક્રમોમાં જોઈલો અસમાનતા, તંત્રએ બુલેટ બાઇકની લાઇટ્સથી હેલિપેડ કેમ બનાવવું પડ્યું?

Surendranagar: બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષના ધાબા પરથી શંકાસ્પદ હાલતમાં મળી મહિલાની લાશ, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”