Election Commission: રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપોના ચૂંટણી પંચે કેવા જવાબ આપ્યા?

  • India
  • August 17, 2025
  • 0 Comments

Election Commission Response: આજે રવિવારે ચૂંટણી પંચે વિપક્ષના ‘મત ચોરી’ના આરોપો પર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા અને ‘મત ચોરી’ના આરોપો પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે અમારા માટે કોઈ શાસક પક્ષ નથી, કોઈ વિપક્ષ નથી, પરંતુ બધા સમાન છે. જો કે ચૂંટણી પંચે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેવી વાતો કરી છે. સીધી રીતે જવાબ આપ્યા નથી.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, “અમે થોડા દિવસો પહેલા જોયું હતું કે ઘણા મતદારોની પરવાનગી વિના તેમના ફોટા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમની સામે આરોપો લગાવવામાં આવ્યા હતા, તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શું ચૂંટણી પંચે કોઈપણ મતદારના CCTV વીડિયો શેર કરવા જોઈએ, પછી ભલે તે તેમની માતા હોય, પુત્રવધૂ હોય કે પુત્રી હોય? જે લોકોના નામ મતદાર યાદીમાં છે તેમણે જ પોતાના ઉમેદવારને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.”

“આ ભારતના બંધારણનું અપમાન નથી, તો શું છે?”

જ્ઞાનેશ કુમારે વધુમાં કહ્યું, “જો મતદાર યાદીમાં રહેલી ભૂલો કાયદા મુજબ સમયસર શેર કરવામાં ન આવે, મતદાર પોતાના ઉમેદવારને પસંદ કર્યાના 45 દિવસની અંદર હાઇકોર્ટમાં અરજી દાખલ ન કરે, અને પછી મત ચોરી જેવા ખોટા શબ્દોનો ઉપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે, તો આ ભારતના બંધારણનું અપમાન નથી તો બીજું શું છે?” તેમણે વધુમાં કહ્યું કે મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવામાં આવી છે, જે તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન છે. જોકે સવાલ એ પણ છે કે ચૂંટણી પંચ ગોપનીયતાનું ઉલ્લન કહે છે તો ચૂંટણી ટાણે તો ટેબલ લઈ લઈને મતદારોને શોધવામાં આવે છે. ત્યારે ગોપનીયતા ક્યા જાય છે?

22 લાખ મતદારો અચાનક કેવી રીતે મૃત્યુ પામ્યા?

ચૂંટણી કમિશનરે કહ્યું કે દર વર્ષે મતદાર યાદી અપડેટ કરવામાં આવે છે, પરંતુ પછી ફોર્મ દરેક ઘરે મોકલવામાં આવતા નથી. આવી સ્થિતિમાં BLO ને કોઈપણ વ્યક્તિના મૃત્યુની માહિતી મળતી નથી અને તે વ્યક્તિનું નામ તેના મૃત્યુ પછી પણ મતદાર યાદીમાં રહે છે. SIR માં, દરેકના ઘરે ફોર્મ મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં સાચા આંકડા બહાર આવે છે. આને કારણે 22 લાખ મૃતકોની માહિતી મળી હતી. તેઓ પહેલા મૃત્યુ પામ્યા હતા, પરંતુ હવે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે રાહુલ ગાંધીને શું કહ્યું?

ચૂંટણી પંચે રાહુલ ગાંધીને કડક સંદેશ આપ્યો છે કે જો તેઓ 7 દિવસમાં સોગંદનામું નહીં આપે તો આ આરોપો ખોટા માનવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે રાહુલ ગાંધી કાં તો સોગંદનામું આપે અથવા માફી માંગે, ત્રીજો કોઈ વિકલ્પ નથી.

મતદાન મથકના CCTV અંગે રાહુલનો આરોપ

હકીકતમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે મતદાન મથકોના CCTV અને વીડિયો પુરાવા ભૂંસી નાખવામાં આવી રહ્યા છે. તેમણે પૂછ્યું હતું કે, “વિપક્ષને ડિજિટલ મતદાર યાદી કેમ નથી મળી રહી?, આ શા માટે થઈ રહ્યું છે અને કોના આદેશ પર? મતદાર યાદીમાં નકલી મતદાન અને હેરાફેરી કેમ કરવામાં આવી? વિપક્ષી નેતાઓને શા માટે ડરાવવામાં આવી રહ્યા છે અને ધમકાવવામાં આવી રહ્યા છે? મને સ્પષ્ટપણે કહો, શું ચૂંટણી પંચ હવે ભાજપનું એજન્ટ બની ગયું છે?”

અગાઉ, રાહુલ ગાંધીના આ આરોપો પર ચૂંટણી પંચે કહ્યું હતું કે, “એક લાખ મતદાન મથકોના CCTV ફૂટેજની સમીક્ષા કરવામાં એક લાખ દિવસ એટલે કે 273 વર્ષ લાગશે, જેના કોઈ કાનૂની પરિણામો નથી. જો કે ચૂંટણી પંચની આ પ્રેસ કોન્ફર્ન્સથી એવું લાગે છે કે તે ગોળ ગોળ જવાબ આપી રહ્યું છે. સીધો જવાબ આપી રહ્યું નથી. તેનો તે સતત બચાવ કરી રહ્યું છે.

આ પણ વાંચો:

Delhi: ‘નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી લોકોને મોદીની રેલીમાં લઈ જવાયા’, વીડિયો વાયરલ

Bihar: જીવિત માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો, જાણો પછી શું થયું?

Voter Adhikar Yatra:રાહુલ-મોદીના કાર્યક્રમોમાં જોઈલો અસમાનતા, તંત્રએ બુલેટ બાઇકની લાઇટ્સથી હેલિપેડ કેમ બનાવવું પડ્યું?

Surendranagar: બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષના ધાબા પરથી શંકાસ્પદ હાલતમાં મળી મહિલાની લાશ, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

Related Posts

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના
  • May 8, 2026

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તે ખરેખર વિચારતા કરી મૂકે તેવા છે. અચાનક એવું લાગે છે કે ત્યાંના સનાતની અને…

Continue reading
Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી
  • May 8, 2026

Owaisi on Vande Mataram: દેશના રાષ્ટ્રીય પ્રતીકો અને ગીતો પ્રત્યેના સન્માનને લઈને ફરી એકવાર રાજકીય જંગ જામ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન વૈધાનિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 4 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 9 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 6 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે