
Iran War: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના આજે 16મો દિવસે ઘણું બધુ બદલાયું છે અને જે રીતે શરૂઆતના તબક્કામાં ઈઝરાયેલ અને અમેરિકાએ ઇરાન ઉપર હુમલો કર્યો અને ખામેનીની હત્યા થઈ ત્યારે મનાતું હતું કે એક બે દિવસમાં ઈરાન સરેન્ડર થઈ જશે પણ એવું ન થયું ઉલટાનું ઈઝરાયેલ અને અમેરિકાને હવે ઈરાન એકલું ભારે પડતું જણાય છે હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ માર્યા હોવાની વાતે ખળભળાટ મચાવી દીધો છે, જોકે,ઈઝરાયેલે તે અહેવાલો નકારી કાઢતા ઇરાને કહ્યું છે કે ‘જો જીવતા રહી ગયા હશે તો પણ તેઓને ગમેત્યારે શોધીને મારી નાખીશુ.
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે જો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ જીવતા હશે તો તેમને શોધીને મારી નાખીશુ, અલ જઝીરાના અહેવાલો મુજબ, IRGCએ કહ્યું કે ‘જો બાળકોનો હત્યારો જીવતો હશે, તો અમે પૂરી તાકાતથી તેનો પીછો કરીશું અને તેને મારી નાખીશું.’
IRGC એ કહ્યું કે નેતન્યાહુના મોતના સમાચાર કે તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી જવાની વાત ઈઝરાયેલીઓમાં જોવા મળતો ગભરાટ કઈક અલગ સંદેશ આપે છે નેતન્યાહુ ઘણા સમયથી કોઈ સુરક્ષા મીટિંગ કે જાહેર કાર્યક્રમમાં દેખાયા ન હોવાથી તેઓના ભાગી જવાના કે માર્યા જવાની શંકાઓ વધુ ઘેરી બની છે.
જોકે, 13 માર્ચે નેતન્યાહુનો એક વીડિયો મેસેજ સામે આવ્યો હતો જેમાં તેઓએ ઇરાન અને હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયેલ કાર્યવાહી કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું, આ જ વીડિયોમાં એક ફ્રેમમાં તેમના જમણા હાથમાં છ આંગળીઓ દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પછી કેટલાક યુઝર્સે વીડિયોને AI અથવા ડીપફેક ગણાવ્યો હતો. લોકોનું કહેવું હતું કે, આ અસલી નેતન્યાહુ નથી.
આ દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. કેટલીક પોસ્ટમાં તેમની હત્યા થઈ હોવાનો અથવા દેશ છોડી દીધો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ પીએમ કાર્યાલયે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
મહત્વનું છે કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇરાનના હુમલામાં નેતન્યાહુની હત્યા થઈ ગઈ છે અથવા તેઓ જર્મની ભાગી ગયા છે પીએમ કાર્યાલયે નિવેદન જારી કરીને કહ્યું કે આ અહેવાલો ખોટા છે જોકે,ઈરાન ઝુકવા તૈયાર નથી અને હુમલાઓ ચાલુ રાખ્યા છે સાથેજ હોર્મૂઝ જળમાર્ગ બંધ રાખવામાં સફળ રહી અમેરિકા ઉપર દબાણ ચાલુ રાખ્યું છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






