ISRO ની કમાલ, પહેલા જ શોધી કાઢશે વીજળી ક્યા પડશે?, વાંચો વધુ

  • India
  • April 2, 2025
  • 0 Comments

ISRO lightning: દર વર્ષે વરસાદની ઋતુમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએથી વીજળી પડવાના કારણે ઘણા લોકો મોતને ભેટે છે. દર વર્ષે વીજળી પડવાથી જાનમાલનું મોટું નુકસાન થાય છે. પણ હવે આવું નહીં થાય. હવે આપણને વરસાદની ઋતુમાં વીજળી ક્યાં પડશે તેની અગાઉથી માહિતી મળશે. ISROએ એક એવી ટેકનોલોજી વિકસાવી છે જેના દ્વારા વીજળી પડવાની આગાહી અગાઉથી જ કરવામાં આવશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠને વીજળી પડવાની આગાહી કરવાની ક્ષમતાને હાંસલ કરી લીધી છે. ઈસરોની આ સિદ્ધિએ સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. ઇસરોએ જણાવ્યું હતું કે ભારતીય ભૂસ્તર ઉપગ્રહોમાંથી ડેટા એકત્રિત કરીને વીજળી પડવાની આગાહી કરવામાં સફળતા મળી છે. આ સિદ્ધિ ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે.

2.5 કલાક પહેલા એલર્ટ મળશે

નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વૈજ્ઞાનિકોએ INSAT-3D ઉપગ્રહમાંથી પ્રાપ્ત થયેલા ‘આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન’માં ખાસ સંકેતોનું અવલોકન કર્યું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જ્યારે OLR ની ગતિમાં ઘટાડો થાય છે, ત્યારે વીજળી પડવાની શક્યતા વધી જાય છે. નવી ટેકનોલોજી દ્વારા, વીજળીની આગાહી લગભગ 2.5 કલાક અગાઉથી કરી શકાય છે. ઇસરોની આ નવી ટેકનોલોજી આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર મદદ પૂરી પાડશે.

ISRO આ શોધ શું ફાયદો?

ઇસરોની નવી ટેકનોલોજીની મદદથી વીજળી પડવાની શક્યતા હોય તેવા સ્થળોએથી લોકોને અગાઉથી બહાર કાઢી શકાય છે. આનાથી જાન અને માલનું નુકસાન પણ ઓછું થશે. વીજળી પડવાની આગાહી કરવાની શોધ માટે ઈસરોની ટીમે જમીનની સપાટીનું તાપમાન (LST) અને પવન સહિતના પરિબળોની ચકાસણી કરી છે. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય તેની આગાહીઓની ચોકસાઈ વધારવાનો હતો. આ નવી ટેકનોલોજીથી હવામાન વિભાગ ક્યાં વીજળી પડવાની છે તેની માહિતી 2.5 કલાક અગાઉથી આપી શકશે.

આ પણ વાંચોઃ RAJKOT: ઈસ્ટાગ્રામ પર છોકરીઓને ફસાવતાં શખ્સને પોલીસે લોન રીકવર અજન્ટ બની ઝડપ્યો, મહિલાઓ સાથેના…

આ પણ વાંચોઃ   ડીસામાં થયેલા 21 લોકોના મોત મામલે કયા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર? |DEESA

આ પણ વાંચોઃ ભાજપ સરકાર ઈજ્જત કેમ ખોઈ રહી છે?, ડીસામાં 21 લોકોના જીવ ગયા! | DEESA | GUJARAT|

આ પણ વાંચોઃ Deesa: અગ્નિકાંડ મામલો: પરિવારની સહમતિ વગર મૃતદેહો વતન મોકલી દેવાયા, માતાની વેદના

આ પણ વાંચોઃ જો વક્ફ બીલ સંસદમાં પસાર થશે, તો અમે શાંત બેસીશું નહીં, દેશવ્યાપી આંદોલન કરીશું: AIMPLB

 

 

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 2 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 6 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 7 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!