
Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે એકબીજા પર થતાં હુમલા રોકવાની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી, જમીન અને હવામાં થતાં હુમલાઓને રોકવામાં આવ્યા છે. જોકે તેમ છતાં અહેવાલો મળ્યા છે કે પાકિસ્તાને હુમલાઓ ચાલુ રાખ્યા છે. આ વચ્ચે બંને બાજુ હુમલા રોકવાની સહમતિ થતાં વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે.
#WATCH श्रीनगर: भारत और पाकिस्तान के बीच सीजफायर की घोषणा पर जम्मू-कश्मीर के मुख्यमंत्री उमर अब्दुल्ला ने कहा, “भारत सरकार के प्रवक्ता की तरफ से भारत और पाकिस्तान के बीच सीजफायर का ऐलान हुआ, मैं इसका स्वागत करता हूं। अगर 2-3 दिन पहले ये हुआ होता तो हमने जो कीमती जानें गवाई वो… pic.twitter.com/C5U0DP3Fuo
— ANI_HindiNews (@AHindinews) May 10, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત પર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત ભારત સરકારના પ્રવક્તા દ્વારા કરવામાં આવી હતી, હું તેનું સ્વાગત કરું છું. જો આ 2 કે 3 દિવસ પહેલા થયું હોત, તો આપણે આટલા કિંમતી જીવ ગુમાવ્યા ન હોત. હવે જમ્મુ અને કાશ્મીર સરકારની જવાબદારી છે કે તે તે સ્થળોનું નિરીક્ષણ કરે જ્યાં નુકસાન થયું છે અને લોકોને રાહત આપવાનું શરૂ કરે. અમે તેમના દુઃખને શેર કરીને જીવ ગુમાવનારા લોકોના પરિવારોને રાહત આપવાનો પ્રયાસ કરીશું.”, તેમણે કહ્યું હતુ કે કાશ્મીર સહિત રજોરી, પૂછમાં ભારે નુકસાન થયુ છે.
સીએમ ઓમરે હુમલાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
શનિવારે સવારે ઓમર અબ્દુલ્લાએ જમ્મુના બે રહેણાંક વિસ્તારોની મુલાકાત લીધી હતી જ્યાં વિસ્ફોટમાં એક ઘર અને બહાર પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે અબ્દુલ્લાએ રેહાડી અને રૂપ નગરમાં વિસ્ફોટ સ્થળોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી હતી.
રેહાડીમાં વિસ્ફોટમાં ચાર લોકો નીરજ ગુપ્તા, તેમની પુત્રી હિતક્ષી ગુપ્તા, વિનિત અને રાજિન્દર કુમાર ઘાયલ થયા હતા. મુલાકાત પછી, મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “તાજેતરના ગોળીબારથી થયેલા નુકસાનનો અભ્યાસ કરવા માટે જમ્મુમાં રેહાડી અને રૂપનગરની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચોઃ
Donald Trump: ભારતની જવાબી કાર્યવાહી રોકાવનાર ટ્રમ્પ કાશ્મીરની મધ્યસ્થી અંગે શું બોલ્યા?
ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor
ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor
Kheda: માતરમાં રોંગ સાઈડ જતી ઈકોએ રિક્ષાને ભયંકર રીતે ટક્કર મારી, 3ના મોત, 4ને ઈજાઓ
Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?
World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન
