Junagadh : વિસાદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ ‘જવાહર ચાવડા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા

Junagadh: આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં કડીમાં ભાજપની અને વિસાવદરમાં આપની ઐતિહાસિક જીત થઈ છે જ્યારે કોંગ્રેસની બંન્ને બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પોતાની ડિપોઝીટ પણ બચાવી શકી નથી. ત્યારે આજે જ્યારે ગોપાલ ઈટાલિયા પોતાની જીતનો જશ્ન મનાવી રહ્યા ત્યારે તેમણે અને તેમના સમર્થકોએ ‘જવાહર ચાવડા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

 ભાજપની હારમાં પૂર્વ મંત્રીની ભૂમિકા છે? 

આમ જુનાગઢ ભાજપમાં આંતરિક ડખો છે. ત્યારે ભાજપ પાસેથી વિસાવદરની સીટ જવાનું કારણ જવાહર ચાવડાની નારાજગી છે કે કેમ?શું ભાજપની હારમાં પૂર્વ મંત્રીની ભૂમિકા છે? તેવા સવાલ થઈ રહ્યા છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની જીત પાછળ જવાહર ચાવડાની નિર્ણાયક ભુમિકા રહી છે. એવું કહેવાય છે કે, જવાહર ચાવડાએ વિસાવદર અને ભેંસાણ વિસ્તારના આહિર સમાજના મતો આપ પાર્ટીને મળે તેના માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા રાજકીય ગલિયારોમાં અનેક ચર્ચાઓ શરુ થઈ છે.

 કોણ છે જવાહર ચાવડા ?  

જવાહર ચાવડા ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. તેઓએ અનેક વખત જૂનાગઢ ભાજપમાં કથિત જૂથબંધી, ભ્રષ્ટાચાર વગેરેને પત્ર લખીને ખુલ્લો પાડ્યો છે.

જવાહર ચાવડાની ભજપ સામેની નારાજગીનું શું છે કારણ ? 

જવાહર ચાવડા ભાજપની ટિકિટ પર વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એમનાજ એક સમયના અંગત મદદનીશ અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા. ત્યારબાદ અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા હતા.લાડાણી ફરીથી પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા બાદ પક્ષે જવાહર ચાવડાના સ્થાને લાડાણીને ટિકિટ આપી હતી જે બાદ જવાહર ચાવડામાં કડવાશ જોવા મળી રહી હતી.  તેઓ ઘણા સમય સુધી ભાજપના કાર્યક્રમોમાં પણ જતા ન હતા તેમજ તેમના પર કોંગ્રેસને મદદ કરવાનો પણ આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો:

Visavadar Election Results: વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાને મળી જબરદસ્ત લીડ

Sabarkantha: પ્રાંતિજમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 3 મુસાફરોનાં મોત, 8 ઘાયલ

Kadi Election Results: કડીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસ અને આપની સ્થિતિ?

Vadodara: નવરચના સ્કૂલને 6 મહિનામાં બીજીવાર બોમ્બથી ઉડાવીની ધમકી, વિદ્યાર્થીઓને છોડી મૂક્યા

Visavadar Election Results: વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ, અત્યાર સુધીમાં કોને મળી લીડ?

Syria Blast: સીરિયામાં ચર્ચમાં આત્મઘાતી હુમલો, 20 લોકોના મોત, અનેક ઘાયલ

  • Related Posts

    Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
    • June 18, 2026

    Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

    Continue reading
    Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
    • June 17, 2026

    Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

    • June 18, 2026
    • 3 views
    Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

    Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

    • June 18, 2026
    • 4 views
    Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

    Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

    • June 18, 2026
    • 10 views
    Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

    Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

    • June 17, 2026
    • 6 views
    Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

    • June 17, 2026
    • 6 views
    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

    Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

    • June 17, 2026
    • 7 views
    Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ