
North India: ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કાશ્મીરી શાલ વેચનારાઓ અને વર્ષોથી વેપાર કરવા અહીં આવતા કાશ્મીરી વેપારીઓ સાથે હમણાં હમણાં મારપીટ અને હિંસાના બનાવો બની રહયા છે પરિણામે આવા કાશ્મીરી ભાઈઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે,તેઓ ઉપર હુમલા થઈ રહયા છે.શિયાળો બેસતાજ ખીણમાં કામની તકો ઓછી થઈ જાય છે ત્યારે સેંકડો કામદારો ઉત્તર ભારતના વિવિધ રાજ્યો, ખાસ કરીને હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં દર વર્ષે શાલ અને કાશ્મીરી ભરતકામવાળા સુટ વેચવા આવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.
દરમિયાન હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં કાશ્મીરી શાલ વેચનારાઓ ઉપર શ્રેણીબદ્ધ સમાન ઘટનાઓ સામે આવી છે જેમાં મુખ્યત્વે ‘વંદે માતરમ કે ભારત માતાકી જય’ બોલવાનો ઇન્કાર કરનાર વિક્રેતાઓ સાથે મારપીટ થયાના કિસ્સા સામે આવી રહ્યા છે અને આ મામલે કેટલાક કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ થઈ છે ત્યારે નફરતના આ માહોલ ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ સવાલો ઉઠાવ્યા હતા અને આ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
જુઓ વિડીયો
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









