Kerala: અશ્લીલતાના આરોપો બાદ કોંગ્રેસ નેતા રાહુલ પક્ષમાંથી સસ્પેન્ડ, પિડિતાઓ શું કહી રહી છે?

  • India
  • August 25, 2025
  • 0 Comments

Kerala: કેરળના રાજકારણાં કોંગ્રેસ નેતાની અશ્લીલતાં ધાંધલ મચાવી દીધી છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના પલક્કડના ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના પૂર્વ રાજ્ય પ્રમુખ રાહુલ મમકુટ્ટાથિલને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય મહિલાઓ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા જાતીય દુર્વ્યવહાર અને અયોગ્ય વર્તનના ગંભીર આરોપોના પગલે લેવામાં આવ્યો છે. આ ઘટનાએ રાજ્યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે, જેમાં વિપક્ષી પાર્ટીઓ અને કોંગ્રેસના અંદરના નેતાઓ દ્વારા રાહુલના ધારાસભ્ય પદેથી રાજીનામાની માગ ઉઠી રહી છે.

મહિલાને ગર્ભપાત માટે દબાણ

આ વિવાદની શરૂઆત ગત અઠવાડિયે થઈ, જ્યારે મલયાલમ અભિનેત્રી અને પૂર્વ પત્રકાર રીની એન જોર્જે એક “યુવા રાજનેતા” પર, નામ લીધા વિના, અશ્લીલ મેસેજ મોકલવાનો અને હોટલના રૂમમાં બોલાવવાનો આરોપ લગાવ્યો. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ કે તે રાહુલ મમકુટ્ટાથિલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ પછી, અન્ય મહિલાઓ પણ આગળ આવી, જેમાં એક ટ્રાન્સજેન્ડર મહિલા અને લેખિકા હની ભાસ્કરનનો સમાવેશ થાય છે, જેમણે રાહુલ પર સમાન પ્રકારના દુર્વ્યવહારના આરોપો લગાવ્યા. વિવાદને વધુ તીવ્ર બનાવતા, એક મલયાલમ ન્યૂઝ ચેનલે એક ઓડિયો ક્લિપ જાહેર કરી, જેમાં કથિત રીતે રાહુલ એક મહિલાને ગર્ભપાત માટે દબાણ કરતા સંભળાયા હતા. આ આરોપો હોવા છતાં, હજુ સુધી રાહુલ વિરુદ્ધ કોઈ ઔપચારિક પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જે આ મામલે વધુ પ્રશ્નો ઉભા કરે છે.

રાજકીય છબીને ગંભીર ફટકો

રાહુલ મમકુટ્ટાથિલ ગત વર્ષે નવેમ્બર 2024માં પલક્કડ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણીમાં ચૂંટાયા હતા. યુથ કોંગ્રેસના એક પ્રભાવશાળી નેતા તરીકે તેઓ રાજ્યના યુવા વર્ગમાં નોંધપાત્ર લોકપ્રિયતા ધરાવતા હતા. જોકે, આ આરોપો બાદ તેમની રાજકીય છબીને ગંભીર ફટકો પડ્યો છે. આરોપોના પગલે રાહુલે 21 ઓગસ્ટ, 2025ના રોજ યુથ કોંગ્રેસના રાજ્ય પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ, ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની માગ હજુ પણ ચાલુ છે, જેના પર કોંગ્રેસે હજુ સ્પષ્ટ નિર્ણય લીધો નથી.

કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના પ્રમુખ સન્ની જોસેફે જણાવ્યું કે, “આ આરોપો ગંભીર છે અને પાર્ટી તેની તપાસમાં કોઈ કચાશ રાખશે નહીં. રાહુલનું સસ્પેન્શન એ પાર્ટીની નૈતિક જવાબદારી અને છબીને બચાવવાનો પ્રયાસ છે.” સસ્પેન્શનના કારણે રાહુલ હવે કોંગ્રેસની ધારાસભ્ય પાર્ટીની બેઠકોમાં હાજરી આપી શકશે નહીં અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)નો ભાગ રહેશે નહીં. જોકે, પાર્ટીએ તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે દબાણ નથી કર્યું. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય પલક્કડમાં પેટાચૂંટણીના જોખમને ટાળવા માટે લેવામાં આવ્યો છે, કારણ કે આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, અને પેટાચૂંટણીમાં હારનું જોખમ પાર્ટી ઉઠાવવા માંગતી નથી.

મૌન  શંકા ઉભી કરે છે

કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને મહિલા નેતાઓ, જેમાં ઉમા થોમસ, શનીમોલ ઉસ્માન, કે. મુરલીધરન, અને શમા મોહમ્મદનો સમાવેશ થાય છે, તેમણે રાહુલના ધારાસભ્ય પદેથી રાજીનામાની જાહેરમાં માગ કરી હતી. ઉમા થોમસ, જે દિવંગત કોંગ્રેસ નેતા પીટી થોમસની પત્ની છે, તેમણે કડક શબ્દોમાં જણાવ્યું, “જો આરોપો ખોટા હોય, તો રાહુલે તાત્કાલિક માનહાનિનો કેસ દાખલ કરવો જોઈએ. તેમનું મૌન આ મામલે શંકા ઉભી કરે છે, અને તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.” આ ઉપરાંત, કોંગ્રેસની અંદરના ઘણા નેતાઓએ ખુલ્લેઆમ રાહુલની સામે કડક પગલાંની હિમાયત કરી છે, જે પાર્ટીની આંતરિક એકતા પર પણ પ્રશ્નો ઉભા કરે છે.

વિપક્ષી પાર્ટીઓ, ખાસ કરીને ભાજપ અને સીપીઆઈ(એમ)ના યુવા મોરચા DYFIએ, આ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને રાહુલના રાજીનામાની માગ કરી છે. આ બધા વચ્ચે, કોંગ્રેસના કેટલાક નેતાઓએ સીપીઆઈ(એમ)ના ધારાસભ્ય એમ. મુકેશના કેસ તરફ ઈશારો કરીને બચાવનો પ્રયાસ કર્યો છે. ગત વર્ષે એમ. મુકેશ વિરુદ્ધ રેપ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ હોવા છતાં, સીપીઆઈ(એમ)એ તેમને રાજીનામું આપવા માટે દબાણ કર્યું ન હતું. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે વિપક્ષ આ મામલે રાજકીય રોટલા શેકી રહ્યું છે, જ્યારે તેમની પોતાની પાર્ટીઓમાં આવા મુદ્દાઓ પર નરમ વલણ અપનાવવામાં આવ્યું છે.

રાહુલનો પ્રતિસાદ

રાહુલ મમકુટ્ટાથિલે આરોપોનો સીધો જવાબ આપવાને બદલે કેટલાક વોટ્સએપ ચેટ અને ફોન વાતચીતના સ્ક્રીનશોટ જાહેર કર્યા છે, જેમાં તેઓ એક ટ્રાન્સવુમન નામની અવંતિકા સાથેની વાતચીતનો દાવો કરે છે. જોકે, ગર્ભપાતની કથિત ઓડિયો ક્લિપ અંગે તેમણે સ્પષ્ટ ખંડન કર્યું નથી કે ન તો તેની ફોરેન્સિક તપાસની માગ કરી છે. આ મૌનને રાજકીય વર્તુળોમાં તેમની સામે વધુ શંકાઓ ઉભી કરનારું માનવામાં આવે છે.

આ પણ વાંચો:

BJP Leader Corruption: ભાજપ નેતા જે.જે. મેવાડાનો ભ્રષ્ટાચાર, તમામ મિલકતો જપ્ત કરવા કોર્ટનો આદેશ, જુઓ

Israel Hamas War: ઇઝરાયલે ફરી ગાઝામાં હુમલો કર્યો, 3 પત્રકારો સહિત 15 લોકોના મોત, યુદ્ધનો અંત ક્યારે?

Viral video: મુંબઈમાં 30 રુપિયાના ભાડા માટે રિક્ષાચાલકે કિશોરને લાફા માર્યા, જુઓ

મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73

Lucknow: મહિલા પોલીસને રોજ મફત મુસાફરી કરવી મોંઘી પડી, રિક્ષા ચાલકે કહ્યું આજે તો પૈસા લીધા વિના નહીં જવા દઈએ! 

Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા

Rajasthan: કુટુંબી છોકરી સાથે યુવકને પ્રેમ, પરિવારે સંબંધની ના પડતાં ટાવર પર ચઢ્યો, છોકરીએ કહ્યું બાબુ હું આવું છું

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Related Posts

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ
  • September 17, 2026

Balaghat Baiga Children Deaths: મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના બિરસા-બૈહર વિસ્તારમાં ખસરો-રુબેલા સહિતના ચેપથી બૈગા સમુદાયના બાળકોનાં મૃત્યુએ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બોંદારી, કોંડેકસા,…

Continue reading
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!
  • September 17, 2026

Rising Violence in India: દેશમાં રોજિંદા જીવનમાં નાની-નાની બાબતોને લઈને લોકો વચ્ચે વધતા વિવાદ, ગાળાગાળી, રોડ રેજ અને મારામારી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. એક જાહેર ચર્ચામાં મયૂર જાનીએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

  • September 17, 2026
  • 2 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 5 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 11 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા