Nadiad: ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી ઘટના બાદ રાજુ રબારીએ કોંગ્રેસનો હાથ છોડ્યો, કેસરિયો ધારણ કર્યો

  • Gujarat
  • October 12, 2025
  • 0 Comments

Nadiad Congress Workers Join BJP: નડિયાદમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીની ઘટનાના એક મહિના બાદ સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. નડિયાદ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ રબારીએ 50 ટેકેદારો સાથે કેસરિયો ધારણ કરી લીધો છે. જેથી ખેડા જીલ્લાના રાજકારણમાં હડકમ મચ્યો છે. કોંગ્રેસને પણ આંચકો લાગ્યો છે.

ચૂંટણી નજીક આવતાં જ ખેડા જીલ્લાનું રાજકારણ ગરમાયું છે. ગઈકાલે શનિવારે કમલમ ખાતે નડિયાદ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ રબારી ભાજપમાં જોડાઈ ગયા છે. સાથે જ કોંગ્રેસના 50 કાર્યકરો પણ ભાજપમાં ભળી ગયા છે. જેથી ખેડામાં કોંગ્રેસ પાર્ટીને પડતાં પર પાટુ પડ્યું છે. આક્ષેપ છે કે ભાજપ-કોંગ્રેસ વચ્ચે મારામારી થઈ ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ સાથ ન આપ્યો. જેથી અંતે ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપમાં જોડાયા બાદ રાજુ રબારીએ કહ્યું હું વિધિવત રીતે કોંગ્રેસ છોડી 50 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધારાસભ્ય પંકજ દેસાઈને ધ્યાનમાં લઈને ભાજપમાં જોડાયા છીએ. આવનારા દિવસોમાં નડિયાદમાં વિકાસના કામો કરીશું.

રાજુ રબારી સાથે શું થયું હતુ?

એક મહિના પૂર્વે નડિયાદ કોર્પોરેશન કચેરીમાં ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં રાજુ રબારીને માર્યા હતા. જેનો એક વીડિયો પણ વાયુવેગે વાઈરલ થઈ ગયો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે કોર્પોરેશન કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગયા હતા. તે દરમિયાન કોઈ વાતે બન્ને પક્ષોના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર એક બીજાને માર માર્યો હતો. વિવાદ વધતાં પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને બન્નેને શાંત પાડ્યા હતા.

આ પણ વાંચો:

 Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

Kheda: નડિયાદમાં સિટી બસ સેવા 63 દિવસમાં જ બંધ: પૂરા 3 મહિના પણ ન ચાલી, પાર્સિંગનું બહાનું કાઢ્યું

 Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

minor girl harassed:’નડિયાદમાં 3 મહિનામાં 200 પુરુષોએ મારા પર રેપ કર્યો’ 12 વર્ષની બાંગ્લાદેશી બાળાએ જે કહ્યું તેને જાણીને તમે હચમચી જશો

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 2 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 2 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 3 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 3 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

  • March 17, 2026
  • 4 views
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ