KOLKATA: દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત, પૂર્વ ક્રિકેટરનો માંડ જીવ બચ્યો

  • Sports
  • February 21, 2025
  • 0 Comments

KOLKATA: પશ્ચિમ બંગાળના દુર્ગાપુર એક્સપ્રેસ વે પર પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એક કાર્યક્રમમાં કાર લઈને હાજરી આપવા બર્દવાન જતાં હતા ત્યારે સર્જાયો હતો. સૌરવ ગાંગુલી કે તેમના કાફલામાં રહેલા અન્ય કોઈને ઈજાઓ થઈ નથી.

કેવી રીતે થયો અકસ્માત?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત રોજ(20 ફેબ્રુઆરી) સૌરવ ગાંગુલી તેમની અન્ય કારોના કાફલા સાથે દુર્ગાપુર એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પહેલી કાર ચલાવતાં ડ્રાઈવરની સામે અચાનક એક લારી સામે આવી ગઈ હતી. આ પરિસ્થિતિને સંભાળવા માટે કારચાલકે બ્રેક લગાવી હતી. જેના કારણે પાછળથી આવતા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ગાંગુલની કાર પણ ઝપેટમાં આવી ગઈ હતી. ગાંગુલની કારને ટક્કર વાગી હતી. સદભાગ્યે ગાંગુલીને કોઈને ગંભીર ઈજા થઈ નથી. ગાંગુલી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ડ્રાઇવરે સમયસર પરિસ્થિતિ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ. જોકે કેટલાક વાહનોને નુકસાન થયું હતું, પરંતુ ગાંગુલી અને તેમના સ્ટાફને કોઈ ઈજા થઈ ન હતી. આ સમાચાર બહાર આવ્યા પછી, તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું, પરંતુ તેમની સલામતીના સમાચાર પછી બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગાંગુલી એક કાર્યક્રમ માટે બર્દવાન જઈ રહ્યા હતા

સૌરવ ગાંગુલી બર્દવાનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ એક સત્તાવાર મુલાકાત હતી જેમાં તેમને મુખ્ય મહેમાન તરીકે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવાનું હતું. અકસ્માત છતાં, કાર્યક્રમ માટેની તેમની મુસાફરીને કોઈ અસર થઈ નહીં અને તેઓ સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા.

સત્તાવાર નિવેદન ગાંગુલીએ આપ્યું નથી

હાલમાં, આ ઘટના પર સૌરવ ગાંગુલી કે તેમની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ સ્થાનિક વહીવટીતંત્રે પુષ્ટિ આપી છે કે અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી અને બધા સુરક્ષિત છે.

સૌરવ ગાંગુલીની ક્રિકેટમાં કારકીર્દી

સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રહ્યા છે. તેમની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ઘણી ઐતિહાસિક જીત મેળવી અને ભારતીય ટીમને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમણે BCCI પ્રમુખ તરીકે પણ સેવા આપી છે અને ભારતીય ક્રિકેટના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

 

આ પણ વાંચોઃ Bhavanagar: મહિલા મુસાફરની છેડતી કરનાર રેલવેકર્મીને 2 વર્ષની કેદ, 25 હજારનો દંડ

આ પણ વાંચોઃ Gujarat Weather: આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, તાપમાં તપવું પડશે

આ પણ વાંચોઃ UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ

 

 

Related Posts

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર
  • October 29, 2025

IND vs AUS T20I: ODI શ્રેણી ગુમાવ્યા બાદ, ભારતીય ટીમ T20 મોડમાં પાછી ફરી છે. ટીમ ઈન્ડિયા આજથી, 29 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે.…

Continue reading
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ
  • October 27, 2025

Shreyas Iyer Admitted : ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ 9 વિકેટથી જીતી લીધી. આ મેચમાં શ્રેયસ ઐયર ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. હર્ષિત રાણાની બોલિંગ પર ઓસ્ટ્રેલિયન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 8 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 13 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 28 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump