કુલભૂષણને સજા સામે અપીલ કરવાનો કોઈ હક નથી: પાકિસ્તાન સરકારની કોર્ટમાં દલીલ | Kulbhushan Case

  • World
  • April 20, 2025
  • 4 Comments
Kulbhushan Jadhav Case: પાકિસ્તાનમાં કથિત જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા પૂર્વ ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાને યુ-ટર્ન માર્યો છે. પાકિસ્તાન સરકારે  પાકિસ્તાની સુપ્રીમ કોર્ટને દલીલ કરી હતી કે જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા કુલભૂષણ જાધવને સજા સામે અપીલ કરવાનો અધિકાર નથી, પરંતુ તેને ફક્ત ભારતીય કાઉન્સેલર સાથે સંપર્ક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કુલભૂષણને મોતની સજા મળતાં આંતર રાષ્ટ્રીય કોર્ટના દ્વાર ખખડાવી અપિલ કરી હતી. જે બાદ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) એ 2019માં આ મામલે પાકિસ્તાનને જાધવની સજાની સમીક્ષા આદેશ આપ્યો હતો. જોકે, પાકિસ્તાને આ આદેશનું પાલન કર્યું નથી, અને  કોર્ટમાં અપીલના અધિકારને નકારવાની દલીલ કરતાં ફરી વિવાદ થયો છે.

પાકિસ્તાને કહ્યું કે કુલભૂષણને તેમની સજા સામે અપીલ કરવાનો કોઈ અધિકાર નથી. આ દલીલ સરકાર દ્વારા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં એક સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે મૃત્યુદંડની સજા પામેલા કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ 9 મે 2023ના હિંસા કેસમાં કથિત સંડોવણીના આરોપમાં દોષિત પાકિસ્તાની નાગરિકોને કોર્ટના નિર્ણય સામે અપીલ કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવે છે. જેથી કુલભૂષણને પણ અપીલ કરવાનો હક નથી.

કુલભૂષણનો શું કેસ છે?

કુલભૂષણ જાધવની માર્ચ 2016 માં બલુચિસ્તાનથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે તે ભારતની બાહ્ય જાસૂસી એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) માટે કામ કરતો એક ઓપરેટિવ હતો અને તેમના દેશમાં આતંકવાદી કૃત્યોમાં સામેલ હતો. બીજા વર્ષે પાકિસ્તાને આ આરોપમાં કુલભૂષણ જાધવને મૃત્યુદંડની સજા ફટકારી હતી. બીજી તરફ, ભારતે કુલભૂષણ જાધવ સામેના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેઓ પૂર્વ નૌકાદળ અધિકારી હતા જેમનું પાકિસ્તાની કાર્યકરો દ્વારા ઈરાનના ચાબહાર બંદર પરથી અપહરણ કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા. નવી દિલ્હીએ પાકિસ્તાની અદાલતો દ્વારા કુલભૂષણના કેસને “હાસ્યાસ્પદ” ગણાવીને ફગાવી દીધો હતો. જાધવને ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ, કેન્દ્ર સરકારે ICJનો સંપર્ક કર્યો, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી.

ICJ એ પોતાના ચૂકાદામાં શું કહ્યું હતુ?

કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવતા ICJએ કહ્યું કે, “પાકિસ્તાન પર તેની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને જાધવની સજા અને દોષિત ઠેરવવાની અસરકારક સમીક્ષા અને પુનર્વિચાર કરવાની ફરજ છે” કારણ કે કોન્સ્યુલર સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળના તેમના અધિકારોનું ઉલ્લંઘન થયું છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાધવને તેમની સજા સામે અપીલ કરવા માટે અસરકારક માધ્યમો પૂરા પાડવામાં ન આવે ત્યાં સુધી તેમની ફાંસી મુલતવી રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ

UP: થનાર જમાઈ સાસુને વહુ બનાવીને લાવતાં જ ભગાડ્યા, આશરો પણ ન આપ્યો, આ રીતે કાઢી રાત?

Ahmedabad: નરોડામાં લિફ્ટ તૂટી, ફસાયેલી મહિલાઓએ ચીસાચીસ કરી, જાનહાનિ ટળી

ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire

UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!

 

Related Posts

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
  • April 29, 2025

Power outage: યુરોપના ઘણા દેશોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સ્પેન અને પોર્ટુગલમાં સોમવારે મોટા પાયે વીજળી…

Continue reading
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
  • April 29, 2025

Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

Continue reading

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના