કુલભૂષણને સજા સામે અપીલ કરવાનો કોઈ હક નથી: પાકિસ્તાન સરકારની કોર્ટમાં દલીલ | Kulbhushan Case

  • World
  • April 20, 2025
  • 4 Comments
Kulbhushan Jadhav Case: પાકિસ્તાનમાં કથિત જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા પૂર્વ ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાને યુ-ટર્ન માર્યો છે. પાકિસ્તાન સરકારે  પાકિસ્તાની સુપ્રીમ કોર્ટને દલીલ કરી હતી કે જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા કુલભૂષણ જાધવને સજા સામે અપીલ કરવાનો અધિકાર નથી, પરંતુ તેને ફક્ત ભારતીય કાઉન્સેલર સાથે સંપર્ક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કુલભૂષણને મોતની સજા મળતાં આંતર રાષ્ટ્રીય કોર્ટના દ્વાર ખખડાવી અપિલ કરી હતી. જે બાદ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) એ 2019માં આ મામલે પાકિસ્તાનને જાધવની સજાની સમીક્ષા આદેશ આપ્યો હતો. જોકે, પાકિસ્તાને આ આદેશનું પાલન કર્યું નથી, અને  કોર્ટમાં અપીલના અધિકારને નકારવાની દલીલ કરતાં ફરી વિવાદ થયો છે.

પાકિસ્તાને કહ્યું કે કુલભૂષણને તેમની સજા સામે અપીલ કરવાનો કોઈ અધિકાર નથી. આ દલીલ સરકાર દ્વારા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં એક સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે મૃત્યુદંડની સજા પામેલા કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ 9 મે 2023ના હિંસા કેસમાં કથિત સંડોવણીના આરોપમાં દોષિત પાકિસ્તાની નાગરિકોને કોર્ટના નિર્ણય સામે અપીલ કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવે છે. જેથી કુલભૂષણને પણ અપીલ કરવાનો હક નથી.

કુલભૂષણનો શું કેસ છે?

કુલભૂષણ જાધવની માર્ચ 2016 માં બલુચિસ્તાનથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે તે ભારતની બાહ્ય જાસૂસી એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) માટે કામ કરતો એક ઓપરેટિવ હતો અને તેમના દેશમાં આતંકવાદી કૃત્યોમાં સામેલ હતો. બીજા વર્ષે પાકિસ્તાને આ આરોપમાં કુલભૂષણ જાધવને મૃત્યુદંડની સજા ફટકારી હતી. બીજી તરફ, ભારતે કુલભૂષણ જાધવ સામેના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેઓ પૂર્વ નૌકાદળ અધિકારી હતા જેમનું પાકિસ્તાની કાર્યકરો દ્વારા ઈરાનના ચાબહાર બંદર પરથી અપહરણ કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા. નવી દિલ્હીએ પાકિસ્તાની અદાલતો દ્વારા કુલભૂષણના કેસને “હાસ્યાસ્પદ” ગણાવીને ફગાવી દીધો હતો. જાધવને ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ, કેન્દ્ર સરકારે ICJનો સંપર્ક કર્યો, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી.

ICJ એ પોતાના ચૂકાદામાં શું કહ્યું હતુ?

કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવતા ICJએ કહ્યું કે, “પાકિસ્તાન પર તેની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને જાધવની સજા અને દોષિત ઠેરવવાની અસરકારક સમીક્ષા અને પુનર્વિચાર કરવાની ફરજ છે” કારણ કે કોન્સ્યુલર સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળના તેમના અધિકારોનું ઉલ્લંઘન થયું છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાધવને તેમની સજા સામે અપીલ કરવા માટે અસરકારક માધ્યમો પૂરા પાડવામાં ન આવે ત્યાં સુધી તેમની ફાંસી મુલતવી રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ

UP: થનાર જમાઈ સાસુને વહુ બનાવીને લાવતાં જ ભગાડ્યા, આશરો પણ ન આપ્યો, આ રીતે કાઢી રાત?

Ahmedabad: નરોડામાં લિફ્ટ તૂટી, ફસાયેલી મહિલાઓએ ચીસાચીસ કરી, જાનહાનિ ટળી

ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire

UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!

 

Related Posts

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?
  • May 4, 2026

Iran US Nuclear Proposal: ઈરાને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અમેરિકાને એક નવો ૧૪-મુદ્દાનો રાજદ્વારી પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધને કાયમી ધોરણે ખતમ કરવાનો…

Continue reading
Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
  • May 2, 2026

Indian Americans leaving USA: અમેરિકામાં હાલમાં ભારતીય મૂળના 52 લાખથી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ ત્યાંના અર્થતંત્રનો મજબૂત સ્તંભ ગણાય છે. જોકે, કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ઇન્ડિયન અમેરિકન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 2 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 6 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 8 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 8 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 11 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 11 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત