વાત સ્પષ્ટપણે: મુદ્દો જનતાને અધિકારહિન કરવાની રાજ રમતનો

6 કરોડ 70 લાખ ગરીબો મનરેગા યોજના માટે બન્યા અયોગ્ય

પાંચ અલગ-અલગ રસ્તાઓથી મનરેગા યોજના પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પહેલો છે, સરકારની નેશનલ મોબાઇલ મોનિટરિંગ સિસ્ટમ લાદવાની જિદ. આ પ્રણાલી તેનું તાકીદ કરે છે કે આ મજૂરો, કાર્યસ્થળ પર તેમની હાજરી અને કરવામાં આવેલા કામને સાબિત કરવા માટે, તેમની તસવીરો અપલોડ કરે અને આધાર આધારિત ચુકવણી વ્યવસ્થા હોય, જેમાં આ શરત છે કે તેમના બેન્ક ખાતાઓને આધાર નંબર સાથે લિંક કરેલા હોય.

મજૂરો માટે આ શરતોને પૂર્ણ કરવી ખૂબ જ મુશ્કેલ છે અને તેનું એક મહત્વપૂર્ણ કારણ એ પણ છે કે ગ્રામીણ ભારતના મોટા ભાગમાં ઈન્ટરનેટ ઉપલબ્ધ નથી. તેનો પરિણામ એ થાય છે કે મજૂરોની મોટી સંખ્યા મનરેગા હેઠળ કામ માગવા માટે પણ અયોગ્ય થઈ જાય છે.ન્યૂઝક્લિકના એક રિપોર્ટ અનુસાર, લિબટેક ઈન્ડિયા નામના એક ગેરસરકારી સંગઠને આ અંદાજ લગાવ્યો છે કે આધાર લિંકના અભાવે 6 કરોડ 70 લાખ મજૂરો, મનરેગા માટે અયોગ્ય થઈ ગયા છે.

આમ સરકારે ભ્રષ્ટાચાર માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો યોગ્ય છે પરંતુ તેનો ભાર મજૂર વર્ગના લોકો ઉપર નાંખવો જોઈએ નહીં. પરિણામ આંકડા જ બતાવે છે કે, 6 કરોડ 70 લાખ મનરેગામાં કામ કરવા લાયક ગણવામાં આવી રહ્યાં નથી, કેમ કે તેઓ આધાર કાર્ડને લિંક કરાવવામાં નિષ્ફળ ગયા છે. આપણા દેશમાં હજું પણ છેવાડાના એવા ગામડાઓમાં લોકો વસવાટ કરે છે,જેઓ આપણી ચમચમાકા મારતી દુનિયાથી અજાણ છે. તેવામાં તેમના સુધી કામ પહોંચાડવા માટે સરકારે યોગ્ય વ્યવસ્થા કરવી રહી.

બીજો રસ્તો છે, રાજ્યોનને મનરેગાને ફંડથી વંચિત કરવાનો. એવું સામાન્ય રીતે વિપક્ષ દ્વારા શાસિત રાજ્યો સાથે અને આ યોજનામાં ભ્રષ્ટાચાર થવાના નામે કરવામાં આવે છે. આનું સૌથી મોટું શિકાર પશ્ચિમ બંગાળ રહ્યું છે. આ યોજનાનું સામાજિક ઓડિટ કરવું, ભ્રષ્ટાાર સંબંધી ફરિયાદોનો અંત લાવવાની રીતો છે અને કેન્દ્ર સરકાર રાજ્યો પર સામાજિક ઓડિટ ન કરવાનો આરોપ લગાવે છે. પરંતુ સામાજિક ઓડિટના એકમોને ચૂકવણી કેન્દ્ર સરકાર દ્વારા કરવાની વ્યવસ્થા છે અને પાછલા ઘણા સમયથી તે એકમોને ચૂકવણી કરવામાં આવી નથી. આ સિવાય જો આમ માની લઈએ કે સંબંધીત રાજ્ય સરકાર ખરેખર દોષિત છે, તો પણ આ યોજના માટે જે કે સંપૂર્ણ કેન્દ્રના ફંડથી ચાલે છે, રાજ્યઓ માટે ફંડ અટકાવવું, રાજ્ય સરકારની ભૂલ હોવાનું આગળ ધરીને સીધી રીતે જનતાને સજા આપવા જેવી બાબત છે. આ યોજનાને કમજોર કરવાનો એક બહાનું છે.

આ યોજનાને નબળી બનાવવાની ત્રીજી રીત છે, મજૂરીના પૈસા બાકી રાખવા. થોડા દિવસો પહેલા દિલ્હીમાં મનરેગા મજૂરોના એક દેખાવમાં ઘણા લોકોએ તેની ફરિયાદ કરી હતી કે કામ કર્યા પછી ત્રણ-ત્રણ વર્ષ પછી તેમની મજૂરીનું ચુકવણી થાય છે! સંબંધિત કાયદામાં તેનો નિયમ છે કે મજૂરીના ચુકવણીમાં વિલંબ થવાની સ્થિતિમાં મજૂરોને તે જ રીતે વળતર મળવું જોઈએ, જેમ આ કાયદામાં તેનું નિયમ છે કે જો માંગણી પર પાત્ર મજૂરને કામ પૂરું પાડવામાં નહિ આવે, તો તેના માટે તેને બેરોજગારી ભથ્થું આપવું જોઈએ. પરંતુ, અત્યાર સુધીમાં ન તો બેરોજગારી ભથ્થાની કોઈ ચુકવણી કરવામાં આવે છે અને ન મજૂરી આપવામાં વિલંબ માટે કોઈ વળતર આપવામાં આવે છે. આ કાયદાનું ઘોર ઉલ્લંઘન છે, પરંતુ તેના માટે કોઈને પણ અત્યાર સુધી દંડિત કરવામાં આવ્યો નથી. મજૂરીના ચુકવણીમાં વિલંબ કામ માગતા લોકોને નિરાશ કરે છે અને આ રીતે આ યોજનાને નબળી બનાવે છે.

પૂરતી ફાળવણીનો અભાવ

આ યોજનામાં પર અંદરથી ઘા મારવાનો ચોથો રસ્તો છે, તેના માટે કેન્દ્ર સરકારના બજેટમાં પૂરતા પ્રમાણમાં ફાળવણી ન કરવી, જે મજૂરીના ચુકવણીમાં વિલંબના કારણોમાંનું એક છે. આ પ્રવૃત્તિ યુપીએ-2ની સરકારના સમયથી ચાલતી આવી રહી છે. તે સમયના નાણાં મંત્રી, પી ચિદમ્બરમ હંમેશા બજેટમાં મનરેગા માટે તેની જરૂરિયાત કરતા ઓછું પ્રાવધાન કરતા હતા અને જ્યારે તેમને આ સંબંધમાં પૂછવામાં આવતું હતું, તેમનો જવાબ હંમેશા એ જ હતો કે કારણ કે આ એક માંગ-ચાલિત યોજના છે, જો જરૂર પડશે તો વધુ પ્રાવધાન કરી દેવામાં આવશે. પરંતુ, સમસ્યા એ છે કે જરૂરિયાત સામે આવ્યા પછી, તેના માટે પ્રાવધાન કરવામાં થોડો વિલંબ થાય છે અને તેના કારણે મજૂરીના ચુકવણીમાં વિલંબ થાય છે. તેનો પરિણામ “મજૂર નિરાશા અસર” થાય છે, જેના કારણે આ યોજનાના અંતર્ગત કામની માંગ ઘટી જાય છે. ભાજપા સરકારે આ રીતને તેની અતિ સુધી પહોંચાડી દીધી છે.

2024-25 ના બજેટમાં મનરેગા માટે 86,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જે મજૂરીના બાકી નિકળતા પૈસા કાપી નાખો તો, લગભગ 60,000 કરોડ રૂપિયા બચશે. કેમ કે સરકાર મજૂરી પણ બાકી રાખી રહી છે. આ ફાળવણી એટલી ઓછી છે કે મજૂરીનું બાકી ફરી વધશે અને આ રીતે બાકી મજૂરીનો એક કાયમી અને વધતો જતો ભંડાર બની જશે, જે વ્યવહારિક રીતે યોજનાના અરજદારોને નિરાશ કરશે અને આ યોજનાને જ નબળું બનાવવાનું કામ કરશે. કોવિડને કારણે અચાનક લાગેલા લોકડાઉનને કારણે જ્યારે હજારો મજૂરો તેમના ગામ માટે પાછા ફરવા માટે મજબૂર થયા હતા, મનરેગાનું સુધારેલ બજેટ 1,13,000 કરોડ રૂપિયા હતું. આ મજૂરોને જીવન રેખા પૂરી પાડી હતી. જોકે, કોવિડના સમાપ્ત થયા પછી પણ શહેરથી ગામ તરફ આ સ્થળાંતર, પાછું ફર્યું નથી. તેનો અર્થ એ થયો કે આ રોજગાર યોજનાના હાલના સ્તરે પણ, તેના માટે ફાળવણી ઉપરોક્ત આંકડાની આસપાસ જ હોવી જોઈએ. તેના બદલે આ વર્ષ માટે મજૂરી બાકી કાઢી નાખો તો, ફક્ત 60,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે મજૂરીના ચુકવણીમાં વિલંબ મજૂરો પર નકારાત્મક પ્રભાવ પાડે છે.

6 ડિસેમ્બરે દિલ્હીમાં વિરોધ કરી રહેલા મનરેગા કામદારો યોજનાના વિસ્તરણ અને તેના માટે 2.5 લાખ કરોડની ફાળવણીની માંગ કરી રહ્યા હતા, જેનાથી થોડો ખ્યાલ આવી શકે છે કે કેટલા પ્રમાણમાં વધારાની જરૂરત છે.

કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી નિષ્ણાતોની એક સમિતિએ થોડા દિવસો પહેલા જ મનરેગા મજૂરો માટે 375 રૂપિયાની દિહાડીની ભલામણ કરી હતી. બીજી બાજુ, ન માત્ર મજૂરીની દરોમાં રાજ્યો વચ્ચે ભારે અસમાનતાઓ છે, એક પણ રાજ્યમાં મજૂરીની દર 375 રૂપિયાની આસપાસ પણ નથી પહોંચતી.

વાસ્તવમાં મોટા રાજ્યોમાંના ચાર–હરિયાણા, કેરળ, કર્ણાટક અને પંજાબમાં જ દૈનિક મજૂરીની દર 300 રૂપિયાથી ઉપર હતી, જ્યારે બાકીના તમામ રાજ્યોમાં મજૂરીની દર 200 થી 300 રૂપિયાની વચ્ચે હતી. આવી દયનીય રીતે ઓછી મજૂરી, જેનું પણ ચુકવણી લાંબા સમય સુધી બાકી રહેતું હોય, આ યોજનાના અંતર્ગત મજૂરી કરતા લોકો માટે ખૂબ જ નિરાશાજનક સાબિત થાય છે.

આ બધા જ રસ્તાઓથી વર્તમાન સરકાર આ અધિકાર આધારિત યોજનાને, જે સ્વતંત્ર ભારતના સૌથી મહત્વપૂર્ણ કાયદાઓમાંનું એક છે, નબળું બનાવી રહી છે અને લોકોને રોકડ ટ્રાન્સફરોના રૂપમાં કૃપા મેળવવા માટે તેમના સામે હાથ ફેલાવવા માટે મજબૂર કરી રહી છે. પરંતુ, ફાસિસ્ટ તત્વોના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી સરકાર પાસેથી આપણે વધુ અપેક્ષા રાખી પણ શું શકીએ?

આજે તો આપણે એક જ મુદ્દાની વાત કરી… દરેક ક્ષેત્રોમા સામાન્ય માણસોની હાલત દયનિય બનાવી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ જીઆઈડીસીઓમાં કામ કરતાં લોકો પાસે 12-12 કલાક કામ કરાવવામાં આવી રહ્યું છે. કેમ કે સરકારે તેની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. વર્તમાન સરકાર કંપની માલિકોની કૃપા મેળવતા રહશે તો બીજી તરફ કંપનીઓને ફાયદો અપાવવા માટે અવનવા નિયમો બનાવીને સામાન્ય લોકોના મૂળભૂત અધિકારોના હનન કરવા સાથે સામાન્ય વ્યક્તિને નજીવા પૈસામાં કામ કરવા માટે મજબૂર બનાવીને તેને માત્રને માત્ર ગુલામ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતની જીઆઈડીસીઓમાં રોટીની મજબૂરીના કારણે કરોડોની સંખ્યામાં ભારતીયો એકદમ ઓછા વેતનમાં પોતાનું જીવન હોમી રહ્યાં છે. કોણ પ્રશ્ન ઉઠાવશે? કેમ કે જનતા પોતે જ રાજકીય પાર્ટીઓની કાર્યકર્તા બની રહી છે, તેથી પોતાની માંને તો કોણ ડાકણ કહેશે?

વર્તમાન સમયમાં ગરીબી-બેરોજગારી-મોંઘવારીના કારણે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સહિત આત્મહત્યા અને મર્ડરની ઘટનાઓ સતત સપાટી ઉપર આવી રહી છે. પરંતુ કોઈ સત્તાધારીઓ સામે અવાજ ઉઠાવી રહ્યું નથી. તો આગામી ટૂંક જ સમયમાં સ્વતંત્ર ભારતની આડમાં ગુલામ બનવા માટે તૈયારી રાખવી પડશે.

Related Posts

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ
  • June 18, 2026

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 ઉત્પાદન હબથી ગુજરાતને વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. રોકાણનું ગુજરાતનું…

Continue reading
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?
  • June 18, 2026

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું? દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં અને ચૂંટણી જીત્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 4 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 5 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 9 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 11 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 8 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!