મલ્લિકાર્જુન ખડગેએ કુંભ વિશે એવું નિવેદન આપ્યું કે સંસદમાં સત્તાપક્ષે કર્યો હોબાળો

  • India
  • February 3, 2025
  • 1 Comments
  • મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કુંભ વિશે એવું નિવેદન આપ્યું કે સંસદમાં સત્તાપક્ષે કર્યો હોબાળો
  • ખડગેના આ નિવેદન બાદ શાસક પક્ષના સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો

મહાકુંભમાં ભાગદોડ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શંકાના દાયરામાં છે. યોગી સરકાર પર જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તે હવે સંસદ સુધી પહોંચી ગયા છે. વિપક્ષી સાંસદોએ મહાકુંભ ભાગદોડ મામલે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર વિરુદ્ધ રાજ્યસભામાં સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના ‘સાચા’ આંકડા જાહેર કરવાની વિપક્ષી સાંસદોએ માંગ કરી. વિપક્ષે પણ આ મુદ્દા પર સૂત્રોચ્ચાર કર્યા અને પ્રતીકાત્મક રીતે ગૃહનો બહિષ્કાર કર્યો.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા પર કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણની શરૂઆત એમ કહીને કરી, “મારું ભાષણ શરૂ કરતા પહેલા, હું મહાકુંભમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, કુંભમાં હજારો લોકોએ ત્યાં પોતાનો જીવ આપ્યો છે.” “

ખડગેના આ નિવેદન બાદ શાસક પક્ષના સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો.

ખડગેના નિવેદન પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીશ ધનખડે તેમને પોતાનું નિવેદન પાછું ખેંચવાની અપીલ કરી.

તેમણે કહ્યું, “વિપક્ષી નેતાએ હજારોમાં આંકડા આપ્યા છે. હું તેમને અપીલ કરું છું કે આ ગૃહમાં જે કંઈ કહેવામાં આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કંઈક એવું કહ્યું છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીંથી જે સંદેશ નીકળે છે, ભલે તેનો ખંડન કરવામાં આવે પરંતુ આખી દુનિયામાં ફેલાય છે.”

રાજ્યસભામાં વિપક્ષી સભ્યોએ આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી અને થોડા સમય માટે ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર પણ કર્યો. ગૃહમાંથી બહાર આવ્યા પછી, ઘણા વિપક્ષી સાંસદોએ સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા.

આ પણ વાંચો- રાહુલ ગાંધીનો સંસદમાં પડઘો; ભાજપ પાસે નહતો કોઈ જવાબ

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં કથિત VIP વ્યવસ્થા પર પણ વિપક્ષી સાંસદોએ પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેમના પર સામાન્ય લોકો પર ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો છે.

આના પર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “આ મારું અનુમાન છે. જો આ ખોટું હોય તો તમે મને જણાવો. જો આ સાચું ન હોય તો તમે મને કહો કે સત્ય શું છે.”

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે મહાકુંભમાં તાજેતરમાં થયેલી ભાગદોડ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. ખડગેના આ દાવા પર ગૃહમાં હોબાળો થયો અને અધ્યક્ષ જગદીપ ધનખરે તેમને નિવેદન પાછું ખેંચવા કહ્યું.

આ મામલે પીટીઆઈના જણાવ્યા અનુસાર ખડગે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ઉપલા ગૃહમાં ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘તાજેતરમાં મહાકુંભમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા.’ તેમના નિવેદન પર શાસક પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ કહ્યું કે, ‘આ મારો અંદાજ છે અને જો તે સાચો નથી તો તમારે સરકારે જણાવવું જોઈએ કે સાચો આંકડો શું છે.’

આ મામલે ખડગે વધુમાં કહ્યું કે, ‘મેં કોઈને દોષ આપવા માટે ‘હજારો’ નથી કહ્યું. પરંતુ ઓછામાં ઓછા કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી આપો. જો હું ખોટો હોઉં તો હું માફી માંગીશ. તેઓએ કેટલા લોકો માર્યા ગયા અને કેટલા ગુમ થયા તેના આંકડા આપવા જોઈએ.’

29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા નિમિત્તે સ્નાન દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 30 લોકોના મોત થયા છે. ખડગેએ કહ્યું, ‘હું મહાકુંભમાં માર્યા ગયેલા લોકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, કુંભમાં માર્યા ગયેલા ‘હજારો લોકોને.’ જો કે, આ શબ્દોનો શાસક પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો.

આ અંગે ખડગેએ કહ્યું કે ‘મેં આ આંકડો કોઈને દોષ આપવા માટે આપ્યો નથી.’ આ દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તેમણે આધુનિક ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો- Kodinar Election: ફોર્મ ચકાસણી વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તું તું મેં મેં, જુઓ વિડિયો

Related Posts

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
  • May 5, 2026

Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

Continue reading
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”
  • May 5, 2026

Gaurav Gogoi Congress: અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અસમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની સંપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત