ચૂંટણીઓ ટાણે જ મતદારયાદી સુધારણા કેમ?, ભાજપના ઈશારે ચૂંટણીપંચ દ્વારા થતી વોટબંધી: Mamata Banerjee

  • India
  • November 11, 2025
  • 0 Comments

Mamata Banerjee: દેશમાં ચૂંટણી ટાણેજ ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનેે મમતા બેનર્જીએ ‘વોટબંધી’ સમાન ગણાવ્યો હતો તેઓએ કહ્યું કે આ કામગીરી એક સુપર ઇમરજન્સીના સ્વરૂપમાં છે.

તેઓએ ઉમેર્યુ કે ભાજપ મતદારયાદી સુધારણા સામે કોઈ અવાજ ઉઠાવેતો જેલમાં પણ ધકેલી શકે છે. મમતા બેનરજીએ સિલીગુડીમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે ચૂંટણી આવવાની હોય ત્યારેજ મતદાર યાદી સુધારણા હાથ ધરવાની કવાયત સમજમાં આવી રહી નથી.

ચૂંટણીપંચે આ પ્રક્રિયા તરત જ બંધ કરી દેવી જોઈએ મતદાર યાદીનું પરીક્ષણ કંઈ બેથી ત્રણ મહિનામાંજ પૂરું ન થઈ જાય તેને સમય લાગી શકે છે પણ અહીં તો આ પ્રક્રિયા જબરજસ્તીથી પુરી કરવા ચૂંટણી પંચ કામે લાગ્યું છે જેમાં ઉતાવળમાં ગોટાળા થઈ શકે છે.

મમતા બેનર્જીએ સરકારને લોકોના મતાધિકાર પર અંકુશ ન લગાવવા અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળમાં પ્રદેશ કોંગ્રેેસ કમિટીએ રાજ્યમાં મતદાર યાદીઓમાં સુધારણાની કવાયતમાં રાહતની માંગ કરતાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

આ કેસ ગતરોજ સોમવારે જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમને પડકારતી એક જાહેર હિતની અરજી કોલકાતા હાઇકોર્ડમાં પડતર છે. આમ, ચૂંટણી પંચની કાર્યવાહી સામે વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવાઈ રહયા છે ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનેે મમતા બેનર્જીએ ‘વોટબંધી’ સમાન ગણાવ્યો હતો.

 

આ પણ વાંચો:

Dharmendra Deol Health Update: ધર્મેન્દ્ર એકદમ સ્વસ્થ,મૃત્યુની ખબર માત્ર અફવા! પુત્રી એશાએ આપી પુષ્ટિ,હેમાએ મીડિયા ઉપર વ્યક્ત કર્યો ગુસ્સો!

New Delhi: ISISના બે આતંકવાદી ઝડપાયા, 8 શંકાસ્પદોની અટકાયત

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Bhavnagar: હીરા ઉદ્યોગ ઈતિહાસની ભયંકર મંદીના ચપેટમાં!, માર્કેટ ખુલવાના એંધાણ નહીં

Related Posts

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત
  • August 1, 2026

Gulf countries Indian deaths: પૈસા કમાવવા અને પરિવારનું જીવન સુધારવા માટે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (UAE), કુવૈત, ઓમાન, બહેરીન અને કતાર જેવા ખાડી…

Continue reading
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી
  • August 1, 2026

PM Modi CJP Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા યુવા આંદોલન અંગે પ્રથમ વખત જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. આ આંદોલન છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીમાં થયેલા મોટા વિરોધ પ્રદર્શનોમાંનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 14 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા