
MODI: દેશમાં હાલ ગેસ કટોકટી સર્જાઈ છે હોટલ-રેસ્ટોરન્ટ બંધ થઈ રહયા છે,ઉદ્યોગો પર અસર પડી છે અને સર્વત્ર મંદીનો માહોલ છે ત્યારે આ માટે વિપક્ષ હવે મોદીને દોષ દઈ રહયા છે જો તેઓએ ઈરાન સાથે દોસ્તી રાખી હોત તો યુદ્ધ દરમિયાન પણ આ સ્થિતિ ન હોત.માનવતા ખાતર ઈરાને બે જહાજ આવવા દેતા થોડું સંકટ ટળ્યું છે પણ બાકીના જહાજ હજુપણ રોકાયેલા છે,કારણ કે ભારતે ઈઝરાયેલ અને ટ્રમ્પનો પક્ષ લીધો તેનાથી ઈરાન નારાજ છે.
ભારતના PM નરેન્દ્ર મોદી વિદેશ નીતિમાં ફેઈલ રહ્યા હોવાની વાત હવે ધીરેધીરે ભારતના રાજકારણથી બહાર વિદેશોમાં ચર્ચાનો વિષય બની છે.ખાસ કરીને ટ્રમ્પના પ્રભાવમાં આવીને નિર્ણય લેવા જેવી બાબતો હવે જગ જાહેર થઈ રહી છે.ઈરાન યુદ્ધ પહેલા ઈઝરાયેલ જવું અને ત્યાંના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ગળે મળવું અને મજબૂત દોસ્તી બતાવવી ત્યાંથી મેડલ લઈ જ્યારે મોદી પરત ભારત આવ્યા ત્યારે એજ નેતન્યાહુએ ઈરાન ઉપર હુમલો કરી દીધો અને ઈરાનના સુપ્રીમોના મોત, સેંકડો સ્કૂલની બાળાઓના મોત અને ઇરાનથી ભારતે આમંત્રિત કરેલા જહાજને અમેરિકાએ તોડી પાડ્યું છતાં મોદી ચૂપ રહયા તે પ્રકારના વ્યવહારથી હવે ઈરાન સાથેના સંબંધો બગડ્યા છે એજ રીતે રશિયા સાથે પણ ટ્રમ્પના કહેવાથી સબંધ બગાડ્યા હવે ગરજ પડી અને ટ્રમ્પના કહેવાથી ફરી રશિયા પાસે તેલ લેવા ગયા તો રશિયાએ પણ દોસ્તી સાઈડમાં મૂકી વધુ રકમ વસૂલીને તેલ આપી રહયા છે આમ અહીં પણ દોસ્તી ખતમ.વિદેશ કૂટનીતિમાં ભારત હવે ફેઈલ ગયાનું વિપક્ષ વારંવાર જણાવી રહ્યું છે.
મોદી સરકારની વિદેશ નીતિમાં પડોશી દેશો સાથેના સંબંધોમાં ‘નેબરહુડ ફર્સ્ટ’ (Neighborhood First) નીતિ સામે પડકારો ઉભા થયા છે ત્યારે દેશમાં અત્યારે ગેસ સંકટ તોળાયું છે તે પણ મોદીની મહેરબાની હોવાનું આપ નેતા સંજય સિંહ જણાવી રહયા છે તેઓએ નરેન્દ્ર મોદીને અભણ નેતા ગણાવી મોદીએ વિદેશ કૂટનીતિમાં વૈશ્વિક સ્તરે ભારતની શાખને નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવ્યું હતું.દેશમાં ઘણા વિડીયો વાયરલ થઈ રહયા છે તેમાં એક નાગરિક કહેતો સંભળાય છે કે “અબ સમય આ ચુકા હૈ! ઝોલા ઉઠાવો ઔર નિકલ પડો!!!”
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






