Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે

Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે

દિલીપ પટેલ
26 જૂન 2026
અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ તો 1500 કરોડ રૂપિયાની ખેત પેદાશો પર ખતરો ઉભો થયો છે. ગુજરાતના 56 લાખ ખેડૂતોમાંથી ઓછામાં ઓછા 30 લાખ ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. ખેત પેદાશોના ઓછા ઉત્પાદનના ખેત પેદાશોના ભાવ વધશે તેથી ફુગાવો વધે એવી શક્યતા છે.

11 વર્ષ પછી આટલો ઓછો વરસાદની સ્થિતિ પેદા થઈ છે.
15 જૂનમાં ચોમાસુ શરૂ થઈ જતું હોય છે. પણ ચોમાસાની ધીમી ગતિ અને અલ નીનોની અસર ખરીફ સિઝનના વાવણી પર અસર કરી છે. આનાથી મગફળી, કપાસ, સોયાબીન, શેરડી, કઠોળ અને ખાદ્ય તેલ જેવા મુખ્ય પાકોના ઉત્પાદન પર અસર થઈ શકે છે. ઓછા વરસાદથી ખાદ્ય પદાર્થના ભાવમાં વધારો થવાની અને કૃષિ પુરવઠો ઘટે એવી શક્યતાઓ છે.

સિંચાઈથી વાવેતર
22 જૂન 2026માં ગુજરાતમાં કુલ 9 ટકા વાવેતર થયું છે જે સિંચાઈ આધારિત છે. જે કુવા, તળાવ અને બંધ આધારિત વાવેતર છે. સરકાર દાવો કરે છે કે, નર્મદાનું પાણી આપવામાં આવે છે. જો તેમ હોય તો 18 લાખ હેક્ટરમાં પાણી પહોંચ્યું હોવું જોઈએ. પણ 1 ટકો એટલે કે 1800 હેક્ટરમાં પણ નર્મદાના પાણીથી આગોતરું વાવેતર જણાતુ નથી. કુલ 85 લાખ હેક્ટર ખેતરોમાં વાવણી થવી જોઈતી હતી પણ થઈ છે માત્ર 7 લાખ 67 હજાર હેક્ટરમાં. જે 9 ટકા થાય છે. ગયા વર્ષે 22 જૂન 2025માં 18 લાખ 30 હજાર હેક્ટરમાં વાવેતર થઈ ગયા હતા.

વાવેતર થયા છે તેમાં સૌરાષ્ટ્રમાં 5 લાખ હેક્ટર, ઉત્તર ગુજરાતમાં 1 લાખ 40 હજાર હેક્ટર, મધ્ય ગુજરાતમાં 47 હજાર હેક્ટર, દક્ષિણ ગુજરાતમાં 7 લાખ 67 હજાર હેક્ટરમાં વાવેતર થયા છે.

બોર કુવાની સિંચાઈના આગોતરું વાવેતર થયા છે, તેમાં મગફળી 2 લાખ 39 હજાર હેક્ટર, કપાસ 4 લાખ 38 હજાર હેક્ટર છે. શાકભાજી 30 હજાર હેક્ટર, ચારો 45 હજાર હેક્ટર છે.

બ્લૂમબર્ગના મતે, આનાથી ભારતના 30 હજાર કરોડ રૂપિયાના કૃષિ અર્થતંત્ર પર અસર પડી શકે છે.

ચોમાસાની ધીમી ગતિથી ખરીફ સિઝન વાવણી પર અસર થવા લાગી છે. જૂન મહિનો ડાંગર, કપાસ, સોયાબીન અને બાજરી જેવા ખરીફ પાકોના વાવણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ મોટા ભાગોમાં વિલંબિત વરસાદને કારણે, ખેડૂતો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

આ ચોમાસામાં મંદી એવા સમયે આવી છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પેસિફિક મહાસાગરમાં વિકસતા અલ નીનો આગામી મહિનાઓમાં ભારતના ચોમાસાને વધુ નબળો પાડી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે આનાથી ખરીફ પાકના ઉત્પાદન પર અસર થવાનું જોખમ વધશે જ, પરંતુ ખાદ્ય તેલ, ખાંડ, કપાસ અને કઠોળ જેવી આવશ્યક કૃષિ ચીજવસ્તુઓના ભાવ પર પણ દબાણ આવી શકે છે. આનાથી ફુગાવા પર પણ અસર થવાની ધારણા છે.

મોડી ચોમાસાની વાવણીની અસર
ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે જૂનના વરસાદના આધારે ખરીફ પાક માટે વાવણી કેલેન્ડર તેના આધારે નક્કી કરવામાં આવે છે. મુંબઈમાં ચોમાસાનું આગમન લગભગ બે અઠવાડિયા મોડું થયું હતું, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે.

જૂન ખરીફ પાકની વાવણી માટેનો મહત્વપૂર્ણ સમય છે. ખેડૂતો પહેલા સારા વરસાદ પછી જ વાવણી શરૂ કરે છે. પરિણામે, જૂનના છેલ્લા અઠવાડિયા સુધી ઘણા વિસ્તારોમાં પૂરતા વરસાદનો અભાવ ખેતી પર અસર કરી રહ્યો છે.

બ્લૂમબર્ગના મતે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ મધ્ય ભારત અને ડેક્કન ક્ષેત્રમાં સૌથી વધુ તીવ્ર અનુભવાઈ રહી છે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના મુખ્ય કૃષિ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ પ્રદેશો દેશના આશરે 90 ટકા સોયાબીન અને શેરડી, 80 ટકા કપાસ અને 70 ટકા મગફળી અને કઠોળ, જેમ કે મસૂર અને ચણાનું ઉત્પાદન કરે છે. આ રાજ્યો ફળ અને શાકભાજીના વાવેતરમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે દેશભરના કૃષિ બજારોને અસર કરે છે.

નાસિકમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ પડે છે.

અહેવાલમાં મહારાષ્ટ્રના નાસિકમાં નબળા ચોમાસાની ઋતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવમાં તીવ્ર વધારો તરફ દોરી જાય છે. નાસિકમાં અત્યાર સુધી જૂનમાં સામાન્ય વરસાદના માત્ર 16 ટકા વરસાદ નોંધાયો છે.

અલ નીનો ચોમાસાને વધુ નબળો પાડી શકે છે.

વૈજ્ઞાનિકોને હજુ સુધી ભારતીય ચોમાસાને અસર કરતા તમામ પરિબળોની સંપૂર્ણ સમજ નથી. તેથી, ચોમાસાના વિલંબ માટે અલ નિનો એકલા જવાબદાર ન હોઈ શકે. જોકે, વર્ષ આગળ વધતાં અલ નિનોની અસર વધવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર, આનાથી છેલ્લા 11 વર્ષમાં સૌથી નબળો ચોમાસું આવી શકે છે. મોડા વાવેલા પાકને ઓછો વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે.

ફુગાવા પર અસર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના આર્થિક અંદાજોમાં અસામાન્ય હવામાનને મુખ્ય જોખમ તરીકે ઓળખ્યું છે.

નિકાસ પ્રતિબંધો
2023 માં ચોમાસાની અનિયમિતતા અને પૂરને પગલે, કેન્દ્ર સરકારે સ્થાનિક બજારમાં કિંમતોને નિયંત્રિત કરવા માટે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત વૈશ્વિક ચોખાના વેપારમાં આશરે 40 ટકા ફાળો આપે છે. જો વર્તમાન હવામાન પરિસ્થિતિ ચાલુ રહે, તો ખાંડની નિકાસ પર પણ નવા પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.

કૃષિ વ્યવસ્થા પહેલા કરતાં વધુ મજબૂત, પરંતુ આબોહવા એક પડકાર રહે છે
ખાદ્ય પ્રણાલીને વધુ સ્થિતિસ્થાપક બનાવી હોવા છતાં, આબોહવા પરિવર્તનને કારણે વધતી અનિશ્ચિતતા એક મોટો પડકાર છે. ગ્લોબલ વોર્મિંગ ચોમાસાના સમય અને પેટર્નને વધુને વધુ અણધારી બનાવી રહી છે. આનાથી દુષ્કાળ અને પૂર જેવી ભારે હવામાન ઘટનાઓનું જોખમ વધી રહ્યું છે.

આ પણ વાંચો: 

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’ – thegujaratreport.com

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી – thegujaratreport.com

Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા – thegujaratreport.com

Related Posts

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી
  • June 25, 2026

Chaitar Vasava Case: ગુજરાતના રાજકારણમાં હાલ એક એવો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે જેણે ન્યાયતંત્ર અને શાસન વ્યવસ્થાની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના મજબૂત…

Continue reading
Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા
  • June 23, 2026

Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂન 2026 ગાંધીધામના નિર્દોષ યુવકે પોલીસ દમનના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ

  • June 26, 2026
  • 2 views
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ

Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે

  • June 26, 2026
  • 4 views
Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

  • June 25, 2026
  • 7 views
Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 10 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 12 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 8 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો