
MP School: આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહે નબળા પરિણામ આપનારા શિક્ષકો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જો પરીક્ષામાં બાળકો દ્વારા મેળવેલા ગુણની ટકાવારી 50 ટકાથી ઓછી હોય, તો આવા આચાર્યો અને આવા શિક્ષકોને તે શાળામાં રહેવાનો કોઈ અધિકાર નથી, તેમની તાત્કાલિક બદલી કરવી જોઈએ. બાળકોના ભવિષ્ય સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં. મંત્રી શાહે કહ્યું કે અધિકારીઓને પ્રેરિત કરવા જોઈએ. જો તમારે 100% પરિણામ જોઈતું હોય તો તમારે સંવેદનશીલતાની સાથે સકારાત્મક વિચારસરણી પણ રાખવી પડશે.
આદિજાતિ વિભાગના બે દિવસીય તાલીમ અને કાર્યક્રમના સમાપન દિવસે મંત્રી વિજય શાહે અધિકારીઓ સાથે પોતાના અનુભવો શેર કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જેમ માતા-પિતા પરિવારના વડા હોય છે, તેમ વિભાગ એક પરિવાર જેવો છે. કમિશનર શ્રીમાન શુક્લાએ પોતાની કાર્યક્ષમતા અને તત્પરતાથી વિભાગને એક નવી દિશા આપી છે.
યસ મેડમ, યસ સર હવે નહીં ચાલે
મંત્રી વિજય શાહે કહ્યું હતુ કે શાળાઓમાં હાજરી દરમિયાન જ્યારે શિક્ષકો બાળકોના નામ બોલાવે છે, ત્યારે બાળકો જવાબમાં યસ મેડમ, યસ સર બોલશે નહીં. હવે બાળકની હાજરી પૂરાતી હોય ત્યારે જય હિંદ સર અથવા જય હિંદ મેડમ બોલવું પડશે.
આ પણ વાંચોઃ ગેસ સિલિન્ડરના ભાવ વધતાં AAPનો વિરોધ, બોટલ પર ભાજપની ઓળખને ઉધી કરાઈ! | LPG Gas Price Increase
આ પણ વાંચોઃ NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close
આ પણ વાંચોઃ મોંઘવારીના માર વચ્ચે PM MODI શ્રીલંકામાં બેસી ક્રિકેટની ચિંતા કરે છે?
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફની ગુજરાતના હીરા ઉદ્યોગ પર શું અસર થઈ રહી છે? જાણો | Trump tariffs
આ પણ વાંચોઃ શું 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે ભારત લાવાશે? | Tahawwur Rana Extradition