
Narendramodi: ભાજપમાં મોટું વર્ચસ્વ ધરાવતા અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂકેલા હરેન પંડ્યા મર્ડર કેસ હજુપણ લોક માનસમાં અંકિત છે.
તા.26મી માર્ચ 2003ના એ દિવસ હતો, 42 વર્ષીય હરેન પંડ્યા અમદાવાદના પોતાના ઘરેથી નીકળી લૉ ગાર્ડન ખાતે મૉર્નિંગ વોક માટે ગયા હતા.મોર્નિંગ વોક પછી તેમની કારમાં બેઠા હતા જ્યાં કથિત રીતે બે હત્યારાઓ દ્વારા તેઓને પાંચ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
આ મર્ડર કેસની ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો અને કેસ ચાલી જતા શરૂઆતમાં ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવ્યો.વર્ષ 2007માં પોટા અદાલત દ્વારા ૧૨ આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી.ત્યારબાદ હાઈકોર્ટનો 2011નો ચુકાદામાં હાઈકોર્ટે પુરાવાના અભાવે તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા અને મુક્ત કરવાનો આદેશ આપ્યો ત્યારબાદ CBI અને ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો જ્યાં 2019મા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટી નાખ્યો અને 7 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત રાખી.
CBI તપાસ દરમ્યાન 2002ના કોમી રમખાણોનો બદલો લેવા માટે આ હત્યાનું કાવતરું રચાયું હોવાનું કહેવામાં આવ્યું હતું.ત્યારબાદ કેસની ફરી તપાસની માંગ કરતી NGOsની અરજી ફગાવી દીધી અને અરજદાર NGOને દંડ પણ ફટકાર્યો હોવાની વાત રેકર્ડ પર છે.
જોકે, આ બધા વચ્ચે હરેન પંડ્યાની હત્યા બાદ તેમના પિતા વિઠ્ઠલભાઈ પંડ્યાએ નરેન્દ્રભાઈ મોદી ઉપર ગંભીર પ્રકારના આરોપ મૂક્યા હતા અને તેઓએ હરેન પંડ્યાની હત્યામાં નામજોગ ઉલ્લેખ કરી પોતાના પુત્ર હરેન પંડ્યા હત્યા કેસમાં નરેન્દ્ર મોદી સંડોવાયેલા હોવાનું જણાવી સનસનાટી મચાવી હતી તેઓના મતે હરેન પંડ્યા મોદી માટે રાજકીય હરીફ હતા તેથી હત્યા કરાવી દેવામાં આવી હતી.
આ મામલે અનેકવાર વિપક્ષ દ્વારા ચર્ચાયો છે તાજેતરમાં મમતા બેનર્જીને પણ આ કેસ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારે હવે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં આ મામલો ચકચારી બન્યો છે.
આ મુદ્દા ઉપર The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ભૂલશો નહિ The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









