
Nadiad Municipal Commissioner: તાજેતરમાં નડિયાદ મનપાના કર્મચારીઓએ કમિશનરની જાણ બહાર હોટલનું ચેગિંગ હાથ ધર્યું હતુ. જે પણ માત્ર એક જ હોટલમાં કરાયું હતુ. જેથી પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે હવે કમિશનરે મનપાના કર્મચારીઓને કહી દીધુ છે કે કમિશનર, નાયબ કમિશનરની પરવાની વગર ખાનગી મિલકતોનું ચેકિંગ હાથ ધરવું નહી.
નડિયાદના મનપાના કમિશનરે જી.એચ. સોલંકીએ લેખિતમાં જણાવ્યું છે કે કોઈપણ ખાનગી મિલ્કત સામે કાયદાકીય કે ચેકિંગ હાથ ધરવું હોય તો નાયબ કમિશનર કે કમિશનરની પરવાનગી લેવી.
તાજેતરમાં નડિયાદ શહેરમાં ભાગ્યોદય હોટલ પર નડિયાદ મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.. જેમાં ભાગ્યોદય હોટલને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે મનપાના કમિશનરને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઇ મનપા કમિશનર દ્વારા કર્મચારીઓને આદેશ કરી કહેવાયું છે કે પરવાનગી લીધા બાદ તપાસ હાથ ધરો.
બીજી બાજુ એવા પણ આક્ષેપ થયા હતા કે માત્ર ભાગ્યોદય હોટલમાં જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. બીજી કોઈ હોટલ કે જગ્યાએ ચેકિંગ કરાયું ન હતુ. જેથી આક્ષેપ થયા હતા કે માત્ર એક હોટલને ટાર્ગેટ બનાવવાનું સડયંત્ર હતુ.
આ પણ વાંચોઃ
અમેરિકા નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 3 બાળકો સહિત 6ના મોત, કેવી રીતે બની ઘટના? | Helicopter crash
તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, રાત્રે 2 વાગ્યે કોર્ટે આપ્યા રિમાન્ડ | Rahawwur Rana Remand
Surat: ગૃહમંત્રી હર્ષ સંઘવીની સોસયટીમાં આગ, સંઘવી દોડી ગયા | Fire | Harsh Sanghvi|
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે! જાણો વધુ | Rain | Saurashtra |
