
Nadiad wife murder case: નડિયાદ જીલ્લા કોર્ટે દેશી તમંચાથી ફાયરિંગ કરી પત્નીનો જીવ લેનાર પતિને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે. આ હત્યાની ઘટના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં બે વર્ષ ઉગાઉ બની હતી.
માહિતી અનુસાર નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ બહાર 15/03/2023ના રોજ પતિ રસિક જેઠા પરમારે બપોરે પોતાની પત્નીને એના ઘરની સોસાયટીની બહાર દેશી તમંચાથી ફાયર કરીને છાતીમાં ગોળી મારીને મોતના મુખમાં ધકેલી દીધી હતી. આરોપીએ એક રાઉંડ ફાયરિંગ કરી પત્ની નિમિષાની હત્યા કરી હતી. એટલું જ નહીં, જમીન પર ઢળી પડેલી પત્ની પર પોતાનું એક્ટિવા પણ ફેરવી દીધું હતું. જે બાદ પોલીસે તેની ધરપડડ કરી લીધી હતી. ત્યારે બે વર્ષ બાદ નડિયાદ જીલ્લા કોર્ટે તેને સજા આપી છે.
આરોપીને આ કલમ હેઠળ સજા અને દંડ
આ કામના આરોપી રસિકને ઈપીકો કલમ 302 માં આજીવન કેદની સજા, રૂ.10 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા, ઈપીકો કલમ 323 માં ત્રણ માસની સજા અને આર્મ્સ એક્ટમાં ત્રણ વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ અને દંડ ન ભરે તો ત્રણ મહિનાની કેદનો હુકમ કોર્ટે કર્યો છે.
કેમ કરી હત્યા?
રસિક પરમારના નિમિષાબહેન સાથે બીજા લગ્ન હતા. પહેલી પત્નીના ઘરે જઈ તેઓ પૈસા આપતા જેને લઈ નિમિષાબહેન સાથે ઘરમાં ઝઘડા થતાં હતા. સાથે સાથે નિમિષાબેન પરમારે તેમના પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. આ કેસની કોર્ટમાં તારીખ હતી. આ કેસમાં સમાધાન ન કરતાં ઉશ્કેરાઈને રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી.
આ પણ વાંચોઃ
‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela
Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!
Rajkot: બાળકીના ગુપ્તાંગમાં પેન નાખ્યાના આક્ષેપ, કર્ણાવતી સ્કૂલની શિક્ષિકાએ આક્ષેપોને નકાર્યા
Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત
Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન