Bullet train: ગુજરાતમાં બુલેટ ટ્રેનની ભારે ચર્ચા છે અને બીલીમોરા સુધી પ્રથમ તબક્કામાં શરૂ થનાર છે ત્યારે 2013માં જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે મુંબઈમાં બુલેટ ટ્રેન પર નિવેદન આપ્યું હતુ તે ફરી વાયરલ થઈ રહ્યું છે મોદીએ 2013માં જે સ્પીચ આપી હતી તે સ્પીચમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “મૈને પ્રધાનમંત્રી(મનમોહન સિંહ) સે બોલા એક છોટા સા કામ કર દીજીયે અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ચાલુ કરવાઈએ.
મૈને કહા ઉસે કયા હોગા કી દુનિયાકો હમારી તાકાત કા પરિચય હોગા ટ્રેન સે વો કોઈ બૈઠને આનેવાલા નહિ હૈ ! આમ નરેન્દ્ર મોદી પોતાના આ ભાષણમાં સ્પષ્ટ બોલે છે, કે વો કોઈ બેઠને નહિ આને વાલા હૈ, હમ ભી કુછ કમ નહિ ઐસા કરના પડતા હૈ! વો કોઈ બેઠને એટલે નરેન્દ્ર મોદીનું કહેવું છે કે ત્યાંથી કોઈ બેસવા નહિં આવે.
આમ,હવે ગુજરાતમાં બુલેટ ટ્રેન ચાલુ થવામાં હજુતો વાર લાગશે પણ “બુલેટ ટ્રેનમાં કોઈ બેસવા નહિ આવે” વાળું નિવેદન ચર્ચામાં આવ્યું છે, દુનિયાના લોકો ભારતમાં ફરવા આવે ત્યારે તે લોકો પણ બુલેટ ટ્રેનનો લાભ લઇ શકે છે અને તે રીતે પણ આ નિવેદન મામલે ચર્ચાઓ ઉઠવા પામી છે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે,જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








