
Narendramodi: અમદાવાદમાં વિદેશી મહેમાન જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝની મુલાકાત દરમિયાન ઝપડપટ્ટીઓ ઢાંકી દેવાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે આ પહેલા પણ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત સમયે ઝૂંપડપટ્ટી ઢાંકવા ખાસ દીવાલ ચણી લેવામાં આવી હતી ત્યારે પણ ભારે ટીકા થઈ હતી.
અમદાવાદમાં ગાંધી આશ્રમ નજીકની ઝૂંપડપટ્ટી જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝને દેખાય નહિ તે માટે બેનર અને કપડાંથી ઢાંકી દેવામાં આવી હતી મહત્વનું છે કે આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાથે રહયા હતા અને ત્યારબાદ તેઓ સાબરમતી રિવરફ્રંટમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થયા હતા.
જોકે, વિદેશી મહેમાન ગરીબી જોઈ જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું તે બાબત ચર્ચાનો વિષય બની હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફેબ્રુઆરી ૨૦૨૦માં અમદાવાદ ખાતે ‘કેમ છો ટ્રમ્પ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમદાવાદમાં રસ્તાઓ પર દીવાલો તેમજ મોટા બેનર વડે ઝૂંપડપટ્ટીઓ ઢાંકી દેવામાં આવી હતી, જેથી ટ્રમ્પ ઝૂંપડપટ્ટીઓ જોઈ ન શકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રસ્તાની બંને બાજુએ, ખાસ કરીને સાબરમતી આશ્રમ તરફ જતા રસ્તા ઉપર ઝૂંપડાઓ દેખાય નહિ તે માટે ઊંચી દીવાલો અને મોટા બેનર ઊભા કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં તે સમયે ટ્રમ્પના આગમન પહેલાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ આ કામગીરી થઈ હતી જેની ખૂબ ટીકા થઈ હતી, કારણ કે ઝૂંપડપટ્ટી ઢાંકી ગરીબી છુપાવવાનો પ્રયાસ થયો હતો દરમિયાન ફરી એક વખત જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝની મુલાકાત દરમિયાન તેઓને પણ ઝૂંપડપટ્ટી દેખાય નહિ તેવો પ્રયાસ કરાતા વિવાદ થયો છે અને ગરીબી છુપાડવાના પ્રયાસની ટીકા થઈ રહી છે આ માટે સિનિયર પત્રકાર દીલીપ પટેલે વિસ્તુત ચર્ચા કરી હતી,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









