
Narendramodi: દેશના પીએમ નરેન્દ્ર મોદીએ એક સૂત્ર આપ્યું હતું કે “મે દેશ બિકને નહિ દુંગા!”પણ ત્યારબાદ મોદીજીના શાસનમાં ખાનગીકરણની પ્રક્રિયા 2013ના કાયદાકીય ફેરફારો વચ્ચે ધીરે ધીરે 2014 બાદની નીતિઓ દ્વારા શરૂ થઈ અને હવે મોટા પાયે આગળ વધી રહી છે.
જેમાં અગાઉ પણ કોંગ્રેસે કહ્યું હતું કે તેઓની સરકાર દ્વારા કરકસર કરીને ઉભી કરેલ અબજોની સરકારી સંપત્તિ મુડીપતિ મિત્રોને પધરાવવાનું કાવતરું મોદી કરી રહયા છે.
2014 પછી, મોદી સરકારે સરકારી ક્ષેત્રની કંપનીઓ અને સંપત્તિઓનું ખાનગીકરણ કરવાની નીતિ અપનાવી છે,તેઓનું માનવું છે કે તેનાથી સરકારની આવક વધે અને કાર્યક્ષમતા આવે.નીતિ આયોગને આગામી વર્ષોમાં સંપત્તિ વેચવા માટેનો પ્લાન બનાવવા માટે કહેવામાં આવ્યું છે, જે ખાનગીકરણની દિશામાં એક મોટું પગલું ગણાય છે,નીતિ આયોગનુ કામ સરકારી કંપનીઓ અને સંપત્તિઓની ઓળખ કરીને તેમના વિનિવેશ માટે કેન્દ્ર સરકારને સલાહ આપવાની હોય છે.
આમ, મોદી સરકારમાં મોટાપાયે ખાનગી કંપનીઓને ફાયદો થાય તે રીતે પ્રોપર્ટી વેચી મારવામાં આવી છે જે અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે સચોટ વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે.The Gujarat Report સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ માટે જુઓ આ વિડીયો
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!




