Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી

Narmada: નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પ્રશાસનને કડક ચેતવણી આપી છે કે, જો સાત દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જેલનો ઘેરાવ કરવામાં આવશે. બીજી તરફ, સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે ચૈતરના સમર્થકોને “ઈંટનો જવાબ પથ્થરથી” આપવાની ચેતવણી આપી, જેનાથી આ મામલો વધુ તીવ્ર બન્યો છે.

ચૈતર વસાવાના જામીનનો વિવાદ

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દાખલ થયેલા પોલીસ કેસને લઈ નર્મદાની જ્યુડિશિયલ અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી ચૈતરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ ત્યાં પણ જામીન ન મળતાં આપના કાર્યકરોએ ભાજપ અને સાંસદ મનસુખ વસાવાને આ માટે જવાબદાર ગણાવ્યા છે. આપના કાર્યકરોનો આરોપ છે કે ચૈતરને ખોટા કેસમાં ફસાવવા માટે ભાજપે કાવતરું રચ્યું છે.

દેવેન્દ્ર વસાવાનો હુંકાર “સાત દિવસમાં છોડો, નહીં તો જેલ ઘેરીશું”

આપના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા (દેવાભાઈ)એ આક્રમક વલણ અપનાવતાં સરકાર અને પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપી. તેમણે જણાવ્યું, “ભાજપની સરકારે ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે કાવતરું રચ્યું છે. જો સાત દિવસમાં ચૈતરભાઈને મુક્ત નહીં કરવામાં આવે તો અમે નર્મદા જિલ્લાની DYSP કચેરી, કલેક્ટર કચેરી અને વડોદરાની સબ જેલનો ઘેરાવ કરીશું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમારા આદિવાસી વડીલોએ અમને જે હથિયારો આપ્યા છે, જેવા કે તીર-કમાણ, ભાલા, કુહાડીઓ, તેની સાથે અમે આંદોલન કરીશું અને આદિવાસી સમાજની તાકાત બતાવીશું.”દેવેન્દ્ર વસાવાએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું, “ગુજરાત અને કેન્દ્ર સરકારે હવે સમજી લેવું જોઈએ. સાત દિવસમાં ચૈતરભાઈને છોડો, નહીં તો આદિવાસી સમાજ ચાર રાજ્યોમાંથી એકઠો થઈને ઉગ્ર આંદોલન કરશે.

મનસુખ વસાવાનો પલટવાર: “ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”

બીજી તરફ, સાંસદ મનસુખ વસાવાએ 22 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું, “ચૈતર વસાવાના જામીન રદ થવામાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી. આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપો લગાવીને અમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. હું આદિવાસીઓના વિકાસમાં માનું છું અને ઝઘડાઓથી આદિવાસી સમાજનું નુકસાન થાય છે.” તેમણે ચૈતરના સમર્થકોને ચેતવણી આપતા કહ્યું, “જો કોઈ મને ખોટી રીતે છંછેડશે તો હું ચૂપ નહીં રહું. હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. હું દુશ્મનીમાં માનતો નથી, પરંતુ આદિવાસી સમાજના હિત માટે આપણે સૌએ કાયદેસર રીતે લડવું જોઈએ.

આદિવાસી સમાજમાં તીવ્ર રોષ

ચૈતર વસાવાના કેસે નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજમાં તીવ્ર રોષ ફેલાવ્યો છે. દેવેન્દ્ર વસાવાના નિવેદનથી આ મુદ્દે આદિવાસી સમાજની લડત વધુ ઉગ્ર બની રહી છે. તેમણે સરકારને આખરી ચેતવણી આપતા કહ્યું, “હજુ સમય છે, સરકારે સમજી લેવું જોઈએ. ચૈતરભાઈને મુક્ત કરો, નહીં તો આદિવાસી સમાજની શક્તિનો પરચો જોવા તૈયાર રહો.”

નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો

ચૈતર વસાવાનો જામીન મુદ્દો હવે રાજકીય અને સામાજિક વિવાદનું કેન્દ્ર બન્યો છે. એક તરફ આપના નેતાઓએ આંદોલનની ચીમકી આપીને સરકાર પર દબાણ વધાર્યું છે, તો બીજી તરફ મનસુખ વસાવાએ આક્ષેપોને નકારી કાયદેસર લડાઈની હિમાયત કરી છે. આ સ્થિતિ આગામી દિવસોમાં નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધારે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ 

Sabarkantha: તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય

Maharajganj: સ્કૂલ બંધ થતાં બાળકો પોકે પોકે રડ્યા, અમારી સ્કૂલ ચાલુ રાખો, સરકારને કેમ સંભળાતો નથી માસૂમોનો પોકાર?

Bhavnagar: રેલવે વિભાગમાં ભ્રષ્ટાચાર, રેલવેનો એન્જિનિયર લાખોની લાંચ લેતા ઝડપાયો

Kaushambi Crime: જેઠાણીની કચકચથી દેરાણીએ લોટમાં ઝેર ભેળવ્યું, પરિવાર ખાય તે પહેલા પડી ખબર, જાણો પછી શું થયું?

Kheda: અમૂલ ડેરીના ભ્રષ્ટાચાર અને દારૂના અડ્ડાઓની પોલ ખોલવાની ‘સજા’,પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ

Jagdeep Dhankhar Resignation: “બે-ખુદી બે-સબબ નહીં ગાલિબ, કુછ તો હૈ જિસ કી પરદા-દારી હૈ” જગદીપ ધનખડના રાજીનામા પાછળનું સત્ય શું?

 

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 3 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 12 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 10 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 11 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર