Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી

Narmada: નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પ્રશાસનને કડક ચેતવણી આપી છે કે, જો સાત દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જેલનો ઘેરાવ કરવામાં આવશે. બીજી તરફ, સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે ચૈતરના સમર્થકોને “ઈંટનો જવાબ પથ્થરથી” આપવાની ચેતવણી આપી, જેનાથી આ મામલો વધુ તીવ્ર બન્યો છે.

ચૈતર વસાવાના જામીનનો વિવાદ

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દાખલ થયેલા પોલીસ કેસને લઈ નર્મદાની જ્યુડિશિયલ અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી ચૈતરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ ત્યાં પણ જામીન ન મળતાં આપના કાર્યકરોએ ભાજપ અને સાંસદ મનસુખ વસાવાને આ માટે જવાબદાર ગણાવ્યા છે. આપના કાર્યકરોનો આરોપ છે કે ચૈતરને ખોટા કેસમાં ફસાવવા માટે ભાજપે કાવતરું રચ્યું છે.

દેવેન્દ્ર વસાવાનો હુંકાર “સાત દિવસમાં છોડો, નહીં તો જેલ ઘેરીશું”

આપના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા (દેવાભાઈ)એ આક્રમક વલણ અપનાવતાં સરકાર અને પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપી. તેમણે જણાવ્યું, “ભાજપની સરકારે ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે કાવતરું રચ્યું છે. જો સાત દિવસમાં ચૈતરભાઈને મુક્ત નહીં કરવામાં આવે તો અમે નર્મદા જિલ્લાની DYSP કચેરી, કલેક્ટર કચેરી અને વડોદરાની સબ જેલનો ઘેરાવ કરીશું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમારા આદિવાસી વડીલોએ અમને જે હથિયારો આપ્યા છે, જેવા કે તીર-કમાણ, ભાલા, કુહાડીઓ, તેની સાથે અમે આંદોલન કરીશું અને આદિવાસી સમાજની તાકાત બતાવીશું.”દેવેન્દ્ર વસાવાએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું, “ગુજરાત અને કેન્દ્ર સરકારે હવે સમજી લેવું જોઈએ. સાત દિવસમાં ચૈતરભાઈને છોડો, નહીં તો આદિવાસી સમાજ ચાર રાજ્યોમાંથી એકઠો થઈને ઉગ્ર આંદોલન કરશે.

મનસુખ વસાવાનો પલટવાર: “ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”

બીજી તરફ, સાંસદ મનસુખ વસાવાએ 22 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું, “ચૈતર વસાવાના જામીન રદ થવામાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી. આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપો લગાવીને અમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. હું આદિવાસીઓના વિકાસમાં માનું છું અને ઝઘડાઓથી આદિવાસી સમાજનું નુકસાન થાય છે.” તેમણે ચૈતરના સમર્થકોને ચેતવણી આપતા કહ્યું, “જો કોઈ મને ખોટી રીતે છંછેડશે તો હું ચૂપ નહીં રહું. હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. હું દુશ્મનીમાં માનતો નથી, પરંતુ આદિવાસી સમાજના હિત માટે આપણે સૌએ કાયદેસર રીતે લડવું જોઈએ.

આદિવાસી સમાજમાં તીવ્ર રોષ

ચૈતર વસાવાના કેસે નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજમાં તીવ્ર રોષ ફેલાવ્યો છે. દેવેન્દ્ર વસાવાના નિવેદનથી આ મુદ્દે આદિવાસી સમાજની લડત વધુ ઉગ્ર બની રહી છે. તેમણે સરકારને આખરી ચેતવણી આપતા કહ્યું, “હજુ સમય છે, સરકારે સમજી લેવું જોઈએ. ચૈતરભાઈને મુક્ત કરો, નહીં તો આદિવાસી સમાજની શક્તિનો પરચો જોવા તૈયાર રહો.”

નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો

ચૈતર વસાવાનો જામીન મુદ્દો હવે રાજકીય અને સામાજિક વિવાદનું કેન્દ્ર બન્યો છે. એક તરફ આપના નેતાઓએ આંદોલનની ચીમકી આપીને સરકાર પર દબાણ વધાર્યું છે, તો બીજી તરફ મનસુખ વસાવાએ આક્ષેપોને નકારી કાયદેસર લડાઈની હિમાયત કરી છે. આ સ્થિતિ આગામી દિવસોમાં નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધારે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ 

Sabarkantha: તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય

Maharajganj: સ્કૂલ બંધ થતાં બાળકો પોકે પોકે રડ્યા, અમારી સ્કૂલ ચાલુ રાખો, સરકારને કેમ સંભળાતો નથી માસૂમોનો પોકાર?

Bhavnagar: રેલવે વિભાગમાં ભ્રષ્ટાચાર, રેલવેનો એન્જિનિયર લાખોની લાંચ લેતા ઝડપાયો

Kaushambi Crime: જેઠાણીની કચકચથી દેરાણીએ લોટમાં ઝેર ભેળવ્યું, પરિવાર ખાય તે પહેલા પડી ખબર, જાણો પછી શું થયું?

Kheda: અમૂલ ડેરીના ભ્રષ્ટાચાર અને દારૂના અડ્ડાઓની પોલ ખોલવાની ‘સજા’,પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ

Jagdeep Dhankhar Resignation: “બે-ખુદી બે-સબબ નહીં ગાલિબ, કુછ તો હૈ જિસ કી પરદા-દારી હૈ” જગદીપ ધનખડના રાજીનામા પાછળનું સત્ય શું?

 

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 3 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 9 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 10 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

  • June 23, 2026
  • 12 views
Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

  • June 23, 2026
  • 10 views
Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા

  • June 23, 2026
  • 11 views
Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા