
Bijnor Murder Case: ઉત્તર પ્રદેશમાં વધુ એક હચમચાવી નાખતી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. યુપીના મેરઠમાં સૌરભ હત્યા કેસની જેમ, બિજનોર જિલ્લામાં પણ એક મહિલાએ તેના પતિની હત્યા કરી છે. હત્યા બાદ પત્નીએ હોબાળો મચાવ્યો કે પતિને હાર્ટ એટેક આવ્યો છે, પરંતુ પોસ્ટમોર્ટમ દ્વારા આખો મામલાનો પર્દાફાશ થઈ ગયો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે રેલ્વે કર્મચારીની હત્યા કરવામાં આવી હતી; તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું ન હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાની સાથે જ બધા ચોંકી ગયા હતા. બિજનૌર પોલીસે પતિની હત્યાના આરોપમાં પત્નીની ધરપકડ કરી છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે પત્નીએ કોની સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
4 એપ્રિલે પત્ની પરિવારનો દિપક બૂઝાવ્યો
બિજનૌરના નજીબાબાદ વિસ્તારમાંથી આ સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. હલ્દ્વાર પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા આદર્શ નગરમાં પત્ની અને એક વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતા દીપક કુમાર (ઉ.વ.29) નજીબાબાદ રેલવે સ્ટેશનના કેરેજ અને વેગનમાં ટેકનિકલ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. 4 એપ્રિલના રોજ દીપકની લાશ તેના ઘરમાંથી શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવી હતી. જોકે પત્ની પોતે તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. પત્ની ઈચ્છતી ન હતી કે પોસ્ટમોર્ટમ થાય. જો કે પરિવારને ગળાના ભાગે ઘા જોવા મળતાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. જેમાં ખુલાસો થયો કે હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે અને આરોપ લગાવ્યો કે પત્નીએ નોકરી અને પૈસા પડાવવા માટે આ હત્યા કરી હતી.
17 જાન્યુઆરી 2024 ના રોજ થયા હતા પ્રેમ લગ્ન
હલ્દૌરના મુકરંદપુર ગામનો રહેવાસી દીપક કુમારે 17 જાન્યુઆરી, 2024 ના રોજ ચૌહદપુર નહતૌરની રહેવાસી શિવાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દીપક તેની પત્ની સાથે નજીબાબાદના આદર્શ નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. શુક્રવારે બપોરે શિવાનીએ તેના સાસુ અને સાળાને ફોન પર તેના પતિ દીપકના હાર્ટ એટેક વિશે જાણ કરી હતી. શિવાની તેના પતિને ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ અને ત્યાંથી સામીપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ દિપકને એડમિટ કર્યો ન હતો.
શિવાની તેના પતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા માંગતી ન હતી
ત્યારબાદ બિજનૌર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ દીપકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. શિવાની તેના પતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા માંગતી ન હતી, પરંતુ ગળા પરના નિશાન જોયા પછી, પરિવારે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે દીપકનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હતું. પોલીસે શિવાનીને પકડી લીધી અને પૂછપરછ કરી હતી. સીઓ નિતેશ પ્રતાપ સિંહે જણાવ્યું કે શિવાની પૂછપરછ દરમિયાન ગોળગોળ જવાબ આપી રહી હતી. જો કે પોલીસે સઘન પૂછપરછ કરતાં હત્યાની કબૂલાત કરી હતી. પોલીસએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હત્યા સમયે તેની સાથે કોણ હતું. પોલીસ પ્રેમ પ્રકરણ સહિત અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.
શિવાની તેની સાસુને માર મારતી હતી

દીપકની માતા પુષ્પા અને ભાઈ પીયૂષે જણાવ્યું કે શિવાનીનું તેના સાસરિયાઓ પ્રત્યેનું વર્તન યોગ્ય નહોતું. તે તેની સાસુને પણ માર મારતી હતી. ઘરમાં ચાલી રહેલા વિવાદને કારણે, દીપક 15 દિવસ પહેલા તેની પત્નીને નજીબાબાદ લાવ્યો હતો. તેણે એક ઘર ભાડે રાખ્યું અને તેણીને પોતાની સાથે રાખી હતી. દીપકને એક વર્ષનો દીકરો વેદાંત છે. શિવાની ગ્રેજ્યુએટ હતી. એવો આરોપ છે કે તેના પતિ શિવાનીના મૃત્યુ પછી, મૃતકના આશ્રિત તરીકે નોકરી અને પૈસા મેળવવા માટે, કોઈની સાથે મળીને દીપકની હત્યા કરી હતી.
દોરડાથી પતિનું ગળું દબાવ્યું
પોલીસના જણાવ્યા મુજબ, દોરડાથી ગળું દબાવવામાં આવ્યું હતું. જે સમયે આ ઘટના બની તે સમયે રેલ્વે કર્મચારી કંઈક ખાઈ રહ્યો હતો. પોસ્ટમોર્ટમ સમયે પણ તેના ગળામાં ખોરાક ફસાયેલો મળી આવ્યો હતો.
શું પતિની હત્યા બીજુ કોઈ સામેલ હતુ?
એસપી સિટીના જણાવ્યા અનુસાર, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શિવાનીએ હત્યાની કબૂલાત કરી લીધી છે. પરંતુ તે સતત ગેરમાર્ગે દોરી રહી છે કે તેની સાથે કોણ હતું. શરૂઆતમાં પોલીસને એક યુવાનનું નામ જણાવવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે યુવકે કહ્યું કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. હાલમાં પોલીસ બીજા આરોપીનું નામ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
દીપક CRPFમાં કામ કરતો હતો
દીપક વર્ષ 2021 માં CRPF મણિપુરમાં જોડાયો હતો. CRPF નોકરી છોડ્યા બાદ, દીપક માર્ચ 2023 માં રેલ્વેની નોકરીમાં જોડાયો હતો. હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રેમ સંબંધ હોય કે અન્ય કોઈ પાસું, દરેક બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ હવે LPG ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો, શું છે કારણો?
આ પણ વાંચોઃ સાઉદી અરેબિયાએ ભારત-પાકિસ્તાન સહિત 14 દેશો પર વિઝા પ્રતિબંધ લગાવ્યો, જાણો કારણ? | Saudi Arabia bans visa
આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વાહનચાલકો પર શુ અસર? | Petrol-Diesel Price