
Navneet Rana: મહારાષ્ટ્ર ભાજપના નેતા નવનીત રાણાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે હિન્દૂ દેશને જો બચાવવો હોયતો દરેક હિન્દુઓએ ઓછામાં ઓછા 3 થી 4 બાળકો પેદા કરવા પડશે.
એક ખાસ સમુદાય પર નિશાન સાધતા તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ વધુ બાળકો પેદા કરી રહયા છે જેથી તે લોકોની વસ્તી વધી જશે અને ભારતમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે અને ભારત એક દિવસ પાકિસ્તાન બની જશે.જેથી હિન્દુઓએ વધુ બાળકો પેદા કરવા જોઈએ.
જોકે, નવનીત રાણાના આ નિવેદનનો વિપક્ષ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.
નવનીત રાણાએ દાવો કર્યો છે કે તેમણે આ નિવેદન એટલા માટે આપ્યું છે કારણ કે તેમણે મૌલાનાને આવું કહેતા સાંભળ્યા હતા કે તેઓ ખુલ્લેઆમ જાહેર કરે છે કે તેને પોતાને ચાર પત્નીઓ અને ૧૯ બાળકો છે છતાંપણ તેઓ દુઃખી છે કારણ કે તેઓ ૩૫ બાળકો થાય તેવી ઈચ્છા રાખતા હતા પણ ૧૯ બાળકો જ કરી શક્યા જેથી તેઓને ૩૫ બાળકો ન થવા બદલ શરમ આવે છે,આમ એ લોકો વધારે ને વધારે બાળકો પેદા કરી હિન્દુસ્તાનને વસ્તીની દૃષ્ટિએ પાકિસ્તાન બનાવવા માંગે છે જેથી તેઓના આ કાવતરા સામે હિન્દુઓએ પણ ચેતી જવું જોઈએ અને વધુ નહિ તો દરેકે 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ.
તેઓએ ઉમેર્યુ કે હિંદુઓ એક સંતાનથી કેમ ખુશ છે?પણ હવે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો હોવા જોઇએ નહીતો ભારત એક દિવસ પાકિસ્તાન બની જશે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!








