હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal

  • Gujarat
  • April 20, 2025
  • 5 Comments

Hindu Nation and Monarchy Demand in Nepal: ભારતની પાડોશી દેશ નેપાળમાં ફરી એકવાર રાજાશાહી શાસન પાછુ લાવવાની માંગ  ઉઠી છે. રાજાશાહી લાવવા સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) ના સેંકડો નેતાઓ અને કાર્યકરોએ રવિવારે વડા પ્રધાનના નિવાસસ્થાન અને સંસદ ભવન પાસે જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું અને રાજાશાહી પુનઃસ્થાપિત કરવા અને સાથે સાથે દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી છે.

બિજુલીબજાર-બાનેશ્વર વિસ્તારમાં લગભગ 1,500 પ્રદર્શનકારારીએ એત્રિત થઈ “પ્રજાસત્તાક મુર્દાબાદ”, “અમને રાજાશાહી જોઈએ”, “ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ”, અને “નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો” જેવા નારા લગાવ્યા હતા. તેમના હાથમાં આ સૂત્રો લખેલા બેનરો અને પોસ્ટરો પણ હતા. આ  પ્રદર્શનનું નેતૃત્વ આરપીપી પ્રમુખ રાજેન્દ્ર લિંગડેન, વરિષ્ઠ નેતા પશુપતિ શમશેર રાણા અને નેપાળ પોલીસના પૂર્વ મહાનિરીક્ષક ધ્રુવ બહાદુર પ્રધાન સહિત અનેક નેતાઓ કરી રહ્યા છે.

ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, શિક્ષકો પણ વિરોધમાં ઉતર્યા

કાઠમંડુના નયા બાણેશ્વર, બિજુલી બજાર, મૈતીઘર, ભદ્રકાલી અને બાલુવાતાર વિસ્તારોમાં હજારો પ્રદર્શનકારીઓ એકઠા થયા છે. સ્થિતિ બેકાબૂ ન બને તે માટે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે પ્રદર્શનકારીઓએ કર્ફ્યુનું ઉલ્લંઘન કરીને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. નેપાળની સરકારથી શિક્ષકો પણ ત્રાસી ગયા છે. રવિવારે સવારથી જ દેશભરના હજારો શાળા શિક્ષકો, લોકોએ કાઠમંડુના નયા બાણેશ્વર વિસ્તારમાં પ્રદર્શન કર્યું છે. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં સુધારા અને પગાર અને ભથ્થામાં વધારાની માંગ કરી હતી.

વિરોધ પ્રદર્શનો પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોચી ગયા

ભદ્રકાલી વિસ્તારમાં  જ્યાં સચિવાલય ભવન અને વડા પ્રધાન કાર્યાલય આવેલા છે, ત્યાં પણ રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્રની માંગણી કરતા સેંકડો વિરોધીઓએ પ્રદર્શન કર્યું છે. જ્યારે બીજા એક જૂથે સંસદ ભવનની સામે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતુ. જેથી નેપાળની સરકાર ઘેરાઈ છે.

પ્રદર્શનકારીઓ ચીમકી ઉચ્ચારી છે કે અનિશ્ચિત સમય સુધી અમારું આંદોલન ચાલુ રાખશે, જેનો ઉદ્દેશ્ય દેશમાં રાજાશાહી અને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાનો છે.  તેમના પ્રદર્શનને કારણે રાજધાની કાઠમંડુમાં ટ્રાફિક પ્રભાવિત થયો છે. ઉલ્લેખનયી છે કે જાન્યુઆરી 2007 માં વચગાળાના બંધારણના અમલ પછી, નેપાળને ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. જેથી વિશ્વના એકમાત્ર હિન્દુ દેશ તરીકે નેપાળનો સો વર્ષ જૂનો દરજ્જો સમાપ્ત થયો કર્યો હતો.

આ પણ વાંચોઃ

કુલભૂષણને સજા સામે અપીલ કરવાનો કોઈ હક નથી: પાકિસ્તાન સરકારની કોર્ટમાં દલીલ | Kulbhushan Case

UP: થનાર જમાઈ સાસુને વહુ બનાવીને લાવતાં જ ભગાડ્યા, આશરો પણ ન આપ્યો, આ રીતે કાઢી રાત?

Ahmedabad: નરોડામાં લિફ્ટ તૂટી, ફસાયેલી મહિલાઓએ ચીસાચીસ કરી, જાનહાનિ ટળી

ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire

UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!

 

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

One thought on “હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના