New Delhi Stampede: પૂર્વ રેલવે મંત્રી લાલુએ કુંભ મેળાને ‘નકામો’ કહ્યો, તેમણે કહ્યું, ‘રેલવે મંત્રીએ જવાબદારી લેવી જોઈએ’

  • India
  • February 16, 2025
  • 0 Comments

 

New Delhi Stampede:  દેશના પૂર્વ રેલ્વે મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદે કુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે, તેમમે કુંભ મેળાને નકામો પણ ગણાવ્યો છે. તેણે કહ્યું કુંભનો અર્થ શું થાય છે? કુંભ નકામો છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીથી કુંભ મેળામાં જવા નીકળેલા 18 ભક્તોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બની છે.

રેલવે વિભાગની બેદરકારીને કારણે  લોકોએ જીવ ગુમાવ્યા

લાલુ પ્રસાદ યાદવે ભાગદોડની ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે હું પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમણે આ અકસ્માત માટે સંપૂર્ણપણે રેલવેને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે રેલવે વિભાગની બેદરકારીને કારણે આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે. રેલવે મંત્રીએ જવાબદારી લેવી જોઈએ. કુંભ વિશે તેમણે કહ્યું, ‘કુંભનો અર્થ શું છે? કુંભ નકામો છે.

ઉલ્લેખનીય છે કે કે શનિવારે મોડી રાત્રે દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 14 મહિલાઓ સહિત કુલ 18 લોકોના મોત થયા છે અને 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજ જતી ટ્રેનમાં ચઢવા માટે પ્લેટફોર્મ નંબર 14અને 15 પર મુસાફરોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (રેલ્વે) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 પર ઉભી હતી, ત્યારે ત્યાં પહેલાથી જ લોકોની ભારે ભીડ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ મોડી ચાલી રહી હતી અને આ ટ્રેનોના મુસાફરો પણ પ્લેટફોર્મ નંબર 12, 13 અને 14 પર હાજર હતા. “રેલ્વે દ્વારા દર કલાકે 1,500 જેટલી જનરલ ટિકિટ વેચાઈ રહી હતી, સ્ટેશન પર ભીડ વધી ગઈ અને પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી,” પ્લેટફોર્મ નંબર 14 પર અને પ્લેટફોર્મ નંબર 16 નજીક એસ્કેલેટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના રાત્રે લગભગ 9.55 વાગ્યે બની હતી, જેના પગલે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

વડાપ્રધાન મોદીએ નાસભાગ મામલે શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી હું દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”

 

આ પણ વાંચોઃ કુંભમેળો પ્રયાગરાજમાં અને નવી દિલ્હીમાં નાસભાગ, 18ના થયા મોત, વાંચો સમગ્ર ઘટના

આ પણ વાંચો: Bihar News: એક પતિના બે પત્ની વચ્ચે ભાગ, પહેલી પત્ની સાથે 4 અને બીજી સાથે 3 દિવસ…, છૂટાછેડા લીધા વિના લગ્ન કરતાં સલવાયા

 

Related Posts

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ
  • August 7, 2025

Udaipur Files: ઉદયપુર જિલ્લામાં ત્રણ વર્ષ પહેલા થયેલા કન્હૈયાલાલ હત્યા કેસ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ થવા ઝઈ રહી છે. આ ફિલ્મ છેલ્લા એક મહિનાથી રિલીઝ ડેટમાં અટવાયેલી હતી.દિલ્હી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 1 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 47 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 12 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 13 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 30 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 14 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી