
મહેશ ઓડ
Pahalgam terrorist attack: પહેલગામ હુમલા બાદ દેશમાં જુસ્સો હતો કે હવે ભારત 26 નાગરિકોની હત્યાનો બદલો લઈને જ જંપશે. લોકોએ સહિત નેતાઓ મન બનાવી લીધું હતુ કે ભારત હવે પહેલગામ હુમલાનો બદલો લેશે. જળ શક્તિ મંત્રી સી. આર. પટીલે તો જાહેર કરી દીધુ હતુ કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈ સન્માન, ગુલદસ્તા કે સ્મૃતિચિહ્ન સ્વીકારીશ નહી. જોકે એકાએક ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને ધમકી આપી યુધ્ધ રોકાવી દીધું. આ વાત પોતે ટ્રમ્પે કરી છે.
ત્યારે ટ્રમ્પ સામે ઝૂકેલા પીએમ મોદીએ એકાએક સીઝ ફાયર સ્વીકારી લેતાં સી.આર પાટીલનું પણ વિાચાર્યું નહીં. કે તેમની પ્રતિજ્ઞાનું શું થશે. સી.આર. પાટીલને શૈલેષ કળથિયાની પત્નીએ ખખડાવ્યા બાદ પહેલગામ હુમલાનો બદલો લેવા પ્રતિજ્ઞા લઈ લીધી હતી અને સન્માન સ્વીકારની ધરાર ના પાડી દીધી હતી.
જોકે હવે સી.આર પાટીલ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણ કે હજુ સુધી પહેલગામ હુમલાનો એકપણ આતંકીવાદી ઝડપાયો નથી. કે તેમને મારવામાં પણ આવ્યા નથી. તો બદલો લીધો કેવી રીતે કહી શકાય?, બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ હાથ ઉંચા કરી દીધા છે અને કહી દીધું છે કે આ યુગ યુધ્ધનો નથી.
હજુ સત્તવાર રીતે પહેલગામ હુમલાનો આતંકી ઝડપાયો હોય તેવી માહિતી સામે આવી નથી. માત્ર સ્થાનિકોની શંકાને આધારે ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેમાં પણ કંઈ સામે આવ્યું નથી.
પાટીલે કયા કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાની ના પાડી દીધી હતી?
સુરતમાં તાજેતરમાં યોજાયેલ ગ્લોબલ ઈન્વેસ્ટર કોન્ફરન્સ માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે નાનું કે મોટું કોઈપણ સન્માન સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતુ કે પહેલગામ આતંકી હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી હું કોઈ સન્માન નહીં સ્વીકારુ. વધુમાં કહ્યું હતુ કે કોઈ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકેના સન્માન, સ્વાગત, મોમેન્ટો અને બૂકે પણ નહીં સ્વીકારુ.
ત્રણ આતંકીઓની જાણ કરનારને 20 લાખનું ઈનામ
બીજી તરફ ત્રણ જેટલાં આતંકીઓની જે કોઈ ખબર આપશે તેને 20 લાખનું ઈનામ આપવામાં આવશે. ત્યારે સવાલ એ થાય છે કે ભારતની આટલી મોટી સિક્યોરીટી ફોર્સ આ આતંકીઓની શોધી શકતી નથી. તો સામાન્ય માણસ કેવી રીતે શોધી શકે?
આ પણ વાંચોઃ
ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor
ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? | Monsoon
Modi address: મફતમાં નાટક જોવાની તક ચૂકશો નહીં, વિશ્વના મહાન કલાકાર આવી રહ્યા છે’ | Sanjay Singh
UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?
MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?
ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide
ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી
ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી
બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan
India-Pakistan સંઘર્ષથી બંને દેશોને કેટલું નુકસાન થયું? આંકડાઓની નકલી યાદી થઈ વાયરલ
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
