Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

મહેશ ઓડ

Panchmahal, Gamani village no electricity connection: ગુજરાત સરકાર વિકાસના બણગાં ફૂંકી રહી છે પણ વાસ્તવિકતા કંઈ અલગ છે. પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા ગમાણી ગામે વર્ષોથી 6 પરિવારો વીજ કનેશન વગર દિવસ-રાત કાઢે છે. અહીં રહેતાં લોકોને અજવાળું જોઈએ છે,  લોકો કહે છે કે અમે જીંદગીથી રહીએ છીએ પણ તંત્ર અમારી કોઈ જ રજૂઆત સાંભળતું નથી. વારંવાર સરપંચને રજૂઆત કરવા છતાં વીજ કનેક્શન આપવામાં આવતું નથી. જેથી ગામલોકોને રાત્રે ઝેરી જીવ કરડી જવાનો ડર રહે છે. તેઓ રાત જીવના જોખમે કાઢે છે.

ગમાણી ગામના વાકળિયા ફળિયા રહેતાં છ પરિવારોને ગુજરાત સરકારની વીજ યોજનાઓનો લાભ હજુ સુદી પહોંચ્યો નથી.   સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજના, ઉજ્વલા ભારત ઉજ્વલા ગુજરાત યોજનાઓ છે. તો આ ગામના લોકોને લાભ કેમ આપવામાં આવતો નથી?, તેવા સવાલો થઈ રહ્યા છે.

તંત્ર લાઈટ માટે બહુ રખડાવે છે

ગમાણી ગામના ભયલાલભાઈ વેલિયાભાઈ રાઠવાએ પોતાની વેદના ઠાલવતાં કહ્યું કે અમારે વર્ષોથી લાઈટ નથી. અમારા કુટુંબના છ ઘરોમાં તંત્ર વીજ કનેક્શન આપતું નથી. અમોએ વારંવાર રજૂઆત કરી છે પણ અમારું કોઈ સાંભળતું નથી. અમોને તંત્ર લાઈટ માટે બહુ રખડાવે છે. વીજ કંપની પણ સાંભળતી ન હોવાનું જણાવી રહ્યા છે.

સરકારે કેરોસીન બંધ કરતાં અજવાળું કઈ રીતે કરવું?

ભયલાલભાઈ કહ્યું કે અમારા લોકોને કેરોસીન પણ મળતું નથી. સરકારે કેરોસીન આપવાનું બંધ કરી દીધું છે. જેથી હવે તો ખડિયો(દીવો) પણ સણગાવી શકતા નથી. જેથી અમારા 6 પરિવાર અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. અહીં વાવાઝોડા સમયે પણ ઘણુ નુકસાન થાય છે તેમ છતાં તંત્ર આંખ આાડા કાન કરી રહ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે નુકસાન જોવા સરપંચ પણ આવ્યા નથી કે નુકસાનની ફોટા પણ પાડ્યા નથી. ત્યારે ભયલાલભાઈ રાઠવાની એક જ માગ છે અમનો તંત્ર વીજળી આપે.

સરકારની યોજનાઓને ઘોળી પી જતું સ્થાનિક તંત્ર

ગમાણી ગામના છ પરિવારોને વીજ કનેક્શન ન મળવું એ ગુજરાતની ભૂપેન્દ્ર સરકારનું છેવાડાના વિસ્તારમાં ધ્યાન ન આપવાનું પરિણામ છે. સાથે સાથે સ્થાનિક વહીવટી ખામી અને સ્થાનિક સ્તરે અમલીકરણની નિષ્ફળતા દર્શાવે જ છે. તેમણે તાત્કાલિક તપાસ કરીને કનેક્શન આપવું જોઈએ. સરકારનો દાવો છે કે તમામ ઘરોમાં વીજળી પહોંચી છે, પરંતુ આવા કિસ્સાઓ યોજનાઓના અમલમાં ખામીઓ દર્શાવે છે. જેથી સ્થાનિક તંત્રએ આ 6 પરિવારને તાત્કાલિક કનેક્શન આપવું જોઈએ.

આ પણ વાંચોઃ

રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition

PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?

અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports

Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?

Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂરી!

ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 4 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 7 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 19 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 25 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC