PANCHMAHAL: પુરવઠા અધિકારી વેશપલટો કરી બન્યા અરજદાર: શિયાળમાં અધિકારીઓના પરશેવા છૂટ્યા

  • Gujarat
  • January 3, 2025
  • 0 Comments

મોટા ભાગની સરકારી કચેરીઓમાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો જ આવે છે. રોજે રોજ અરજદારો પોતાના જીવન જરુરિયાતો કામો માટે સરકારી કચેરીએ ધક્કા ખાવા મજબૂર બને છે. જો કે અધિકારીઓ સરખા જવાબ ન આપતાં વચેટિયાઓનો ભોગ બનવું પડતું હોય છે. જ્યાં વચેટિયાઓ અરજદારો પાસેથી વધુ નાણાં વસૂલી લેતાં હોય છે. ત્યારે ગુજરાતના એક અધિકારીએ એવું કામ કર્યું છે. ગુજરાતમાં વિડિયો વાઈલ થયો છે.

પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. પાંચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખી સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. જેને લઇને સમગ્ર પંથચકમાં ચકચાર મચી ગઈ છે. અરજદારો સાથે થતી હેરાનગતિનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સોંગંદનામામાં વધુ નાણાંની વસૂલાત

પંચમહાલના ગોધરામાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા પોતે અરજદાર બનીને સેવા સદનની કચેરીમાં પહોંચ્યા હતા. તેમણે ધોતિયું અને માથે ટોપી પહેરી હતી. જેથી એક નજરે કોઇપણ ઓળખી ન શકે કે આ કોઇ અધિકારી હશે. સેવા સદનમાં તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર 23 રૂપિયામાં થતી હોવા છતાં સોગંદનામું, બેંક ચલણ સહિત માટે રૂપિયા 300નો ખર્ચ અરજદારને કરવો પડતો હોવાનું બહાર આવ્યું હતુ.

અરજદાર પાસેથી ખોટી રીતે રૂ. 250 એફિડેફિટ ખર્ચ

સરકારી નિયમ અનુસાર રેશનકાર્ડ સંબંધિત તમામ પ્રકારની કામગીરીમાં સોગંદનામાની જગ્યાએ નિશુલ્ક સ્વ ઘોષણા પત્ર લેવામાં આવે છે, છતાં અરજદાર પાસેથી ખોટી રીતે રૂ. 250 એફિડેફિટ ખર્ચ કરાવવામાં આવે છે. જેથી અરજદારો ઉપર વધારાના ખોટા ખર્ચનો આર્થિક બોજો પડતો હતો. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે નાયબ મામલતદાર સહિત સંબંધિત કર્મચારીઓને નિયમોની જાણ ન હોવાની હકીકત પણ સામે આવી છે.

સ્ટીંગ ઓપરેશનમાં બહાર આવ્યું છે કે એક દિવસમાં રેશનકાર્ડનું કામ થતું નથી. જેથી, મામલતદાર ગોધરા(ગ્રામ્ય) અને ગોધરા(શહેર) ખાતેથી રેશનકાર્ડના ફોર્મ નં. 2 થી 9 માટે જે એફિડેવિટ કરવામાં આવેલ છે. તેવી અરજીઓ છેલ્લા એક વર્ષની કબજે લઇ જવાબદાર અધિકારી / કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર તથા પીટીશન રાઈટરો સામે નિયમાનુસારની કાર્યવાહી  કરવા આદેશ કરાયો છે. 

અધિકારીઓને નોટીસ ફટકારી

તપાસમાં સામે આવ્યું હતું કે જોગવાઈ વિરુદ્ધ કામગીરી થતી થતી હતી અરજદારો પર ખોટી રીતે આર્થિક બોજો નાખીને પરેશાન કરવામાં આવતાં હતા. સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને નોટિસ ફટકારી જવાબો રજૂ કરવા જણાવ્યું છે.

 

 

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 12 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 15 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!