PANCHMAHAL: પુરવઠા અધિકારી વેશપલટો કરી બન્યા અરજદાર: શિયાળમાં અધિકારીઓના પરશેવા છૂટ્યા

મોટા ભાગની સરકારી કચેરીઓમાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો જ આવે છે. રોજે રોજ અરજદારો પોતાના જીવન જરુરિયાતો કામો માટે સરકારી કચેરીએ ધક્કા ખાવા મજબૂર બને છે. જો કે અધિકારીઓ સરખા જવાબ ન આપતાં વચેટિયાઓનો ભોગ બનવું પડતું હોય છે. જ્યાં વચેટિયાઓ અરજદારો પાસેથી વધુ નાણાં વસૂલી લેતાં હોય છે. ત્યારે ગુજરાતના એક અધિકારીએ એવું કામ કર્યું છે. ગુજરાતમાં વિડિયો વાઈલ થયો છે.

પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. પાંચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખી સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. જેને લઇને સમગ્ર પંથચકમાં ચકચાર મચી ગઈ છે. અરજદારો સાથે થતી હેરાનગતિનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સોંગંદનામામાં વધુ નાણાંની વસૂલાત

પંચમહાલના ગોધરામાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા પોતે અરજદાર બનીને સેવા સદનની કચેરીમાં પહોંચ્યા હતા. તેમણે ધોતિયું અને માથે ટોપી પહેરી હતી. જેથી એક નજરે કોઇપણ ઓળખી ન શકે કે આ કોઇ અધિકારી હશે. સેવા સદનમાં તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર 23 રૂપિયામાં થતી હોવા છતાં સોગંદનામું, બેંક ચલણ સહિત માટે રૂપિયા 300નો ખર્ચ અરજદારને કરવો પડતો હોવાનું બહાર આવ્યું હતુ.

અરજદાર પાસેથી ખોટી રીતે રૂ. 250 એફિડેફિટ ખર્ચ

સરકારી નિયમ અનુસાર રેશનકાર્ડ સંબંધિત તમામ પ્રકારની કામગીરીમાં સોગંદનામાની જગ્યાએ નિશુલ્ક સ્વ ઘોષણા પત્ર લેવામાં આવે છે, છતાં અરજદાર પાસેથી ખોટી રીતે રૂ. 250 એફિડેફિટ ખર્ચ કરાવવામાં આવે છે. જેથી અરજદારો ઉપર વધારાના ખોટા ખર્ચનો આર્થિક બોજો પડતો હતો. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે નાયબ મામલતદાર સહિત સંબંધિત કર્મચારીઓને નિયમોની જાણ ન હોવાની હકીકત પણ સામે આવી છે.

સ્ટીંગ ઓપરેશનમાં બહાર આવ્યું છે કે એક દિવસમાં રેશનકાર્ડનું કામ થતું નથી. જેથી, મામલતદાર ગોધરા(ગ્રામ્ય) અને ગોધરા(શહેર) ખાતેથી રેશનકાર્ડના ફોર્મ નં. 2 થી 9 માટે જે એફિડેવિટ કરવામાં આવેલ છે. તેવી અરજીઓ છેલ્લા એક વર્ષની કબજે લઇ જવાબદાર અધિકારી / કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર તથા પીટીશન રાઈટરો સામે નિયમાનુસારની કાર્યવાહી  કરવા આદેશ કરાયો છે. 

અધિકારીઓને નોટીસ ફટકારી

તપાસમાં સામે આવ્યું હતું કે જોગવાઈ વિરુદ્ધ કામગીરી થતી થતી હતી અરજદારો પર ખોટી રીતે આર્થિક બોજો નાખીને પરેશાન કરવામાં આવતાં હતા. સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને નોટિસ ફટકારી જવાબો રજૂ કરવા જણાવ્યું છે.

 

 

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત