
Parliament Winter Session 2025:સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે, મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને અન્ય ઘણા મુદ્દાઓ પર વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.રાજ્યસભામાં, વિપક્ષે આ મુદ્દા પર વોકઆઉટ કર્યું, સરકારે જણાવ્યું હતું કે તે SIR પર ચર્ચાનો વિરોધ કરતી નથી, પરંતુ તેના માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી શકાતી નથી.
સંસદના વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન ચૂંટણી સુધારા પર ચર્ચાની માંગણી સાથે આજેપણ
મંગળવારે સંસદ સંકુલમાં વિરોધ પક્ષો વિરોધ કરે તેવી અપેક્ષા છે. વિરોધ પક્ષના સાંસદો સંસદ ભવનના મકર ગેટ પાસે વિરોધ કરવા માટે એકઠા થશે.જો સરકાર SIR પર ચર્ચા કરવા માંગતી નથી, તો ચૂંટણી સુધારા જેવા વ્યાપક વિષય પર ચર્ચા થઈ શકે છે, અને વિપક્ષ આ માંગણી પર દબાણ લાવશે.
■મણિપુર GST બિલ લોકસભામાં પસાર
લોકસભાએ મણિપુર GST (બીજો સુધારો) બિલ, 2025, હોબાળા વચ્ચે પસાર કર્યું. વિપક્ષી સભ્યોના નારાબાજી વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારા) બિલ, 2025 અને હેલ્થ સિક્યોરિટી નેશનલ સિક્યોરિટી સેસ બિલ, 2025 રજૂ કર્યા.વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ અને બે વાર મુલતવી રાખ્યા બાદ, ગૃહને દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યું.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે તેઓ SIR અને ચૂંટણી સુધારા પર ચર્ચાના વિરોધમાં નથી, પરંતુ જવાબ આપવા માટે સમય માંગ્યો. મંત્રીના જવાબથી અસંતુષ્ટ, વિપક્ષ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયો. રિજિજુએ રાજ્યસભામાં આ ટિપ્પણીઓ કરી જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળનો વિપક્ષ SIR પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી રહ્યો હતો.
દરમિયાન, કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી તેમની કારમાં એક રખડતા કૂતરા સાથે સંસદમાં પહોંચ્યા, જેનાથી વિવાદ થયો, શાસક પક્ષના સાંસદોએ તેમના પર નાટક કરવાનો આરોપ લગાવ્યો. વિવાદ વચ્ચે, રેણુકાએ કહ્યું, “અંદર બેઠેલા લોકો કરડે છે, કૂતરાઓ તેમના કરતા સારા છે”SIR પર ચર્ચાને લઈને ગૃહમાં ખૂબ હંગામો થયો હતો જે આજે યથાવત રહે તેવી શકયતા છે.લોકસભામાં પ્રશ્નકાળ શરૂ થતાં જ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી પક્ષોના સભ્યો ઉભા થઈ ગયા અને SIR સહિત કેટલાક મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી.
બાદમાં, કેટલાક સભ્યો સ્પીકરના પોડિયમની નજીક આવ્યા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને રચનાત્મક રીતે ભાગ લેવા અને ગૃહને આગળ વધવા દેવાની અપીલ કરી.
જોકે, જ્યારે હોબાળો ચાલુ રહ્યો, ત્યારે સ્પીકરે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રાખ્યું. ટૂંકી મુલતવી રાખ્યા પછી જ્યારે ગૃહ બપોરે 12 વાગ્યે ફરી શરૂ થયું, ત્યારે વિપક્ષી સભ્યોએ હોબાળો ચાલુ રાખ્યો.
હોબાળાને કારણે, પ્રશ્નકાળ અને શૂન્યકાળ ખોરવાઈ ગયા હતા
રાજ્યસભાના અધ્યક્ષ તરીકેના પોતાના પ્રથમ સંબોધનમાં, સીપી રાધાકૃષ્ણને સભ્યોને સંસ્થાનો આદર કરવા અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની જવાબદારીઓને સમજવા વિનંતી કરી હતી.તેમણે કહ્યું, “દરેક વ્યક્તિ ભલેને તે પછી તેઅધ્યક્ષ હોય કે સભ્ય પણ રાષ્ટ્ર પ્રત્યેની તેમની જવાબદારીઓને સમજવી જોઈએ.ભારતના બંધારણ અને રાજ્યસભાના નિયમો આપણા સંસદીય આચરણ માટે રેખા નક્કી કરે છે,તે રેખામાં દરેક સભ્યના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે.
■અધ્યક્ષ રાધાકૃષ્ણનનું સ્વાગત કરતી વખતે પીએમ મોદીએ શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનનું સ્વાગત કરતા કહ્યું કે એક નમ્ર ખેડૂત પરિવારમાંથી મહત્વપૂર્ણ બંધારણીય પદ પર તેમનો ઉદય ભારતીય લોકશાહીની મજબૂતાઈનું પ્રતીક છે.
રાજ્યસભામાં તેમના સન્માન દરમિયાન, પ્રધાનમંત્રીએ કહ્યું કે રાધાકૃષ્ણનનું જીવન સમાજ સેવા પ્રત્યેના તેમના અતૂટ સમર્પણનું ઉદાહરણ આપે છે, અને રાજકારણ તેમના જાહેર યોગદાનનો માત્ર એક ભાગ હતો.
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ રાધાકૃષ્ણનનું સ્વાગત કરતી વખતે, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના અચાનક રાજીનામાનો ઉલ્લેખ કર્યો.શાસક પક્ષના સભ્યોએ વાંધો ઉઠાવતા કહ્યું કે આ પ્રસંગ આવા વિષયને ઉઠાવવા માટે અયોગ્ય છે.
ખડગેએ અધ્યક્ષનું સ્વાગત કરતા તેમને બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવવા અને વિપક્ષી સભ્યોને તેમના મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી.દરમિયાન, વિપક્ષ દ્વારા ચૂંટણી સુધારા પર ચર્ચાની માંગણી સાથે આજેપણ મંગળવારે સંસદ સંકુલમાં વિરોધ પક્ષો વિરોધ કરે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!








