Peanut Scam Gujarat: કોંગ્રેસે નહીં ખુદ ભાજપ નેતાએ જ મગફળી ખરીદી કૌભાંડનો કર્યો પર્દાફાશ, કેમ MLAને મળી માનહાનિ કેસની ધમકી?

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments

Peanut Scam Gujarat: આ વખતે મગફળી ખરીદી કૌભાંડનો પર્દાફાશ કોંગ્રેસ કે બીજા પક્ષોએ કર્યો નથી પણ ભાજપના નેતાઓ તેનો પર્દાફાશ કરી રહ્યાં છે. 7 વર્ષ પહેલાં 7 હજાર કરોડની મગફળીની ખરીદીનું કૌભાંડ થયું હોવાના આરોપો લગાવ્યા હતા. 7,000ના ભાવે ખરીદી કરીને તેમાં માટીની મિલાવટ કરી સરકારને 18,000 રૂપીયામાં મગફળી વેચી રહી હતી. મગફળીના ગોડાઉનો સળગાવી દેવાયા હતા. 2024માં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ખેડૂતોની મગફળી નામંજૂર કરવામાં આવી છે. મગફળીના વેપારીઓ ખેડૂતોની નકારી કાઢવામાં આવેલી મગફળીને ઓછા ભાવે ખરીદવામાં આવી હતી.

મગફળી ખરીદી કૌભાંડ મુદ્દે બે ભાજપ નેતાઓ જ આમને સામને આવી ગયા છે. ઈફ્કોના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી આમને સામને આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ થઈ છે. વેપારીઓ 27 હજારની મગફળી માત્ર 16 હજારમાં માંગતા હતા.

માનહાનિ દાવાની ધમકી

ગુજકોમાસોલના નરેન્દ્ર પરમાર, ભરત બારડ સહિતના અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપો લગાવ્યા સાથે જ તેમણે 2 નંબરની મંડળી ડિરેક્ટરના સગાં-વહાલાંની હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. સંઘાણી અને નરેન્દ્રસિંહ પરમારે તો માનહાનીનો દાવો કરવાની ધમકી આપી છે.

ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા ગેરરીતિના આરોપો

માણાવદર તાલુકામાં મગફળી ખરીદી કેન્દ્રોમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આરોપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લગાવ્યો છે. તેમણે ગુજકોમાસોલના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તાલુકામાં કુલ ચાર મગફળી ખરીદી કેન્દ્રો કાર્યરત છે. એક કેન્દ્રમાં 40 હજાર બારદાન, અન્ય કેન્દ્રો પર અછત છે.

આક્ષેપો પાયા વીહોણા

અધિકારીઓ પર નબળી ગુણવત્તાની મગફળીની ખરીદી અને કૌભાંડના આરોપને સંઘાણીએ ફગાવ્યા છે.  ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને તપાસની ખાતરી આપી છે.

માનહાનિ ધમકી બાદ લાડાણીએ શું કહ્યું?

અરવિંદ લાડાણીએ જણાવ્યુ કે મેં નાણાની ઉચાપત થઈ હોવાનો આરોપ નથી લગાવ્યો. કહ્યુ મે માત્ર મગફળી ખરીદીમાં અવ્યવસ્થાની વાત કરી છે. બીજી તરફ તેમણે કહ્યુ માનહાનિનો દાવો કરે તો ભલે કરે.

 

કાનાભારે પણ ગોલમાલનો આક્ષેપ કર્યો 

બીજી તરફ આ વર્ષે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા ભરત કાનાબારે પણ લગાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. આ વર્ષે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે રુ. 250થી રુ. 350નો તફાવત છે. કાનાબારના આરોપ મુજબ, માર્કેટ યાર્ડમાં વેપારીઓ, અધિકારીઓ અને વચેટિયાઓની ટોળકીઓએ આ ભાવ તફાવતનો ગેરલાભ લીધો છે.

 

 

આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!

આ પણ વાંચોઃ SURAT: કારચાલકે 2 બાઈકને અડફેટે લેતા 3ના મોત, કાર BRTS રૂટમાં ઘૂસી

આ પણ વાંચોઃ IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમ ગુસ્સે

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ