વડોદરામાં ફ્લાયઓવર બાબતે લોકોમાં રોષ; ભાજપ વિરોધી લાગ્યા અનેક બેનર; તંત્ર ધંધે લાગ્યું

  • Gujarat
  • December 22, 2024
  • 0 Comments

વડોદરામાં આવેલા વાસણા બ્રિજને લઈ વિરોધનો સૂર ઊઠ્યો છે. સીએમના આગમન પૂર્વે જ વડોદરા શહેરમાં ક્રાંતિકારી સેનાના નામે ભાજપ વિરોધી બેનર લાગતા દોડધામ મચી હતી.

શહેર ભાજપ દ્વારા કારેલીબાગમાં નિર્માણાધીન નમો કમલમ કાર્યાલયના તક્તી અનાવરણનો આજે (22 ડિસેમ્બર) સાંજે 5 કલાકે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ તક્તી અનાવરણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે.

આ વચ્ચે વાસણા જંક્શન બનનારા બ્રિજના વિરોધમાં આંદોલન કરી રહેલા ક્રાંતિકારી સેના દ્વારા વડોદરાના નારાજ લોકોની વેદના વ્યક્ત કરતાં બેનરો લગાડવામાં આવ્યા છે. આ બેનરો વડે કામ વગર બનાવી દેવામાં આવેલા ફ્લાયઓવરનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં સમા, વૃંદાવન ચાર રસ્તા, ખોડિયાર નગર, સોમા તળાવ અને વાસણા રોડ જંક્શન ઉપર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વાસણા રોડ જંક્શન ઉપર ફ્લાયઓવર બ્રિજ તેમજ ભાયલીમાં કેનાલ ઉપર બ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

લોકમતે ફ્લાયઓવર બિનજરૂરી

તાજેતરમાં પણ સ્થાનિક લોકો દ્વારા ફ્લાયઓવર બ્રિજના વિરોધમાં બેનરો લગાડવામાં આવ્યાં હતાં. બેનરોમાં જણાવ્યું છે કે, અમે ફ્લાયઓવર બ્રિજનો‌ વિરોધ કરીએ છીએ. જો આ બ્રિજ બનાવવામાં આવશે તો કોઇ રાજકીય નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં. સ્થાનિક લોકોએ વાસણા જંક્શન ઉપર બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજને બિનજરૂરી ગણાવી વિરોધ દર્શાવ્યો હતો.

જોકે, વિરોધને નજરઅંદાજ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ભાજપ સરકારમાં વિરોધ પ્રદર્શનને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવતું નથી. લોકો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સરકારને રજૂઆતો કરતી રહે છે પરતુ ભાજપ સરકારમાં સામાન્ય લોકોની અવાજ સાંભળવામાં આવી હોય તેવા કિસ્સાઓ ઘણા ઓછા છે.

આ મામલે સ્થાનિક મનિષાબેન રાઠોડે જણાવ્યું હતું કે, ભાયલી કેનાલ ઉપર બ્રિજની જરૂર જ નથી. આ નાણાંનો વેડફાટ છે અને અનેક મુશ્કેલીમાં વધારો થશે. અમે અગાઉ રજૂઆત કરી ચૂક્યા છીએ. જો બ્રિજનું કામ બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરતાં ખચકાશું નહીં.

ભાયલીના સ્થાનિક લોકોનું કહેવું છે કે, કોર્પોરેશન દ્વારા 12 ફૂટની કેનાલ ઉપર 72 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા જઇ રહ્યો છે, જેની કોઇ જરૂરિયાત નથી. નાળું બનાવી શકાય તેમ છે. નાણાંનો વ્યય કરવામાં આવી રહ્યો છે. આ બ્રિજની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે, નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પાછલા ઘણા વર્ષોથી સત્તાધારી પક્ષનો વિરોધ કરનારાઓને કોંગ્રેસી જાહેર કરી દેવામાં આવી રહ્યા છે. તેથી હવે સામાન્ય લોકો પણ પોસ્ટર વડે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. રાજ્યમાં જનતા પોતે પણ ખુલીને સરકારનો વિરોધ કરી શકી નથી. શું આને લોકશાહી કહીશું?

Related Posts

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
  • May 9, 2026

Gujarat 50 lakh houses promise: વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ હતી. આ એ જ ચૂંટણી હતી જેણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન પદના મજબૂત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 8 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 6 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન