
દક્ષિણ કોરિયામાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ છે. આજે રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી ઉતરી સીધુ દિવાલ સાથે ભટકાયું હતુ. આ બાદ વિમાન આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અત્યાર સુધી 179 લોકોના મોત થઈ ગયાના અહેવાલ છે. જ્યારે 2 લોકોનો જીવ બચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી જાણકારી પ્લેનમાં 6 ક્રૂ મેમ્બર અને 175 પેસેન્જર સવાર હતા. સાઉથ-વેસ્ટ કોસ્ટલ એરપોર્ટ પર ભારતીય સમય મુજબ સવારે 5:37 વાગ્યે (સ્થાનિક સમય મુજબ 9:07 વાગ્યે) પ્લેન ક્રેશ થયું હતું, જે દક્ષિણ કોરિયાના સાઉથ જેઓલામાં છે. અહેવાલો અનુસાર, એરપોર્ટ પર તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.
આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે 179 પર પહોંચી ગયો હોવાની આશંકા છે. જ્યારે માત્ર 2ને જ લોકો બચી શક્યા છે.