PM MODI એ ભક્તને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?

PM Modi devotee wear shoes: વડાપ્રધાન મોદી કોઈને કોઈ સભામાં પોતાને અલગ દેખાડવા અને લોકોનું ધ્યાન ખેંચવા કંઈને કંઈ કિમિયો અપનાવતાં હોય છે. તે કોઈ પણ જગ્યાએ જાય તે કંઈને કંઈ ગતકડાં લાવી દેતાં હોય છે. ત્યારે આજે તેમણે પોતાના ભક્તોને જાતે બૂટ પહેરાવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 14 એપ્રિલે હરિયાણાની મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન હરિયાણાના કૈથલના રહેવાસી રામપાલ કશ્યપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ખુલ્લા પગે ગયા હતા. રામપાલ કશ્યપ છેલ્લા 14 વર્ષથી ખુલ્લા પગે ચાલે છે. આની પાછળ એક મોટો સંકલ્પ છે.

રામપાલ કશ્યપ મૂળ હરિયાણાના કૈથલ જિલ્લાનો રહેવાસી છે. તેમણે વર્ષ 2011 માં એક પ્રતિજ્ઞા લીધી હતી. તેમનું માનવું હતું કે નરેન્દ્ર મોદી જેવા નેતા જ દેશનું ભાગ્ય બદલી શકે છે. તેથી તેમણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને અને ત્યારબાદ તેમને મળે તે માટે પ્રતિજ્ઞાના લીધી હોવાનું કહેવાઈ છે. ત્યારથી તેઓ ચપ્પલ પહેરતાં ન હતા. જો કે આ વાતમાં કેટલું તથ્ય છે તે કોઈને ખબર નથી.

14 વર્ષ જૂનું વચન પૂર્ણ થયું

આ પ્રતિજ્ઞાના 14 વર્ષ પછી પૂરી થઈ છે. રામપાલ કશ્યપ ઠંડીથી લઈને ગરમી સુધી અને વરસાદની ઋતુમાં પણ ખુલ્લા પગે ચાલતા હતા. કહેવાય છે કે તે પોતાના સંકલ્પ પર અડગ રહ્યા. અને અંતે  14 વર્ષે મોદીના હાથે બૂટ પહેર્યા છે. PM મોદી રામપાલને પૂછ્યું, કે અરે ભાઈ, તમે આવું કેમ કર્યું. હવે પછી આવું ન કરતો.  આ પછી મોદીએ પોતે રામપાલને પોતાના હાથે જૂતા પહેરાવ્યા. જો આ ઘટનામાં પણ પહેલેથી ગોઠવણ હશે તેવી શંકા સેવાઈ રહી છે.

મોદીએ કહ્યું પ્રતિજ્ઞા લેવાને બદલે કાર્ય કરવાની..

પીએમ મોદીએ X પર રામપાલ કશ્યપ સાથેની તેમની મુલાકાતનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું, ‘આજે મને હરિયાણાના યમુનાનગરમાં કૈથલના રામપાલ કશ્યપજીને મળવાની તક મળી.’ તેમણે 14 વર્ષ પહેલાં પ્રતિજ્ઞા લીધી હતી કે ‘જ્યાં સુધી મોદી વડા પ્રધાન ન બને અને તેમને ન મળે ત્યાં સુધી હું જૂતા પહેરીશ નહીં.’ આજે મને તેને જૂતા પહેરાવવાની તક મળી. હું આવા બધા મિત્રોની ભાવનાઓનો આદર કરું છું, પણ હું તેમને વિનંતી કરું છું કે આવી પ્રતિજ્ઞા લેવાને બદલે, તેમણે કોઈ સામાજિક કે રાષ્ટ્રીય કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.

જો કે વારંવાર લોકોનું ધ્યાન ખેંચવામાં રચ્યાપચ્યા રહેતાં મોદી પર આ ઘટનના પર વિશ્વાસ કોણે કરેશે તે પણ એક સવાલ છે.

આ પણ વાંચો:

ગુજરાતમાં માનવભક્ષી દીપડાઓથી ખાતરો, વન વિભાગની દાદાગીરી!, શું સરકાર લાવશે ઉકેલ? | Leopard attacks

કોંગ્રેસના મહિલા MLAએ ભાજપ નેતાને ફટકાર્યો, શું છે વિવાદ? | Rajasthan

Bodeli ની ઓરસંગ નદીની દશા અને દિશા કેમ બદલાઈ? પાણી ગયા અને હવે કાંકરા રહી ગયા | VIDEO

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Dakor: ડોક્ટર પર હુમલો કરવાની ઘટનામાં ત્રણ શખ્સોની ધરપકડ, કેટલાંક ફરાર

 

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 2 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 7 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 7 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 9 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 9 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો