PM મોદી AI ઉપર ભાષણ તો આપે છે પરંતુ તેઓ તેને સમજી શક્યા નથી: રાહુલ ગાંધી

  • India
  • February 15, 2025
  • 0 Comments
  • PM મોદી AI ઉપર ભાષણ તો આપે છે પરંતુ તેઓ તેને સમજી શક્યા નથી: રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને એઆઈ ટેકનોલોજીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, પીએમ મોદી ટેલિપ્રોમ્પ્ટર થકી એઆઈને લઈને ભાષણ તો આપી રહ્યાં છે પરંતુ ખરા અર્થમાં તેઓ એઆઈને સમજી શક્યા નથી. આ અંગે રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ‘ભારતમાં પ્રતિભા છે, પરંતુ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે નવી ટેક્નોલૉજીમાં ઔદ્યોગિક કૌશલ્યો વિકસિત કરવાની જરૂર છે.’

રાહુલ ગાંધીએ શનિવારે X પર એક પોસ્ટમાં હાઇલાઇટ કર્યું કે ચીને કેવી રીતે ડ્રોન બનાવવાનું શરુ કર્યું છે જે સમગ્ર વિશ્વમાં યુદ્ધમાં ક્રાંતિ લાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારતે આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક બનવા માટે વ્યૂહરચના વિકસાવવાની જરૂર છે.’
નવી ટૅક્નોલૉજીના ઉત્પાદન માટે ભારતને સ્પષ્ટ વિઝનની જરૂર છે.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ‘ડ્રોને યુદ્ધમાં ક્રાંતિ લાવી છે, બેટરી, મોટર્સ અને ઓપ્ટિક્સને સંયોજિત કરીને યુદ્ધક્ષેત્રમાં ચાલાકી અને સંદેશાવ્યવહારને અભૂતપૂર્વ રીતે સક્ષમ કરી શકાય છે. પરંતુ ડ્રોન માત્ર એક ટૅક્નોલૉજી નથી, તે એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલી દ્વારા ઉત્પાદિત બોટમ-અપ ઇનોવેશન છે.’

આ પણ વાંચો- 6 લાખ રોકડા, વિદેશી દારૂ, 5 લક્ઝરી કાર; હરિયાણામાં ભાજપ નેતાના ઘરે EDનો દરોડો 17 કલાક ચાલ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, ‘આ માત્ર એક ટેક્નોલૉજી નથી. આ એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલીની મદદથી થઈ રહેલી નવીનતા દર્શાવે છે. પીએમ મોદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ‘ટેલિપ્રોમ્પ્ટર’નો ઉપયોગ કરીને ભાષણ આપે છે પરંતુ તેમને આ વસ્તુ સમજાઈ રહી નથી.’

ચીનનું નામ લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આપણા પ્રતિસ્પર્ધીઓ નવી ટેક્નોલૉજીમાં નિપુણતા મેળવી રહ્યા છે અને આપણી સરકાર પાસે તમામ સંસાધનો હોવા છતાં આ મામલે કંઈ નથી કરી રહી.’

તેમણે કહ્યું, ‘ભારતને ખાલી ભાષણોની જરૂર નથી પરંતુ મજબૂત ઔદ્યોગિક વ્યવસ્થાની જરૂર છે. ભારતમાં અપાર પ્રતિભા છે. આપણા યુવાનો આ ડ્રોનના તમામ કોમ્પોનન્ટ બનાવી શકે છે. આપણા યુવાનોને રોજગારી આપવા અને ભારતને ભવિષ્ય તરફ લઈ જવા માટે આપણી પાસે સ્પષ્ટ વિઝન હોવું જોઈએ અને ભારતમાં જ આવી નવીનતાઓ બનાવવાનું શરુ કરવું જોઈએ.’

આ પણ વાંચો-દેશના વિદ્યાર્થીઓ મરી રહ્યા છે: પ્રતિદિવસ 24 કલાકમાં 28 વિદ્યાર્થીઓ કરી લે છે આત્મહત્યા

Related Posts

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
  • October 29, 2025

Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

Continue reading
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ
  • October 29, 2025

Gold Ban: આપણા દેશમાં સોનુ પ્રાચીન કાળથી સંસ્કૃતિ અને સમાજ સાથે વણાયેલું હતું. દીકરીના લગ્ન હોયકે કોઈ ધાર્મિક પ્રસંગ સોનુ આપવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવતી હતી ત્યારે સોનાના ભાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 1 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 3 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 18 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 20 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 19 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ