મહાકુંભમાં લાગી ભીષણ આગ, નોટો ભરેલાં 2 થેલાં સળગીને થયાં ખાખ (જુઓ Video)

  • India
  • February 15, 2025
  • 1 Comments
  • શનિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં સેક્ટર 18 – 19 વચ્ચે આગ લાગી હતી.
  • શ્રીરામ ચરિત માનસ સેવા પ્રવચન મંડળના શિબિરમાં આગ શરૂ થઈ હતી.
  • મહાકુંભમાં અત્યાર સુધીમાં આ ચોથીવાર આગ લાગી હોવાની ઘટના બની.

Fir at Mahakumbh 2025 – ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભના મેળામાં શનિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં વધુ એકવાર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગને પગલે સેક્ટર 18 – 19 વચ્ચેના અનેક પંડાલ સળગી ગયાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, એક શિબિરમાં ચલણી નોટો ભરેલા 3 થેલાં આગમાં બળીને ખાખ થઈ ગયાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

મહાકુંભમાં ચોથીવાર લાગેલી આગ અંગે પ્રાપ્ત થતી વિગતો એવી છે કે, શનિવારે સાંજના સમયે સેક્ટર 18 – 19 વચ્ચે શ્રીરામ ચરિત માનસ સેવા પ્રવચન મંડળના શિવિરમાં આગ લાગી હતી. આગને પગલે ભારે ઉત્તેજના સાથે દોડધામ શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અન્ય પંડાલો પણ આગની ચપેટમાં આવી ગયાં હતાં.

આગ અંગે માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો લ્હાય બંબા સાથે દોડી આવ્યા હતાં. અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. હાલના તબક્કે આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થતી નથી. તેમજ આગ લાગવાના કારણ અંગે પણ કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. જોકે, ભારે ભીડને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં મોડું થયું હોવાનું જાણવા મળે છે.

તે સાથે એવી પણ વિગતો ચર્ચાઈ રહી છે કે, શ્રીરામ ચરિત માનસ સેવા પ્રવચન મંડળના શિબિરમાં આગ લાગતાં જ ત્યાં હાજર લોકો જીવ બચાવીને બહાર દોડી ગયાં હતાં. આગમાં ખુરશી, ટેન્ટ સહિત સામાન બળી ગયો હતો. શિબિરમાં ચલણી નોટો ભરેલાં 3 થેલાં રાખવામાં આવ્યા હતાં. જાણવા મળે છે કે, એક થેલાંને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતાં. પરંતુ, બે થેલાં આગમાં બળીને ખાખ થઈ ગયાં હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, થેલાં કેટલાં રૂપિયા હતાં તે અંગે કોઈ જાણકારી મળતી નથી.

મહાકુંભમાં અત્યાર સુધીમાં ચાર વખત લાગેલી આગની વિગતો

19 જાન્યુઆરી – સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી, એ દુર્ઘટનામાં 180 કોટજ સળગ્યા હતાં.

30 જાન્યુઆરી – સેક્ટર 22માં આગ લાગતાં 15 ટેન્ટ સળગી ગયાં હતાં.

7 ફેબ્રુઆરી – સેક્ટર 18માં શંકરાચાર્ય માર્ગ પર આગ લાગતાં 22 જેટલાં પંડાલ સળગી ગયાં હતાં.

15 ફેબ્રુઆરી – આજે સેક્ટર 18 – 19માં લાગેલી આગ હાલ ઓલવાઈ ગઈ છે, પરંતુ, હજી સુધી આ ઘટનામાં કેટલાં પંડાલ સળગ્યા એની વિગતો જાણવા મળથી નથી.

Related Posts

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’
  • May 5, 2026

Rahul Gandhi on Bengal Election: નવી દિલ્હીથી કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ અને અસમના ચૂંટણી પરિણામોને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ…

Continue reading
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”
  • May 4, 2026

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોના દિવસે એક અત્યંત રોમાંચક સ્થિતિ સર્જાઈ છે. બપોર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ બહુમતી તરફ જતી દેખાતા તૃણમૂલ કોંગ્રેસના છાવણીમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 2 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 4 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 6 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 9 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 10 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 10 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી