
PM Modi: નરેન્દ્ર મોદી સાહેબના જૂના ભાષણો મિમિક્રી કરાવી રહયા છે તેઓએ કહ્યું હતું કે ‘ગટરના ગેસથી ચા બને છે’ તેના ઉદાહરણો પણ આપ્યા કે કઈ રીતે એક ચા વાળાએ ગટરના ગેસથી ચા બનાવી, તેઓએ સ્વદેશી ગેસ માટે ઘણા ભાષણો કર્યા પણ હવે સંકટ સમયે આ ગેસ કામ લાગ્યો નથી.
ગેસની તંગીના કારણે ગુજરાતમાં કાસ્ટિંગ, ફોર્જિંગ, ટેક્સટાઈલ અને સિરામિક સહિતના અનેક ઉદ્યોગો બંધ થયા છે, વડોદરાની સરદાર એસ્ટેટ, મોરબીની સિરામિક ફેક્ટરીઓ અને સુરતના ટેક્સટાઈલ એકમોને ગ્રહણ લાગી ગયું છે, લાખો કામદારોની રોજગારી ઉપર સંકટ તોળાયું છે જેની સીધી અસર અર્થતંત્ર પર પડી છે.
કાસ્ટિંગ અને ફોર્જિંગ ઉદ્યોગો માર્ચ એન્ડિંગના ઓર્ડર પુરા કરી શકતા નથી ગેસના પુરવઠામાં કાપ અને ઉંચા ભાવને કારણે ઉદ્યોગો આર્થિક બોજ હેઠળ છે,કોમર્શિયલ ગેસની અછતને લઈ રેસ્ટોરન્ટ અને હોટલો ઉદ્યોગો પડી ભાંગ્યા છે.
ગુજરાત ગેસ દ્વારા ગેસ સપ્લાય કરાર હેઠળ “ફોર્સ મેજર” જાહેર કરવામાં આવ્યું છે અને ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારની ફરિયાદો વધી છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








