
PM Modi News: હાલમાં બિહારમાં ચૂંટણી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં કેટલાક ઉલટ પુલટ નિવેદનો કરી રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી કે, તેઓ આ પ્રકારના નિવદેનો આપી રહ્યા છે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ આ ટેવ ધરાવે છે. જ્યારે અમરસિંહ ચૌધરી વિરોધ પક્ષના નેતા હતા ત્યારે તેમણે એક બાબતની ટીકા કરી હતી ત્યારે તેમને ઉંધે ઘોડે બેસાડવાની વાત આ જ નરેન્દ્ર મોદીની સરકારના અને પ્રવક્તા અને કાયદામંત્રી અશોક ભટ્ટે કરી હતી.
“અમરસિંહ ચૌધરીને ઉંઘે ઘોડે બેસાડીશું”
તા. 5 મી ઓગસ્ટ- 2003ના રોજ મોદીના આદેશથી કાયદા પ્રધાન અશોક ભટ્ટે ઊલટપુલટ નિવેદન કર્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની જ સરકારના મંત્રી અશોક ભટ્ટે અમરસિંહ ચૌધરીએ કરેલી ટીકાનો જવાબ આપતા કહ્યું હતુ કે, જનતાએ અમરસિંહ ચૌધરીને ઉંઘે ગોડે બેસાડીને તગેડી મૂક્યા છે. આમ ભાજપના નેતાઓને ઉટપટાંગ નિવેદનો આપવાની ટેવ પડી ગઈ છે.
નરેન્દ્ર મોદીના લૂંટના નિવેદનો
બિહારમાં નરેન્દ્ર મોદી વારંવાર જીરો યાદ રાખો, લૂંટ ચલાવે છે જેવા નિવેદનો આપે છે. તેઓએ કહયું હતું કે, બિહારમાં જંગલરાજ ચાલી રહ્યું છે. જ્યારે નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી લખતે ગુજરાતમાં આવીને મંગલસુત્ર છીનવાઈ જશે, ભેંસ લઈ જશે જેવા નિવેદનો આપ્યા હતા. એટલું જ નહીં જંગલરાજ, અને જીરો યાદ રાખો વાળા નિવેદનો આપ્યા હતા.
સવાલ તે થાય છે કે, નરેન્દ્ર મોદી કેમ ચૂંટણી જીતવા માટે નીતિ નિયમોને બાજુ પર મૂકતા હોય છે. નરેન્દ્ર મોદી વારંવાર કોંગ્રેસે લૂંટ ચલાવી તેવું કહી રહ્યા છે ત્યારે ખરેખરમાં ભાજપના રાજમાં કેટલી લૂંટ ચલાવવામાં આવી તે વિશે જાણવા માટે જુઓ વીડિયો…
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?









