
PM Modi Punjab Insult: પંજાબમાં ભારે વરસાદ અને પૂરે વિનાશ વેર્યો છે. પંજાબના લોકોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે 9 સપ્ટેમ્બર, 2025ના રોજ પંજાબની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોનું જમીન પર રહીને નહીં પણ આકાશમાંથી નિરીક્ષણ કર્યું હતુ. તેમણે ગુરદાસપુરમાં પીડિતો સાથે મુલાકાત કરી હતી. જે બાદ પંજાબના નેતાઓને મળ્યા હતા.
VIDEO | On Prime Minister Narendra Modi announcing financial assistance of Rs 1,600 crore for the flood-hit state, Punjab Minister Hardeep Singh Mundian says, “We are thankful to PM Modi for coming today. However, it is unfortunate that he has insulted Punjab. After the Chief… pic.twitter.com/gRcv8h7YKs
— Press Trust of India (@PTI_News) September 9, 2025
આ મુલાકાત દરમિયાન પૂર પીડિતો માટે મોદી માત્ર 1,600 કરોડની સહાય જાહેર કરતાં લોકો અને નેતાઓ રોષે ભરાયા છે. પંજાબના નેતાઓએ ત્યાની સ્થિતિ જણાવી હોવા છતાં મોદીએ માત્ર 1600 કરોડ રુપિયા ફાળવ્યા છે.
‘પંજાબનું અપમાન કર્યું’
પંજાબ સરકારે કેન્દ્ર સરકારે આપવામાં આવેલા 1,600 કરોડ રૂપિયાના રાહત પેકેજને ઓછું ગણાવ્યું છે. પંજાબના મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ કહ્યું આ પંજાબનું અપમાન છે. મુંડિયનએ કહ્યું “દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમણે પંજાબનું અપમાન કર્યું છે. મુખ્ય સચિવે તેમને હજારો કરોડ રૂપિયાના નુકસાન, તૂટેલા રસ્તાઓ, ક્ષતિગ્રસ્ત જમીનો અને પંજાબના લોકોના બરબાદ થયેલા ઘરો વિશે સંપૂર્ણ વિગતો આપ્યા પછી તેમણે ફક્ત 1,600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. આપણને લગભગ 60,000 કરોડ રૂપિયાની જરૂર છે.
પંજાબમાં કેટલું નુકસાન?
પંજાબમાં વિનાશક પૂરને કારણે મૃત્યુઆંક 52 પર પહોંચી ગયો છે. પઠાણકોટમાં હજુ પણ ત્રણ લોકો ગુમ છે. પીટીઆઈ સાથે વાત કરતા મુંડિયનએ જણાવ્યું હતું કે હાલમાં 22 જિલ્લાઓના 2,097 ગામો પૂરથી પ્રભાવિત છે અને 1.91 લાખ હેક્ટર જમીનમાં ફેલાયેલા પાકને નુકસાન થયું છે.
મોદીની પંજાબ મુલાકાત
ગઈકાલે મોદીએ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતુ, પંજાબ 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. જે દરમિયાન મોદીએ માત્ર 1,600 કરોડની જાહેરાત કરી. જેથી પંજાબના લોકો પણ રોષે ભરાયા છે. કારણ કે મોટા નુકસાન સામે માત્ર આટલી સહાયથી લોકોને ફરી ઉભા કરવા ખૂબ કપરુ કામ છે.
પંજાબ સાથે મજાક

પૂરગ્રસ્ત પંજાબને 1,600 કરોડ રૂપિયાની મદદ અંગે વરિષ્ઠ પ્રવક્તા નીલ ગર્ગે નિવેદન આપ્યું છે. નીલ ગર્ગ કહે છે કે વડા પ્રધાન મોદીએ પંજાબને માત્ર 1,600 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. આ પંજાબ સાથે મોટી મજાક છે. આટલી સહાય જાહેર કરતાં શરમ પણ ના આવી. પંજાબ ભારતનું મહત્વનું રાજ્ય છે. અહીં બોર્ડર નજીક છે. દેશના લોકોએ બલિદાન આપ્યું છે. ભારતને જ્યારે જ્યારે મદદની જરુર પડી ત્યારે પંજાબીઓએ છાતી ઠોકીને મદદ કરી છે. આજે પંજાબને સહાયની જરુર છે ત્યારે તમે મજાક કરો છો. સરકારે પંજાબનું દુઃખ સમજવું જોઈતું હતુ.
આ પણ વાંચો:
Punjab Flood: પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ, અત્યાર સુધીમાં 43 લોકોના મોત
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
Telangana: લોરેન્સ બિશ્નોઈ સાથે ભગવાન રામની તસ્વીર, હિંદુ આસ્થાને ઠેસ પહોંચડાવાનું કાવતરુ કોનુ?
Navya Nair: ફૂલ ગજરો લગાવી ઓસ્ટ્રેલિયા જવું ભારતીય અભિનેત્રીને ભારે પડ્યુ, 1 લાખથી વધુનો દંડ









